ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ધ/ધવલગિરિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ધવલગિરિ

રજનીકાન્ત રાવળ

ધવલગિરિ (રજનીકાન્ત રાવળ; ‘ધવલગિરિ’, ૧૯૭૮) શેખરના મનમાં, પોતાની બહેનને છોડી પોતાની પ્રેયસીને પરણી જઈ બેઉ રીતે વિશ્વાસઘાત કરનારા નીલાંગ તરફ તીવ્ર આક્રોશ હતો. સંજોગવશાત્ પર્વતારોહણની એક જ ટુકડીમાં સાથે હોવા છતાં અંતે શેખર નીલાંગને અકસ્માતમાંથી ઉગારી લે છે. આખું કથાનક પર્વતારોહણના વિશિષ્ટ પરિવેશમાં મુકાયેલું છે. ચં.
ચં.