મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ગોધૂલિવેળા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગોધૂલિવેળા

થઈ ગોધૂલિવેળા
ફૂલ તિમિરનાં સ્હેજ ઊઘડતાં વહ્યા ગંધના રેલા

ફળિયામાં કલશોર : લીંમડે
લચી ઊઠતા માળા
બોઘરણે ઝિલાય ગાયના
આંચળથી અજવાળાં

ગાડામાંથી સીમ ઊતરતાં મળ્યા ઊલટના મેળા

ઘરમાં ઝીણી બોલાશુંની
આળેખાતી ભાત
જાળી પાસે નમી ડાળખી
સાંભળવાને વાત

છતમાંથી ચાંદરણાં ઊતર્યા : ભળ્યા વાયરા ભેળા

નભનાં મોતી ચરવા જ્યારે
હંસો થાય પસાર
ઝણણણ ઝાલરમાં ઝળકે છે
દીપશિખાની ધાર

તંબૂરનાં જળ મંદ હલકથી ઠારે કાંઈ ઝળેળા
થઈ ગોધૂલિ વેળા