પરકીયા/સુન્દરતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુન્દરતા

સુરેશ જોષી

સુન્દર હું, જુઓ માનવી ભંગુર, પાષાણનું સ્વપ્ન જાણે!
સ્તન મારાં, ચૂર્ણ થયાં કાંઈ કેટલા ય જેના વડે,
પ્રેરે પ્રેમ કવિના હૃદયમહીં શાશ્વત ને મૂક
જડ પદાર્થના જેવો: નિશ્ચલ, અનન્ત.

દુર્ગમ સ્ફિન્ક્સની જેમ નીલિમાના સિંહાસને બેસું,
હિમ શા હૃદય જોડે ભેળવું હું હંસતણી શુભ્રતા
રખે રેખાભંગ કરે એવા ભયે તિરસ્કારું ચંચલતા
કદિ ય ના આંસુ સારું કે ના કદિ વેરું સ્મિત.

ઔદ્ધત્યની ભંગિમાને જોઈ મમ
– શીખી જે હું પૂતળાંઓ પાસે –
કવિઓ જીવન ગાળે કેળવવા એને!

કારણ કે ભોળવવા આજ્ઞાંકિત પ્રેમીઓને
આ રહ્યાં નયન મારાં પારદર્શી ને વિશાળ
– વિશુદ્ધ દર્પણ જેમાં લસી ઊઠે સહુ કાંઈ.