35,830
edits
No edit summary |
No edit summary |
||
| Line 29: | Line 29: | ||
રાતમાં માણસ નિશ્ચેષ્ટ હોય છે, પ્રભાતે તે સ્ફૂર્તિમય બને છે, એ વાસ્તવિક જગતનો અનુભવ છે, અને એ અનુભવ સચેત થઈ રાત અને પ્રભાતનો નવો અર્થ કરે છે. કાવ્યમાં આમ નવો અર્થ અર્પવાની શક્તિ એટલી વિશાલ અને વૈવિધ્યવાળી છે કે એક ને એક શબ્દોમાંથી ભિન્ન પ્રકરણમાં કે સંદર્ભમાં વિરોધી અર્થો પ્રતીત થતા લાગે. પણ એમ હોય ત્યાં પણ એ અર્થો, એ શબ્દવાચ્ય વસ્તુના વાસ્તવિક અનુભવજન્ય અર્થપિંડમાંથી ઉત્થિત થયેલા હોય છે. દાખલા તરીકે કુમારસંભવમાં યુવાન બટુક રૂપે ઉપસ્થિત થયેલ શંકર, ઉમાને શંકરને વરવાના સંકલ્પમાંથી નિવારવા કહે છે : | રાતમાં માણસ નિશ્ચેષ્ટ હોય છે, પ્રભાતે તે સ્ફૂર્તિમય બને છે, એ વાસ્તવિક જગતનો અનુભવ છે, અને એ અનુભવ સચેત થઈ રાત અને પ્રભાતનો નવો અર્થ કરે છે. કાવ્યમાં આમ નવો અર્થ અર્પવાની શક્તિ એટલી વિશાલ અને વૈવિધ્યવાળી છે કે એક ને એક શબ્દોમાંથી ભિન્ન પ્રકરણમાં કે સંદર્ભમાં વિરોધી અર્થો પ્રતીત થતા લાગે. પણ એમ હોય ત્યાં પણ એ અર્થો, એ શબ્દવાચ્ય વસ્તુના વાસ્તવિક અનુભવજન્ય અર્થપિંડમાંથી ઉત્થિત થયેલા હોય છે. દાખલા તરીકે કુમારસંભવમાં યુવાન બટુક રૂપે ઉપસ્થિત થયેલ શંકર, ઉમાને શંકરને વરવાના સંકલ્પમાંથી નિવારવા કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>किमित्यपास्याभरणानि यौवने | {{Block center|'''<poem>किमित्यपास्याभरणानि यौवने | ||
धृतं त्वया वार्धकशोभि वल्कलम् । | धृतं त्वया वार्धकशोभि वल्कलम् । | ||
वद प्रदोषे स्फुट चन्द्रतारका | वद प्रदोषे स्फुट चन्द्रतारका | ||
विभावरी यद्यरुणाय कल्पते ।। | विभावरी यद्यरुणाय कल्पते ।। | ||
{{right|(કુમારસંભવ ૫, ૪૪)}}</poem>}} | {{right|(કુમારસંભવ ૫, ૪૪)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘યૌવનકાલમાં આભરણો તજીને આ ઘડપણને શોભે તેવું વલ્કલ કેમ ધારે છે?’ અને પૂછે છે કે ‘સાંજે સ્ફુટચન્દ્રતારાવાળી રાત્રિ તે શું સવારને યોગ્ય ગણાય?’ સાંજ વખતે સ્ફુટચન્દ્રતારકોવાળી રાત્રિ ઉપરથી તો લોકો એવી આશા બાંધે કે માઝમ રાતે અદ્ભુત દૈદીપ્યમાન ઝાકઝમાળ રાત્રિનું દર્શન થશે, તેને બદલે આ તો જાણે સાંજ પછી તરત જ સવાર પડ્યા જેવું થાય છે, જ્યારે ચંદ્રતારા ઝાંખા પડી ગયા હોય, અને રાત્રિ ફિક્કી થઈ ગઈ હોય. | ‘યૌવનકાલમાં આભરણો તજીને આ ઘડપણને શોભે તેવું વલ્કલ કેમ ધારે છે?’ અને પૂછે છે કે ‘સાંજે સ્ફુટચન્દ્રતારાવાળી રાત્રિ તે શું સવારને યોગ્ય ગણાય?’ સાંજ વખતે સ્ફુટચન્દ્રતારકોવાળી રાત્રિ ઉપરથી તો લોકો એવી આશા બાંધે કે માઝમ રાતે અદ્ભુત દૈદીપ્યમાન ઝાકઝમાળ રાત્રિનું દર્શન થશે, તેને બદલે આ તો જાણે સાંજ પછી તરત જ સવાર પડ્યા જેવું થાય છે, જ્યારે ચંદ્રતારા ઝાંખા પડી ગયા હોય, અને રાત્રિ ફિક્કી થઈ ગઈ હોય. | ||
