સૌરાષ્ટ્રની રસધાર-4/બાળાપણની પ્રીત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(6 intermediate revisions by the same user not shown)
Line 30: Line 30:
<poem>
<poem>
<Center>
<Center>
'''1જંતર ઝાલ્યું હાથ, ભાંચળિયે ભાંગતી રાત્યનું,'''
'''<ref>બીજો પાઠ : જંતર વાયું જે, આંગણિયે આવીને,
કાળજ કરવતીએ, વાઢી ગિયો વિજાણંદો.</ref>'''જંતર ઝાલ્યું હાથ, ભાંચળિયે ભાંગતી રાત્યનું,'''
'''સાથ લે સંગાથ, વાઢેલ સઢ વિજાણંદે.'''
'''સાથ લે સંગાથ, વાઢેલ સઢ વિજાણંદે.'''
</poem>
</poem>
Line 228: Line 229:
જવાબમાં જાણે હિમાલય સામા હોકારા દેવા લાગ્યો : “બેટા, તું બાળકુંવારી કહેવાય. એકલું આંહીં કોઈ ઓગળી શકે નહિ, અને તારા અંતરમાં બીજું માનવી બેઠું છે! જા બાપ, પરણીને પછી બેલડીએ ગળવા આવજે.”
જવાબમાં જાણે હિમાલય સામા હોકારા દેવા લાગ્યો : “બેટા, તું બાળકુંવારી કહેવાય. એકલું આંહીં કોઈ ઓગળી શકે નહિ, અને તારા અંતરમાં બીજું માનવી બેઠું છે! જા બાપ, પરણીને પછી બેલડીએ ગળવા આવજે.”
“હવે તો પાછી ફરી રહી! પાછી જઈને ક્યાં ગોતું? પંથભૂલ્યો એ જંતરવાળો હવે મને ક્યાં ભેટે? હે બાપ! રામચંદ્રજીએ જાનકીજીની પૂતળી કરીને જગન-ટાણે પડખે બેસાડેલી : તો હુંય મારા સંકલ્પના સ્વામીનું પૂતળું કરીને આંહીં જ પરણી લઉં છું.”
“હવે તો પાછી ફરી રહી! પાછી જઈને ક્યાં ગોતું? પંથભૂલ્યો એ જંતરવાળો હવે મને ક્યાં ભેટે? હે બાપ! રામચંદ્રજીએ જાનકીજીની પૂતળી કરીને જગન-ટાણે પડખે બેસાડેલી : તો હુંય મારા સંકલ્પના સ્વામીનું પૂતળું કરીને આંહીં જ પરણી લઉં છું.”
{{Poem2Close}}
<poem>
<Center>
'''હેમાળે શેણીનાં હાડ, ગળિયાં નવ ગાળ્યે,'''
'''(પછી) કાસનાં પૂતળ કરે, પરાણે પરણી ઊતર્યાં.'''
</poem>
</Center>
{{Poem2Open}}
કાસ’ અર્થાત્ દર્ભનું પૂતળું કરીને શેણીએ એમાં વહાલા વિજાણંદનો સંકલ્પ મૂક્યો. પૂતળાને પોતાની ગોદમાં બેસાડીને અગ્નિના કુંડ સરીખા એ શિખરને ચાર આંટા દીધા અને પછી પૂતળાને ખોળામાં લઈ શેણી બરફમાં બેસી ગઈ. આગ લાગી હોય તેવી રીતે અંગ ઓગળવા લાગ્યું. પગમાંથી લોહી શોષાય છે. ઘડી પહેલાં જે પગમાંથી કંકુવરણી કાંતિ ફૂટતી હતી, તે પગ શ્યામ પડી ગયા, પગમાંથી પ્રાણ જાતા રહ્યા. જોતજોતામાં તો ગોઠણ સુધીનાં હાડકાં પણ ગળીને પાણી થઈ ગયાં. ત્યાં તો ડુંગરનાં છેટાં છેટાં શિખરોમાંથી ‘શેણી! શેણી! શેણી!’ એવા શબ્દો સંભળાણા.
‘અરે, આ મારા નામના સાદ કોણ દ્યે છે?’
‘ફટ રે ફટ જીવ! હજુયે એના ભણકારા! હે અભાગિયા જીવ! હવે ચીંથરાં ન ફાડ.’
