નારીસંપદાઃ વિવેચન/રામાયણઃ મૂળ કૃતિ સંદર્ભે મીમાંસા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|૫૩. 'રામાયણ' મૂળ કૃતિ સંદર્ભે મીમાંસા|સેજલ શાહ}}
{{Heading|૫૩. 'રામાયણ' મૂળ કૃતિ સંદર્ભે મીમાંસા|સેજલ શાહ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
"સાહિત્યકૃતિ સ્વાયત્ત, સ્વયંપર્યાપ્ત, નૈસર્ગિક અવયવી જેવી અને અંતર્વ્યાપ્ત અર્થની ધારક હોય છે, એમ કહેવું બરાબર નથી...!'૧
“સાહિત્યકૃતિ સ્વાયત્ત, સ્વયંપર્યાપ્ત, નૈસર્ગિક અવયવી જેવી અને અંતર્વ્યાપ્ત અર્થની ધારક હોય છે, એમ કહેવું બરાબર નથી...!”૧
કૃતિના અર્થના ઉઘાડનાં નિમિત્તો હોય છે, આ નિમિત્તોને કારણે અર્થવિશ્વના નવા અવકાશ અને પરિણામને પ્રાપ્ત કરવાની જવાબદારી વાચકની હોય છે. વાચકની ભાગીદારી વિના અર્થસંકેત શૂન્ય છે. અહીં વાચકની શક્તિપરીક્ષા થાય છે. કૃતિને પામવા માટે ભાવકનું કૃતિવાચન કઈ પદ્ધતિનું છે, તે મહત્ત્વનું છે. આગળનાં પ્રકરણોમાં આપણે 'કૃતિ' સંજ્ઞા અને 'આંતરકૃતિત્વ' ક્રિયા વિશે સ્પષ્ટતા મેળવી અને કોઈ એક કૃતિને વાંચવા માટેની આ પદ્ધતિ, તે કૃતિના અનેક સંદર્ભ/સંકેતોને કઈ રીતે ઉજાગર કરી શકે તેનો આલેખ જોયો. આવનારાં બે પ્રકરણોમાં આ વાચનની પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, સંકેતોના ઉઘાડની વિવેચનાત્મક પદ્ધતિનો ઉપયોગ કઇ રીતે કરી શકાય એ સંકેતોના ઉઘાડની વિવેચનાત્મક પદ્ધતિના પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા જોઈશું.
કૃતિના અર્થના ઉઘાડનાં નિમિત્તો હોય છે, આ નિમિત્તોને કારણે અર્થવિશ્વના નવા અવકાશ અને પરિણામને પ્રાપ્ત કરવાની જવાબદારી વાચકની હોય છે. વાચકની ભાગીદારી વિના અર્થસંકેત શૂન્ય છે. અહીં વાચકની શક્તિપરીક્ષા થાય છે. કૃતિને પામવા માટે ભાવકનું કૃતિવાચન કઈ પદ્ધતિનું છે, તે મહત્ત્વનું છે. આગળનાં પ્રકરણોમાં આપણે 'કૃતિ' સંજ્ઞા અને 'આંતરકૃતિત્વ' ક્રિયા વિશે સ્પષ્ટતા મેળવી અને કોઈ એક કૃતિને વાંચવા માટેની આ પદ્ધતિ, તે કૃતિના અનેક સંદર્ભ/સંકેતોને કઈ રીતે ઉજાગર કરી શકે તેનો આલેખ જોયો. આવનારાં બે પ્રકરણોમાં આ વાચનની પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, સંકેતોના ઉઘાડની વિવેચનાત્મક પદ્ધતિનો ઉપયોગ કઇ રીતે કરી શકાય એ સંકેતોના ઉઘાડની વિવેચનાત્મક પદ્ધતિના પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા જોઈશું.
પ્રત્યેક કાળે સર્જક જમાનાની મહાન કૃતિ અને તેના કથાવસ્તુથી આકર્ષાયો છે. ભારતીય સાહિત્યને રામાયણ-મહાભારતે, ગ્રીકને 'ઈડિપસે', અંગ્રેજી સાહિત્યને શેક્સપિયરે સતત આકર્ષ્યા છે. કોઈ પણ કૃતિ ફરીથી એની એ જ વાતો પુનરાવર્તીત કરવા રચાતી નથી. કૃતિ, આવી કંઈક ખ્યાત ઘટના/પાત્રો લઈ પોતાની નવી ભૂમિ વિકસાવે છે, સાથે કૃતિના વાચન અંગેની અનેક નવી વિચારણા વિકસે છે, તે અંગે આપણે આગળનાં પ્રકરણોમાં ચર્ચા કરી. આ વાચન અંગેની તત્કાલીન વિચારણામાં બાર્થની વિચારણાનું આગવું મહત્ત્વ છે. આ સંદર્ભમાં બાર્થે બે સંજ્ઞા આપી છે.
પ્રત્યેક કાળે સર્જક જમાનાની મહાન કૃતિ અને તેના કથાવસ્તુથી આકર્ષાયો છે. ભારતીય સાહિત્યને રામાયણ-મહાભારતે, ગ્રીકને 'ઈડિપસે', અંગ્રેજી સાહિત્યને શેક્સપિયરે સતત આકર્ષ્યા છે. કોઈ પણ કૃતિ ફરીથી એની એ જ વાતો પુનરાવર્તીત કરવા રચાતી નથી. કૃતિ, આવી કંઈક ખ્યાત ઘટના/પાત્રો લઈ પોતાની નવી ભૂમિ વિકસાવે છે, સાથે કૃતિના વાચન અંગેની અનેક નવી વિચારણા વિકસે છે, તે અંગે આપણે આગળનાં પ્રકરણોમાં ચર્ચા કરી. આ વાચન અંગેની તત્કાલીન વિચારણામાં બાર્થની વિચારણાનું આગવું મહત્ત્વ છે. આ સંદર્ભમાં બાર્થે બે સંજ્ઞા આપી છે.