અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/બે મંજીરાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બે મંજીરાં

ભગવતીકુમાર શર્મા

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં...
કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:
એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.
શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા...
રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.
હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં....
મારે રુદિયે બે મંજીરાં.
(ઝળહળ, ૨૪-૮-૧૯૮૭)






ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: દક્ષેશ ધ્રુવ







ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય







ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વિભા દેસાઇ