| Line 76: | Line 76: | ||
“બારમે વરસે કલિને તક મળી. લઘુશંકા કરી આવીને નળે મોં ધોયું પણ પગ પોયા વિના તે સંધ્યા કરવા બેઠો અને ત્યાં કલિએ પ્રવેશ કર્યો.” પ્રેમાનંદ આ વાત જરા ફેરવીને કહે છે : | “બારમે વરસે કલિને તક મળી. લઘુશંકા કરી આવીને નળે મોં ધોયું પણ પગ પોયા વિના તે સંધ્યા કરવા બેઠો અને ત્યાં કલિએ પ્રવેશ કર્યો.” પ્રેમાનંદ આ વાત જરા ફેરવીને કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>એક દિવસ નળ ભૂપાળ, મગાવ્યું જળ થયો સંધ્યાકાળ, | {{Block center|'''<poem>એક દિવસ નળ ભૂપાળ, મગાવ્યું જળ થયો સંધ્યાકાળ, | ||
રહી પાહાની કોરડી ધોતાં પાગ, કલિ પામ્યો પેઠાનો લાગ. | રહી પાહાની કોરડી ધોતાં પાગ, કલિ પામ્યો પેઠાનો લાગ. | ||
સંધ્યાવંદન કીધું રાજન, પ્રવેશ કળિનો થયો તે સ્થાન. | સંધ્યાવંદન કીધું રાજન, પ્રવેશ કળિનો થયો તે સ્થાન. | ||
{{right|(નળાખ્યાન : કડવું ૨૮)}}</poem>}} | {{right|(નળાખ્યાન : કડવું ૨૮)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રેમાનંદના વાસ્તવિક જગતમાં લઘુશંકા કરી મોં અને પગ ધોવાનો રિવાજ નહોતો, એ હકીકત ભાવને માટે નિરર્થક નીકળી, તો તેણે એ છોડી દીધી, અને શૌચનો ચમત્કાર વધારવા પગ તો ધોયા પણ પાની જરાક કોરી રહી ગઈ તેમાં કલિએ પ્રવેશ કર્યો એવી હકીકત મૂકી. હવે અત્યારે આવી રીતે કશું થઈ જવાથી આટલું ભયંકર પરિણામ આવી જાય એવું આપણે માનતા નથી. પણ આપણે પણ માનીએ છીએ કે જે કામ કરવું તે સંપૂર્ણ કરવું જોઈએ, અને ઘણાં કામમાં ક્યાંક પણ ખામી રહી જવાથી, જરાક પણ પ્રમાદ થઈ જવાથી ઘણાં માઠાં પરિણામ આવે છે. એના પ્રતીક તરીકે આપણે પાની કોરી રહી જવાની દંતકથા સ્વીકારી શકીએ. જેમ માણસ પોતે જે કાર્ય ન કરે, તે કાર્ય પણ બીજો કરે એમ સમજી શકે છે, તેમ જ પોતે જે ન માને તે પણ બીજો માને એ સમજી શકે. હું અમુક પરિસ્થિતિમાં કોઈનું ગળું કાપું એ મારે માટે અશક્ય હોય, છતાં કોઈ બીજો માણસ એમ કરી નાખે, એ જેમ સમજી શકું, તેમ જ કોઈ પાત્ર એમ કરે એ પણ સમજી શકું. અને જેમ ગળું કાપવું એ વ્યક્તિની ક્રિયા છે, તેમ જ અમુક માનવું એ પણ વ્યક્તિની જ ક્રિયા છે. અને આપણે માની શકીએ કે તે વખતના આર્યો એમ માનતા કે શૌચમાં કોઈ ખામી રહી જાય તો તેથી અનિષ્ટને તક મળે છે. આ રીતે અત્યારે પણ નળાખ્યાનની આ હકીકત આપણા ખાદ્યમાં કાંગડું જેવી નથી રહેતી. ચર્વણમાં આવી એ પણ એકરસ થાય છે. