દ્વિરેફની વાતો - ભાગ ૧/કૃતિ-પરિચય


દ્વિરેફની વાતો – ભાગ ૧ (૧૯૨૮)

ઇ. ૧૯૨૦ આસપાસ જ્યારે ગુજરાતી ભાષામાં નવી વાર્તા આરંભ પામતી હતી, લગભગ પ્રાથમિક દશામાં હતી ત્યારે રામનારાયણ પાઠકે એક જ પ્રકારની વાર્તાઓ આપવાને બદલે પ્રયોગલક્ષી વિવિધતાવાળી વાર્તાઓ આપી. એમની આ પ્રયોગશીલ સર્જકતા વિષયવસ્તુમાં, ચરિત્રોના આલેખનમાં, લેખનશૈલી અને કથનની રીતિમાં એમ બધે સક્રિય રહેલી. એમણે બધું મળીને ચાળીસેક વાર્તાઓ લખી, એના ત્રણ સંગ્રહ થયા.પરંતુ દરેક વાર્તા નોખા રૂપની બની આવેલી. ‘જક્ષણી’, ‘ખેમી’, ‘છેલ્લો દાંડક્ય ભોજ’ તથા ‘મેહફીલે ફેસાને ગુયાન’ જૂથની વાર્તાઓ સાથે વાંચવાથી એનો ખ્યાલ આવશે.

રસપ્રદ કથન ઉપરાંત એમનામાં ખાસ પ્રકારની રમૂજશક્તિ છે એ એમની વાર્તાઓને આસ્વાદ્ય બનાવેછે. તો આવો, એ આસ્વાદ્યજગતમાં પ્રવેશકરીએ –

આ પુસ્તકના લેખકનો અને પુસ્તકનો પરિચય રમણ સોનીનાં છે એ માટે અમે તેમનાં આભારી છીએ.