ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરામ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેવરામ [ઈ.૧૭૯૨માં હયાત] : અવટંકે ભટ્ટ. મારુપતિની, પુત્ર તરીકે ખપાવેલ ને પરણાવેલ પુત્રી બહુચરમાની કૃપાથી પુરુષ બને છે તેની કથા કહેતા ૭૧ કડીના ‘મારુપતિનો છંદ’ (ર.ઈ.૧૭૯૨; મુ.)ના કર્તા. કૃતિ : દેવી માહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [કી.જો.]