અંતાણી દિલસુખરાય હીરાલાલ

અંતાણી દિલસુખરાય હીરાલાલ (૧-૬-૧૯૩૨): ચરિત્રકાર. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. સરકારી નોકરી. ‘હજરત હાજી પીર વલી' (૧૯૭૯) ચરિત્રગ્રંથ ઉપરાંત ‘કચ્છ નાગર જ્ઞાતિ દર્શન' (૧૯૭૮) અને ‘ભુજદર્શન’ ગ્રંથો એમના નામે છે.