અબ્દુલકરીમ ચાંદભાઈ કુરેશી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કુરેશી અબ્દુલકરીમ ચાંદભાઈ, ‘મુકબિલ કુરેશી’ (૨૪-૬-૧૯૨૫) : કવિ. બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં જન્મ. અભ્યાસ નોન મૅટ્રિક. ૧૯૪૮થી ૧૯૮૩ સુધી ભાવનગરમાં પશ્ચિમ રેલવેમાં કર્મચારી. હાલ નિવૃત્ત. ઉર્દૂ ગઝલ-પરંપરાના ઢાંચાને જાળવતી ગઝલરચનાઓના બે સંગ્રહ ‘પમરાટ’(૧૯૫૮) તથા ‘ગુલઝાર’(૧૯૭૨)માં અનુભૂતિની તીવ્રતા અને ભાષાગત સાદગી નોંધપાત્ર છે.