હૃદયકાન્ત ઓઝા
ઓઝા હૃદયકાન્ત: સમાજ અને કુટુંબની જડતા, મલિનતા ને ક્રૂરતા સામે બંડ પોકારતી પાંચ નવલિકાઓનો સંગ્રહ ‘જલતી જ્યોત’ (૧૯૩૫), જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને એમ. એન. રૉયનો ચરિત્રગ્રંથ ‘ત્રણ રાષ્ટ્રવિભૂતિઓ' (૧૯૩૮) તથા જીવનચરિત્ર ‘મુસ્તફા કમાલપાશા’ના કર્તા.