ગુજરાતી ગઝલસંપદા/ જયંત ડાંગોદરા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જયંત ડાંગોદરા

બીજું ગમે તે પૂછ પણ સમય વિશે ન પૂછ તું,
અભ્યાસક્રમ બહારના વિષય વિશે ન પૂછ તું.

મારી ન ડૂબકી કદી ન કાંકરીય પણ કરી,
એને કદી વમળ અને વલય વિષે ન પૂછ તું.

છે એટલી ખબર કે શેષમાંય જાત ના રહે,
આથી વિશે કાંઈપણ પ્રણય વિશે ન પૂછ તું.

એકાદ પાંદડુંય ફરફરે ધજા બની નભે,
એકેય પ્રશ્ન ત્યાં લગી પ્રલય વિશે ન પૂછ તું.

આંખોની સ્વસ્થતા ઉપર બધો મદાર હોય છે,
દર્પણને આમ રોજેરોજ વય વિશે ન પૂછતું.