ભારતીય કથાવિશ્વ૧/આત્મા એટલે શું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આત્મા એટલે શું?

એક વેળા ઉપમન્યુપુત્ર પ્રાચીનશાલ, પુલુષપુત્ર સત્યયજ્ઞ, ભાલ્લવિપુત્ર ઇન્દ્રદ્યુમ્ન, અશ્વતરાક્ષપુત્ર, બુડિલ, શર્કરાક્ષપુત્ર જન- આ બધાએ ભેગા થઈને જિજ્ઞાસા વ્યકત કરી કે આત્મા એટલે શું? બ્રહ્મ એટલે શું? એટલે તેઓ ઉદ્દાલક ઋષિ પાસે ગયા, પણ આ વિષયમાં ઋષિની જાણકારી ઓછી હતી એટલે તેઓ બધાને અશ્વપતિ પાસે લઈ ગયા. અશ્વપતિ રાજાએ કહ્યું, ‘મારા રાજ્યમાં કોઈ ચોરી કરતું નથી. દાન ન આપે એવું કોઈ નથી, કોઈ મદ્યપાન કરતું નથી, બધા વિદ્વાન છે, વ્યભિચારી નથી- હું થોડા દિવસમાં યજ્ઞ કરીશ. બીજાઓના જેટલું દાન તમને પણ આપીશ. તમે મારે ત્યાં નિરાંતે રહો. પછી અશ્વપતિએ તેમને ઉપદેશ કર્યો.

(છાંદોગ્ય ઉપનિષદ, ૧૧-૫)