ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીવંત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શ્રીવંત : આ નામે ૪૪ ઢાળની ‘ઋષભદેવ-વિવાહલો’ (ર.ઈ.૧૫૧૯ લગભગ), ૨૩૬ કડીની ‘આદિનાથ-વિવાહલો/ઋષભદેવધવલપ્રબંધ - વિવાહલુ, ‘હૂંડી’, ‘ઢોલિયાવર્ણન’ તથા સ્તુતિ આદિ અનેક કૃતિઓ મળે છે. આ કર્તા શ્રીવંત-૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી, ‘ઋષભદેવ-વિવાહલો’ અને ‘આદિનાથ-વિવાહલો’ એક હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૨-‘શ્રી સીમંધર શોભાતરંગ કે રચનાકાલાદિ પર વિશેષ’, અગરચંદ નાહટા; ૨. એજન, જૂન ૧૯૫૩-‘કડુઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]