ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદનિધાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આનંદનિધાન આનંદનિધાન[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલબ્ધિસૂરિની પરંપરામાં મતિવર્ધનના શિષ્ય. ૧૩૪ કડીની ‘મૌનએકાદશી-ચોપાઈ’ (ર. ઈ.૧૬૭૧) અને ‘દેવરાજવત્સરાજ-ચોપાઈ’ (ર. ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, વૈશાખ સુદ-)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૨); ૨. મુપુગૂહસૂચી. [કુ.દે.]