નિરંજન બિહારીલાલ અંતાણી

અંતાણી નિરંજન બિહારીલાલ (૭-૧૦-૧૯૪૦): નવલકથાકાર. જન્મસ્થળ જામનગર. ૧૯૬૨માં બી.એ., ૧૯૬૩માં એલએલ.બી. ભુજમાં વકીલાત. એમણે ‘તપન, તૃષા, તૃપ્તિ' (૧૯૬૦), ‘હમને તો પ્રીત નિભાઈ' (૧૯૬૨), ‘સાંવરિયા એટલે રહેજે દૂર' (૧૯૬૨), ‘ચૈન આયે ના’ (૧૯૬૩), ‘નયના વરસે રિમઝિમ' (૧૯૬૩), ‘સાવન’ (૧૯૬૪) અને ‘બેબી ડૉલ' (૧૯૬૪) જેવી નવલકથાઓ આપી છે.