નિરંજન બિહારીલાલ અંતાણી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અંતાણી નિરંજન બિહારીલાલ (૭-૧૦-૧૯૪૦): નવલકથાકાર. જન્મસ્થળ જામનગર. ૧૯૬૨માં બી.એ., ૧૯૬૩માં એલએલ.બી. ભુજમાં વકીલાત. એમણે ‘તપન, તૃષા, તૃપ્તિ' (૧૯૬૦), ‘હમને તો પ્રીત નિભાઈ' (૧૯૬૨), ‘સાંવરિયા એટલે રહેજે દૂર' (૧૯૬૨), ‘ચૈન આયે ના’ (૧૯૬૩), ‘નયના વરસે રિમઝિમ' (૧૯૬૩), ‘સાવન’ (૧૯૬૪) અને ‘બેબી ડૉલ' (૧૯૬૪) જેવી નવલકથાઓ આપી છે.