આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વર (૧૮૭૪, ૯-૬-૧૯૨૫): જન્મસ્થળ વિજાપુર. જૈન સાધુ. એમણે કવિતા, તત્ત્વજ્ઞાન, વ્યાકરણ અને ધર્મ જેવા વિષયો પર ગુજરાતી તેમ જ સંસ્કૃત ભાષામાં નાનાં-મોટાં ૧૦૮ પુસ્તકો આપ્યાં છે. એ પૈકી ‘ભજનસંગ્રહ'ના ૧ર ખંડો, ‘કક્કાવલિ સુબોધ’, ‘સાબરમતી ગુણશિક્ષણ કાવ્યગ્રંથ', ‘પંચગ્રંથી વ્યાકરણ’ જેવા કાવ્યગ્રંથો તેમ જ ‘અધ્યાત્મ વ્યાખ્યાનમાળા’, ‘આત્મપ્રદીપ’, ‘જ્ઞાનદીપિકા', ‘પરમાત્મદર્શન', ‘અનુભવપચ્ચીસી', ‘તત્ત્વબિંદુ’, ‘તત્ત્વજ્ઞાનદીપિકા', ‘તત્ત્વવિચાર’ અને ‘આગમસાર’ જેવા દર્શનગ્રંથો નોંધપાત્ર છે.