આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/Q
સંજ્ઞાકોશ
Q
Q
Quantitative Verse પરિમાણાત્મક પદ્ય
- આ પ્રકારના પદ્યનો આધાર પ્રશિષ્ટ છંદોરચનાશાસ્ત્રમાં અક્ષરના ઉચ્ચારણ માટે આવશ્યક સમયના પરિમાણ પર હતો. આવા પદ્યમાં ભાર નહીં, પણ સમયાવધિ મહત્ત્વનો હતો.
Quatrain ચતુષ્પદી શ્લોક
- ચાર પંક્તિઓનું કાવ્ય કે કાવ્યની એક કડી. અંગ્રેજી કવિતાના પ્રકારોમાં આ મહત્ત્વનો એકમ છે. જેમ કે, શેક્સપિયરશાઈ સૉનેટના બંધારણમાં છેલ્લા યુગ્મ ઉપરાંત ચાર પંક્તિનો એક એવા ત્રણ એકમો હોય છે.
Quotability અવતરણક્ષમતા
- સાહિત્યિક કૃતિઓમાંથી મળતા સાર્વત્રિક વિનિયોગની શક્યતાઓવાળાં વિધાનો અવતરણો તરીકે ઓળખાય છે. આ પ્રકારનાં વિધાનો વિપુલ પ્રમાણમાં આપતા સર્જકની કૃતિઓના સંદર્ભમાં આ સંજ્ઞા પ્રયોજાય છે. જીવનના વ્યાપક સંદર્ભોને સ્પર્શતા વિષયવસ્તુવાળી કૃતિઓમાં આ લક્ષણ વિશેષ પ્રમાણમાં જેવા મળે છે. જેમકે, રવીન્દ્રનાથ, શરદબાબુ, ર. વ. દેસાઈ વગેરેની કૃતિઓમાં આવતાં અવતરણો.