દિગન્ત બાલચંદ્ર ઓઝા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ઓઝા દિગન્ત બાલચંદ્ર (રપ-૧૦-૧૯૩૯): નવલકથાકાર. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. ‘નવા પડકાર’, ‘ચિત્રરંજન’ તથા ‘આજ’ના તંત્રી. અત્યારે ‘જનસત્તા’ના કો-ઓડિનેટર તંત્રી. સાંપ્રત સમયના વાતાવરણને આલેખતી હૃદયસ્પર્શી ‘ગંદી ગલી બદમાશ બસ્તી’ (૧૯૬૯) અને ‘રથચક્ર' (૧૯૮૦) નવલકથાઓ એમણે લખી છે. ઉપરાંત એમણે ‘શાસક વર્ગ: ચહેરો એક મ્હારાં અનેક’ તથા નાટકોના અનુવાદ પણ આપ્યા છે.