ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવિજ્ય-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શુભવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યના શિષ્ય. ૫૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૫/સં.૧૬૭૧(?), સુદર્શન નાગ ગુણ શશિ મિતે વર્ષે), ૬૪ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૩૧) તથા ‘પાંચ બોલનો મિચ્છામી દોકડો-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૦ પછી)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]