સાહિત્ય પલ્લવ – ભાગ ૨/અરદેશર ફરામજી ખબરદાર

અરદેશર ફરામજી ખબરદાર

[આપણું આ એક જાણીતું કાવ્ય છે. એમાં દેવીના હૃદયમાં રહેલું ઊંડું દર્દ જે કુશળતાથી વ્યક્ત કરવામાં આવ્યું છે તે આ કવિતાને આપણી શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન અપાવે છે. વાંચનારના દર્દ ઊંડી અસર કરી જાય છે એ આ કાવ્યની સફળતા છે. હિન્દદેવીને આ કાવ્યમાંની દેવી તરીકે કલ્પી કાવ્યને માણતાં હરકોઈના હૃદયના તાર ઝણઝણ્યા વિના નહિ રહે. દેવી બલિદાનની માગણી કરે છે. પણ એ બલિદાન કેવું? થોડાક પૈસા આપ્યા, થોડીક આ સેવા કરી, થોડીક તે સેવા કરી— એવું નહિ. આખી જાતને હોમી દેવાય તોપણ ઓછું. બલિદાનના એક ઝાપટાએ શું વળે? એ તો ધોધમાર હેલી હોય તો જ બધી પાળો તૂટે. સિન્ધુ ઊલટી આવતો હોય એવા ભવ્ય બલિદાનની દેવીની યાચનાથી ભર્યું આ કાવ્ય એક વાર વાંચ્યા પછી ભુલાય ખરું? આ સાથે શ્રી. ખબરદારનું ‘ગુજરાતનો યજ્ઞકુંડ’ અને શ્રી. ઉમાશંકર જોષીનું ‘પિપાસા’ ‘ગંગોત્રી’માંથી અવશ્ય વાંચજો.]