અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક શરણાઈવાળો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એક શરણાઈવાળો

દલપતરામ



મનહર છંદ

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાકી, એક
શેઠને રીજાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,
ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે.



કાવ્યપઠન • વિનોદ જોશી