નટવરલાલ ન્હાનાલાલ કવિ

કવિ નટવરલાલ ન્હાનાલાલ (૨૨-૮-૧૯૧૭, ૧૭-ર-૧૯૮૯) : કવિ. જન્મ રાજકોટમાં. ૧૯૫૦માં મૅટ્રિક. મિલ-જિન સ્ટોર્સમાં સેલ્સમૅન. અકસ્માતથી અમદાવાદમાં અવસાન. ‘પૂજાનાં ફૂલ’ (૧૯૮૭) એમનો કાવ્યસંગ્રહ છે.