સોરઠી સંતવાણી/ભક્તિ ખાંડા કેરી ધાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભક્તિ ખાંડા કેરી ધાર

ભક્ત જેઠીરામે કહ્યું કે ભક્તિનો મારગ એ તો સુવાસિત ફૂલ-પાંખડી છે. હવે રાજ અમર નામના સંત ભાખે છે, કે ભક્તિ ખડ્ગની ધાર સમી છે.

ભગતી છે ખાંડા કેરી ધાર જી
ભગતી છે ખાંડાની ધાર
તેમાં કોઈ વિરલા સમજે સાર. — ભગતી છે.
સમજ્યા ને નર થયા સુખિયા
ના’વ્યા ઉદર મોજાર એ;
સમજી બાળા વ્રજની જેણે
છોડ્યાં નિજ ભરથાર જી. — ભગતી છે.
પીપો સમજ્યો, સજનો સમજ્યો,
સમજી કુબજા નાર જી;
શવરી સમજી બોર લાવી,
આરોગ્યા કૌશલ્યાકુમાર. — ભગતી છે.
મળે નહીં આવો દેહ ઉત્તમ,
સંતો વારમવાર જી;
રાજ અમર કે’ એવા જન મારા
પ્રાણના આધાર. — ભગતી છે.

[રાજ અમર]