34,174
edits
(+1) |
(+1) |
||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી વાચકવર્ગને આ નાટકોનો પરિચય કરાવતાં મને આનંદ થાય છે. આ નાટકો અનેક રીતે આપણા મર્યાદિત નાટકસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન લે છે. અને તેનું કારણ તે એકાંકી છે, કે ગદ્યમાં લખાયાં છે એ નથી. એ વાત હવે આપણા સાહિત્યમાં નવી નથી રહી પણ તે સાચેસાચું ગામડાનું વાતાવરણ અને ગામડાનું જીવન રજૂ કરે છે એ છે. આપણામાં ગામડા સંબંધી સાહિત્ય છે. પણ તેમાંનું ઘણું, ગામડું તો આવું હોય કે તેવું હોય, ગામડું તો સુંદર હોય, નિર્દોષ હોય, તંદુરસ્તીવાળું હોય વગેરે માની લીધેલા પૂર્વગ્રહો ઉપરથી લખાયેલું છે. તેમાં ગામડાનું સાચું ચિત્ર હોતું નથી. તેમાં ઘણું તલ્લીન થયા વિના તટસ્થ રહી, જાણે ગામડાની સુંદરતાની કદર કરવાની લાગણીમાં, અથવા ગામડા તરફની દયાની લાગણીમાં કે તેની નિર્દોષતાના સમભાવમાં રાચવા માટે મનને હઠથી પ્રેરીને લખ્યું હોય તેમ જણાય છે. શ્રી ઉમાશંકરે ગામડું જોયું છે. તેની સાચી સ્થિતિ તેઓ સમજ્યા છે, અને તેનું તેમણે સમભાવ અને વિચારપૂર્વક નિદાન કરેલું છે. તેમ કરવામાં તેમને જે રહસ્ય જણાયું તેને તેમણે નાટક દ્વારા મૂર્ત કરેલું છે. | ગુજરાતી વાચકવર્ગને આ નાટકોનો પરિચય કરાવતાં મને આનંદ થાય છે. આ નાટકો અનેક રીતે આપણા મર્યાદિત નાટકસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન લે છે. અને તેનું કારણ તે એકાંકી છે, કે ગદ્યમાં લખાયાં છે એ નથી. એ વાત હવે આપણા સાહિત્યમાં નવી નથી રહી પણ તે સાચેસાચું ગામડાનું વાતાવરણ અને ગામડાનું જીવન રજૂ કરે છે એ છે. આપણામાં ગામડા સંબંધી સાહિત્ય છે. પણ તેમાંનું ઘણું, ગામડું તો આવું હોય કે તેવું હોય, ગામડું તો સુંદર હોય, નિર્દોષ હોય, તંદુરસ્તીવાળું હોય વગેરે માની લીધેલા પૂર્વગ્રહો ઉપરથી લખાયેલું છે. તેમાં ગામડાનું સાચું ચિત્ર હોતું નથી. તેમાં ઘણું તલ્લીન થયા વિના તટસ્થ રહી, જાણે ગામડાની સુંદરતાની કદર કરવાની લાગણીમાં, અથવા ગામડા તરફની દયાની લાગણીમાં કે તેની નિર્દોષતાના સમભાવમાં રાચવા માટે મનને હઠથી પ્રેરીને લખ્યું હોય તેમ જણાય છે. શ્રી ઉમાશંકરે ગામડું જોયું છે. તેની સાચી સ્થિતિ તેઓ સમજ્યા છે, અને તેનું તેમણે સમભાવ અને વિચારપૂર્વક નિદાન કરેલું છે. તેમ કરવામાં તેમને જે રહસ્ય જણાયું તેને તેમણે નાટક દ્વારા મૂર્ત કરેલું છે. | ||
આવાં નાટકોનાં ઘણાંખરાં દૃશ્યો ગામડાનાં જ હોય એ સ્વાભાવિક છે. પણ તે પણ શહેરના લોકો અવાસ્તવિક દૃષ્ટિએ ગામડાંનાં જે સ્થાનો કવિતામય કે કલ્પનાને ઉડાડનારાં ગણે છે, તેવાં નથી. ગામડાની ખરેખર હંમેશની અને સાધારણ રીતે મળી આવતી સ્થિતિ તેમાં બતાવેલી છે. દાખલા તરીકે પહેલા નાટક ‘સાપના ભારા’નું પડદો ઉઘાડતાનું દૃશ્ય જુઓ. | આવાં નાટકોનાં ઘણાંખરાં દૃશ્યો ગામડાનાં જ હોય એ સ્વાભાવિક છે. પણ તે પણ શહેરના લોકો અવાસ્તવિક દૃષ્ટિએ ગામડાંનાં જે સ્થાનો કવિતામય કે કલ્પનાને ઉડાડનારાં ગણે છે, તેવાં નથી. ગામડાની ખરેખર હંમેશની અને સાધારણ રીતે મળી આવતી સ્થિતિ તેમાં બતાવેલી છે. દાખલા તરીકે પહેલા નાટક ‘સાપના ભારા’નું પડદો ઉઘાડતાનું દૃશ્ય જુઓ. | ||
| Line 14: | Line 13: | ||
અંબા : (રોતી રોતી) ધની પણ મૂઈ કાલ રાતે મને કહે કે શીરાના કોળિયામાં કાચ ખવડાવી દ્યો એટલે બચી ગ્યાં! (આંસુથી એના અવાજમાં થડકારો રહે છે) પણ.... | અંબા : (રોતી રોતી) ધની પણ મૂઈ કાલ રાતે મને કહે કે શીરાના કોળિયામાં કાચ ખવડાવી દ્યો એટલે બચી ગ્યાં! (આંસુથી એના અવાજમાં થડકારો રહે છે) પણ.... | ||
દોલત : (આખરી નિશ્ચય સુણાવતો) પણ ને બણ!... મારી ને તારી સાતે પેઢીઓ બોળવી છે કે શું? આ હું તો હીંડ્યો! રાતે આવીશ ને બધું પૂરું નહિ કર્યું હોય તો એ મેનડીને ને તને બેયને ખાઈ જઈશ! આ દોલો બગડ્યો એટલે કોઈનો નહિ હો! | દોલત : (આખરી નિશ્ચય સુણાવતો) પણ ને બણ!... મારી ને તારી સાતે પેઢીઓ બોળવી છે કે શું? આ હું તો હીંડ્યો! રાતે આવીશ ને બધું પૂરું નહિ કર્યું હોય તો એ મેનડીને ને તને બેયને ખાઈ જઈશ! આ દોલો બગડ્યો એટલે કોઈનો નહિ હો! | ||
{{gap}}(ચાલતો થાય છે.) | |||
અંબા : ભાઈ! મને મારીને જવું હોય તો જા! | અંબા : ભાઈ! મને મારીને જવું હોય તો જા! | ||
[દોલતરામ પાછો આવે છે. નીચો નમી હાથનો પંજો અંબાબાઈના નાકની નજીક લાવી વહેરવાનો અભિનય કરે છે.] | [દોલતરામ પાછો આવે છે. નીચો નમી હાથનો પંજો અંબાબાઈના નાકની નજીક લાવી વહેરવાનો અભિનય કરે છે.] | ||