ત્યાં તો ફરી વાર ‘શેણી! શેણી! શેણી!’ એવા સાદ ઢૂકડા સંભળાણા.
“શેણી! શેણી! શેણી!” — સાદ ઢૂકડા ને ઢૂકડા આવવા લાગ્યા અને સામે ડુંગરા પડઘા દેવા લાગી પડ્યા : ‘શેણી! શેણી! શેણી!’
કામળી સંકોડીને શેણીએ બરફની ભેખડોમાંથી સામે જવાબ વાળ્યો : “હાલ્યો આવ! હાલ્યો આવ! હાલ્યો આવ!”
અવાજને એંધાણે એંધાણે એક આદમી દોડ્યો આવે છે. પથરામાં ઠોકરો ખાતો, પડતો, લોહીલુહાણ થતો, ને છતાં પણ પાછો ઊઠીને કાયા ખંખેરી દોડતો, ભર્યે શ્વાસે ચાલ્યો આવે છે. મોંમાં ‘શેણી! શેણી! શેણી!’ સિવાય બીજો શબ્દ નથી.
બરફની ઊંચી દીવાલોવાળા એ ગાળામાંથી, ઝાંખે ઝાંખે અજવાળે જેમ કોઈ બે ઓળા પડ્યા હોય તેમ બંનેએ એકબીજાને નિહાળ્યાં; જંતરવાળો જુવાન નીચે ભેખડ ઉપર : અને હાડગાળતી શેણી ઊંચે બરફના કુંડમાં.
દૂબળા પડી ગયેલા અવાજે શેણી બોલી : “ચારણ! આવી પહોંચ્યો?”
“પહોંચ્યો છું, મારા પ્રાણ! એક જ દિવસનું મોડું થયું. પણ તારા બાપને એકસો ને એક પૂરી નવચંદરિયું ગણી દીધી છે, શેણી! હવે હાલો હાલો, ઓઝતને કાંઠે ખોરડાં કરીએ.”
“હવે તો વૈતરણીને કાંઠે ખોરડાં કરશું, વહાલા!”
“શેણી! ઓ શેણી! શું થયું?”
ઉપરથી પડછાયો બોલે છે :
{{Poem2Close}}
<poem>
<Center>
{{Poem2Open}}
'''હાડાં હેમાળે, ગળિયાં જે ગૂડા લગે,'''
'''વિજાણંદ વળે, ઘણમૂલા જાને ઘરે.'''
</poem>
</Center>
{{Poem2Open}}
[હે મહામૂલા વિજાણંદ, મારાં હાડકાં ગોઠણગોઠણ સુધી તો આ હિમાલયમાં ઓગળી ગયાં. માટે હવે તો, હે મહામૂલા વહાલા, તું પાછો વળીને ઘેર ચાલ્યો જા.]
“પગ ઓગળી ગયા? ફિકર નહિ! —”
{{Poem2Close}}
<poem>
<Center>
'''વળવળ વેદાની, (તું) પાંગળી હોય તોય પાળશું,'''
'''કાંધે કાવડ કરી, (તને) જાત્રા બધી જુવારશું.'''
</poem>
</Center>
{{Poem2Open}}
[ઊભી થા, પાછી વળ, ઓ વેદાની પુત્રી, તું લૂલી થઈ ગઈ હોઈશ તોપણ હું તને કાવડમાં બેસારી, મારી કાંધ પર ઉપાડી, અડસઠે તીર્થોની યાત્રા કરાવીશ. પાછી વળ, ઓ પ્રાણાધાર, પાછી વળ!”]
“ના, વિજાણંદ! હવે પાછી નહિ વળું —
{{Poem2Close}}
<poem>
<Center>
'''વળું તો રહું વાંઝણી, મૂવા ન પામું આગ,'''
'''આલુકો અવતાર, વણસાડ્યો વિજાણંદા!'''
</poem>
</Center>
{{Poem2Open}}
[હવે જો હું પાછી વળું, તો મારે તારી સાથે શરીરસંબંધ ન થઈ શકે, ને પુત્ર વિના મને મરતી વેળા કોણ અગ્નિ મૂકે? એટલે આવતો જન્મ પણ બગડે, માટે હવે આ એક જ જન્મ વણસ્યો તેટલું બસ છે.]
