સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જુગતરામ દવે/પળપળની કીમત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          હિસાબમાં થોડા પાઇપૈસા વધ્યાઘટયા, એમાં શું થઈ ગયું? આપણે ક્યાં ખાઈ ગયા છીએ? તેમાં નકામી ચિંતા શી કરવી? — આવો વિચાર જે કાર્યકર્તા કરે, તે ગમે તેવો ભલો માણસ હોય તો પણ ભયંકર છે; પ્રજાના પૈસાનો વહીવટ કરવા તે લાયક નથી. તે જ પ્રમાણે, ઘણા લોકોનો સમય જેમના હાથમાં છે તે પણ જો સહુની એક એક પળની કીમત ન સમજે અને કોઈની પણ પળ બગડે નહીં એ રીતે કાર્યક્રમ વિચારવાની ચીવટ ન રાખે, તો બીજાઓ માટે બહુ અગવડરૂપ થઈ પડ્યા વિના રહેશે નહીં