નરસિંહરાવ દિવેટિયા: એક અધ્યયન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


[[|300px|frameless|center]]


નરસિંહરાવ દિવેટિયા: એક અધ્યયન (૧૯૫૧)

સુસ્મિતા મ્હેડ

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો


કૃતિ-પરિચય

‘નરસિંહરાવ દિવેટિયા: એક અધ્યયન’ મહાનિબંધ સાત પ્રકરણોમાં વહેંચાયેલો છે. ખંડ-૧ ‘જીવનસૌરભ’માં નરસિંહરાવના વ્યક્તિત્વનો પરિચય અને તેમના જીવનનું આલેખન છે. ખંડ-ર ‘કવિ’માં મધ્યકાલીન ગુજરાતી કવિતાના પરિપ્રેક્ષ્યમાં અર્વાચીન ગુજરાતી કવિતાની વિલક્ષણતા દર્શાવી નરસિંહરાવની કાવ્યવિભાવના વિશે ચર્ચા કરી છે. ખંડ-૩ ‘ગદ્ય’માં નરસિંહરાવના ગદ્યમાં નવપ્રસ્થાનની વિશેષતાઓ દર્શાવી ‘સ્મરણમુકુર’ અને ‘વિવર્તલીલા’ ગદ્યકૃતિઓ વિષયક ચર્ચા કરી છે. ખંડ-૪ ‘વિવેચક’માં નરસિંહરાવની સતત પ્રવાહબદ્ધ વિવેચનપ્રવૃત્તિને ચાર વિભાગમાં વહેંચી છે અને એમની વિવેચનની પ્રૌઢિ, સચોટતા, શાસ્ત્રીયતા જેવા ગુણોની નોંધ લીધી છે તો સાહિત્યપ્રવાહના અવલોકનમાં જોવા મળતી મર્યાદાઓ દર્શાવી છે. ખંડ-૫ ‘ભાષાશાસ્ત્રી’માં ભાષાશાસ્ત્રી નરસિંહરાવનો સંશોધકની, શિસ્ત, ખંત, વિષયની ઊંડાણભરી ચર્ચા જેવા પાસાંનો પરિચય કરાવે છે. ખંડ-૬ અને ખંડ-૭માં વિવાદી ચર્ચાપત્રો અને ગદ્યશૈલીની ચર્ચા છે. આ મહાનિબંધ સાહિત્યના અભ્યાસીઓ માટે માર્ગદર્શક નીવડે એવો છે. નરસિંહરાવના સર્જક તરીકેના વિવિધ પાસાંઓનો પરિચય કરાવતાં તેઓ દરેક પાસાંની મૂળગામી ચર્ચા કરે છે. આ મહાનિબંધ સુસ્મિતા મ્હેડની વિવેચક તરીકે ઐતિહાસિક સૂઝ અને દીર્ઘદષ્ટિનો પરિચય કરાવે છે. તો અવતરણોની બહુલતા ખૂંચે તેવી છે. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (ગ્રંથ ૭), પૃ. ૪૩૬