સોરઠિયા દુહા/61


61

મેમાનુંને માન, દલ ભરી દીધાં નહિ;
(ઈ) મંદિર નૈ મસાણ, સાચું સોરઠિયો ભણે.

ઘેર આવેલા પરોણાનો જે પૂરા પ્રેમથી આદરસત્કાર ન કરતાં હોય તેમનાં ઘર જીવતાં માણસનાં ઘર નહિ પણ સૂના સ્મશાન સમાન છે, એવું સોરઠિયો કહે છે.