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ શાસ્ત્રીય રીતે સ્પષ્ટ થતાં, એ સ્પષ્ટ થયા પહેલાંનો ભાવ અવશ્ય બદલાય જ એવું બનતું નથી. જમણા હાથ વિશેની શારીરિક હકીકત ધ્યાનમાં આવતાં એ વિશેનો જૂનો ભાવ ખસી જતો નથી. બહેન-ભાઈના સંબંધનો ખુલાસો સમાજશાસ્ત્રથી થતાં બહેન-ભાઈનો પવિત્ર ભાવ અસ્ત થતો નથી. પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ, બાળકો તરફનું વાત્સલ્ય, એ માત્ર પ્રજાતંતુ ચલાવવાની કુદરતની જુદી જુદી તરકીબો છે એમ માનતાં તે ભાવો શૂન્યત્વ પામતા નથી. અર્થાત્ વિજ્ઞાનની પ્રગતિથી વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ વધારે ચોક્કસ થતાં, તે તરફનો જૂનો ભાવ અવશ્ય બંધ પડે એમ બનતું નથી. | પ્રેમાનંદના વાસ્તવિક જગતમાં લઘુશંકા કરી મોં અને પગ ધોવાનો રિવાજ નહોતો, એ હકીકત ભાવને માટે નિરર્થક નીકળી, તો તેણે એ છોડી દીધી, અને શૌચનો ચમત્કાર વધારવા પગ તો ધોયા પણ પાની જરાક કોરી રહી ગઈ તેમાં કલિએ પ્રવેશ કર્યો એવી હકીકત મૂકી. હવે અત્યારે આવી રીતે કશું થઈ જવાથી આટલું ભયંકર પરિણામ આવી જાય એવું આપણે માનતા નથી. પણ આપણે પણ માનીએ છીએ કે જે કામ કરવું તે સંપૂર્ણ કરવું જોઈએ, અને ઘણાં કામમાં ક્યાંક પણ ખામી રહી જવાથી, જરાક પણ પ્રમાદ થઈ જવાથી ઘણાં માઠાં પરિણામ આવે છે. એના પ્રતીક તરીકે આપણે પાની કોરી રહી જવાની દંતકથા સ્વીકારી શકીએ. જેમ માણસ પોતે જે કાર્ય ન કરે, તે કાર્ય પણ બીજો કરે એમ સમજી શકે છે, તેમ જ પોતે જે ન માને તે પણ બીજો માને એ સમજી શકે. હું અમુક પરિસ્થિતિમાં કોઈનું ગળું કાપું એ મારે માટે અશક્ય હોય, છતાં કોઈ બીજો માણસ એમ કરી નાખે, એ જેમ સમજી શકું, તેમ જ કોઈ પાત્ર એમ કરે એ પણ સમજી શકું. અને જેમ ગળું કાપવું એ વ્યક્તિની ક્રિયા છે, તેમ જ અમુક માનવું એ પણ વ્યક્તિની જ ક્રિયા છે. અને આપણે માની શકીએ કે તે વખતના આર્યો એમ માનતા કે શૌચમાં કોઈ ખામી રહી જાય તો તેથી અનિષ્ટને તક મળે છે. આ રીતે અત્યારે પણ નળાખ્યાનની આ હકીકત આપણા ખાદ્યમાં કાંગડું જેવી નથી રહેતી. ચર્વણમાં આવી એ પણ એકરસ થાય છે. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ શાસ્ત્રીય રીતે સ્પષ્ટ થતાં, એ સ્પષ્ટ થયા પહેલાંનો ભાવ અવશ્ય બદલાય જ એવું બનતું નથી. જમણા હાથ વિશેની શારીરિક હકીકત ધ્યાનમાં આવતાં એ વિશેનો જૂનો ભાવ ખસી જતો નથી. બહેન-ભાઈના સંબંધનો ખુલાસો સમાજશાસ્ત્રથી થતાં બહેન-ભાઈનો પવિત્ર ભાવ અસ્ત થતો નથી. પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ, બાળકો તરફનું વાત્સલ્ય, એ માત્ર પ્રજાતંતુ ચલાવવાની કુદરતની જુદી જુદી તરકીબો છે એમ માનતાં તે ભાવો શૂન્યત્વ પામતા નથી. અર્થાત્ વિજ્ઞાનની પ્રગતિથી વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ વધારે ચોક્કસ થતાં, તે તરફનો જૂનો ભાવ અવશ્ય બંધ પડે એમ બનતું નથી. | ||
| Line 85: | Line 85: | ||
