વારિસહુસેન હુસેની પીર અલવી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અલવી વારિસહુસેન હુસેની પીર (૧૯૨૮): એકાંકીકાર. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લઈ ૧૯૪૬માં મૅટ્રિક. ૧૯૫૧માં ઉર્દૂ-ફારસીમાં સ્નાતક અને એ જ વિષયોમાં ૧૯૫૩માં અનુસ્નાતક. ૧૯૫૫થી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઉર્દૂ-ફારસીના અધ્યાપક અને ૧૯૭૦માં અલીગઢ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષયમાં એમ.એ. થયા પછી અંગ્રેજીના અધ્યાપક. એમના એકાંકીસંગ્રહ ‘નીરવ ચાંદનીનું ઘુવડ’ (૧૯૭૧)માં પરંપરા સાથે તંતુ જાળવતાં ચાર દીર્ઘ એકાંકીઓ છે.