સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/‘બાર નહીં ખખડાવું’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          કવિશ્રી દુલા ભાયા કાગ : પહેલો એમને મળ્યો બોટાદમાં. મેઘાણીભાઈને ખરખરે એ આવેલા ત્યારે. ઊંચી પ્રભાવશાળી આકૃતિ, કાળી ભરાવદાર દાઢી વચ્ચે ક્યાંક સફેદ ધાગો, તેજસ્વી પણ ભાવનમ્ર આંખો, સફેદ સાફો તેમજ આખો પહેરવેશ, કાંસાનો મધુરગભીર અવાજ — એક વ્યક્તિત્વની સમ્મુખ ઊભા છો એમ સહેજે મનને સમજાઈ જાય. શહેરી દીવાનખાનામાં ગોઠવાય એવું આ વ્યક્તિત્વ નહીં. લાંબી ઓસરી, ગામડાના એ ઢોલિયા, એ ડાયરો, એ હુક્કા, એ વાતચીતનો અકૃત્રામ કિલ્લોલ. કવિનાં કેટલાંક કાવ્યો પ્રચલિત થયાં છે. ‘અજવાળું’ એ ગીત એક ઊર્મિગીત જેવું બને છે : તમારાં દ્વાર ખોલો તો આવું; કાગ નિયમ છે કાયમ એવો, ખુલ્લાં દ્વારમાં જાવું. હું અજવાળું જગ અજવાળું, બાર નહીં ખખડાવું.