બર્નાર્ડ શૉ કહે છે : “ઈશ્વર કદાચ સ્વર્ગમાં બેઠો હશે, પણ આ દુનિયા તો રેઢિયાળમાં રેઢિયાળ છે.” આ ભાવ ગૉર્કીએ પોતાના એક કાવ્યમાં કહેલો છે. શ્રી ઉમાશંકરના એ કાવ્યના અનુવાદની છેલ્લી કડી ઉતારું છું : | બર્નાર્ડ શૉ કહે છે : “ઈશ્વર કદાચ સ્વર્ગમાં બેઠો હશે, પણ આ દુનિયા તો રેઢિયાળમાં રેઢિયાળ છે.” આ ભાવ ગૉર્કીએ પોતાના એક કાવ્યમાં કહેલો છે. શ્રી ઉમાશંકરના એ કાવ્યના અનુવાદની છેલ્લી કડી ઉતારું છું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>તેં તો એને ગગનબોડમાં ફેંકી’તી કો દગડ સમી, | {{Block center|'''<poem>તેં તો એને ગગનબોડમાં ફેંકી’તી કો દગડ સમી, | ||
મેં એમાંથી દેખ આજ શી ઘડિયલ રત્નકણી કીમતી. | મેં એમાંથી દેખ આજ શી ઘડિયલ રત્નકણી કીમતી. | ||
દેખ અને થા ખુશ ઈશ, જો સૂર્યકિરણમાં શી ચળકે. | દેખ અને થા ખુશ ઈશ, જો સૂર્યકિરણમાં શી ચળકે. | ||
| Line 91: | Line 91: | ||
{{gap|3em}}માત્ર... અરે ના... નહીં બને એ. | {{gap|3em}}માત્ર... અરે ના... નહીં બને એ. | ||
{{gap|3em}}મને જ ખૂબ ગમી ગઈ છે એ. | {{gap|3em}}મને જ ખૂબ ગમી ગઈ છે એ. | ||
{{right|(નિશીથ, પૃ. ૮૫)}}</poem>}} | {{right|(નિશીથ, પૃ. ૮૫)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવી માન્યતા અને ભાવ થતાં પણ મેટરલિંકની સાકરની દેવતાની કલ્પના અર્થહીન થતી નથી. એ કાવ્યમાં વ્યક્ત થતા વિશ્વંભરત્વનો નવો વિનિયોગ એવો થાય કે આ જગત બાળકો માટે કલ્પતરુ જેવું થવું જોઈએ. ખાવા જેવી બાબતમાં બિચારાં બાળકોને ટળવળવું પડે ત્યાં સુધી આપણો પુરુષાર્થ અધૂરો છે. અને જગતની આવી વસ્તુઓ, આ નાટકનાં બાળકો જેવાં દીનહીન બાળકોને પણ સુલભ થાય ત્યાં સુધી જગતની ઉત્પાદનશક્તિ વધારવી જોઈએ. આ પ્રમાણે ગત જમાનાની કેટલીક સમજણ અને માન્યતા બદલાતાં પણ કાવ્ય ટકી રહે છે, અને એને નવા જમાનાને કંઈક કહેવાનું રહે છે. માટે જ જમાને જમાને નવાં વિવેચનો થવાં જોઈએ. ક્ષણે ક્ષણે નવતા પામતી રમણીયતાને યુગે યુગે નવું નવું કહેવાનું હોય છે. | આવી માન્યતા અને ભાવ થતાં પણ મેટરલિંકની સાકરની દેવતાની કલ્પના અર્થહીન થતી નથી. એ કાવ્યમાં વ્યક્ત થતા વિશ્વંભરત્વનો નવો વિનિયોગ એવો થાય કે આ જગત બાળકો માટે કલ્પતરુ જેવું થવું જોઈએ. ખાવા જેવી બાબતમાં બિચારાં બાળકોને ટળવળવું પડે ત્યાં સુધી આપણો પુરુષાર્થ અધૂરો છે. અને જગતની આવી વસ્તુઓ, આ નાટકનાં બાળકો જેવાં દીનહીન બાળકોને પણ સુલભ થાય ત્યાં સુધી જગતની ઉત્પાદનશક્તિ વધારવી જોઈએ. આ પ્રમાણે ગત જમાનાની કેટલીક સમજણ અને માન્યતા બદલાતાં પણ કાવ્ય ટકી રહે છે, અને એને નવા જમાનાને કંઈક કહેવાનું રહે છે. માટે જ જમાને જમાને નવાં વિવેચનો થવાં જોઈએ. ક્ષણે ક્ષણે નવતા પામતી રમણીયતાને યુગે યુગે નવું નવું કહેવાનું હોય છે. | ||