“પાછી વળ! પાછી વળ!” એવા પોકાર ઊઠ્યા.
“હવે હું તારા કામની નથી રહી, વિજાણંદ! કેમ કે હવે તો —
{{Poem2Close}}
<poem>
<Center>
'''ગળિયું અરધું ગાત્ર, અરધામાં અરધું રિયું,'''
'''હવે મસળતા હાથ, વિજાણંદ, પાછા વળો!”'''
</poem>
</Center>
{{Poem2Open}}
[હે વિજાણંદ, હવે તો મારું પોણા ભાગનું શરીર ગળી ગયું છે. હવે તું ફોગટ મહેનત કર્યા વિના પાછો વળી જા.]
ફરી વાર એ ધુમ્મસઘેરી ભેખડ પરથી દૂબળો અવાજ આવ્યો : “પણ ચારણ! છેલ્લી એક ઝંખના રહી ગઈ છે. મરતાં મરતાં એક વાર તારું જંતર સાંભળવું છે.
{{Poem2Close}}
<poem>
<Center>
'''વિજાણંદ, જંતર વગાડ, હેમાળો હલકું દિયે,'''
'''મોહ્યા માછલમાર, માછલિયું ટોળે વળે'''.
</poem>
</Center>
{{Poem2Open}}
“એક વાર બજાવી લે.”
ખંભેથી બીન ઉતારીને ચારણે ટેરવાં ફેરવ્યાં. ઝાંખે અજવાળે વાજિંત્રના સૂર રડવા લાગ્યા. અંધારું કંપી ઊઠ્યું. હિમાલય પહાડ હોંકારા દેવા લાગ્યો. દૂર દૂર નીચાણે સરોવરમાં જાળ નાખતા મચ્છીમારો થંભી ગયા, અને માછલીઓ એ ગીત સાંભળવા ટોળે મળીને પાણી ઉપર પોતાના ચળકતાં મોં રાખી ઊભી રહી.
વાજિંત્ર વાગે છે : અને ગીતને તાલે તાલે બરફમાંથી ‘રામ! રામ! રામ! રામ!’ એવા જાપ બોલાય છે. જાપ જપાતા રહ્યા ને જંતર બજતું રહ્યું. એક તરફથી રામનામના અવાજ ધીરા પડવા લાગ્યા. બીજી તરફથી જંતરના તાર વધુ ને વધુ જોરથી ઝણેણાટી દેવા લાગ્યા. આખરે રામનામના ઉચ્ચાર અટકી ગયા ને ભેખડ ઉપરથી એક ધડાકો થયો. બેભાન જંત્રીના હાથમાંથી જંતર નીચે પછડાયું.
{{Poem2Close}}
<poem>
<Center>
'''જંતર ભાંગ્યું જડ પડી, ત્રૂટ્યો મોભી ત્રાગ,'''
'''વેદાની શેણી હલ ગઈ, જંત્રી ન કાઢે રાગ.'''
</poem>
</Center>
{{Poem2Open}}
[વાજિંત્ર પટકાઈ ગયું. અંદર ચિરાડ પડી ગઈ. એનો મુખ્ય તાર તૂટી પડ્યો. વેદા ચારણની પુત્રી શેણીના પ્રાણ ચાલી નીકળ્યા; એટલે હવે વીણાનો બજાવનાર પણ સૂર કાઢતો અટકી ગયો.]
અને —
{{Poem2Close}}
<poem>
<Center>
'''ભૂખે ખાધું ભાત, પેટ ભરી પામર જીં,'''
'''શેણી જેવો સંગાથ, મેલીને વિજાણંદ વળ્યો.'''
</poem>
</Center>
{{Poem2Open}}
[શેણી જેવા સંગાથને હિમાલયમાં વળાવી વિજાણંદ ચારણ ખાલી હાથે પાછો વળ્યો. અને જીવતર ટક્યું ત્યાં સુધી પામર માનવીની પેઠે પોતાના ભૂખ્યા પેટને ભરતો રહ્યો.]
*
[કેટલાક ચારણો એમ કહે છે કે શેણીને વિજાણંદ ઉપર પ્રીતિ હોવાની વાત બનાવટી જ છે, શેણી તો જોગમાયાનો અવતાર હતી અને એણે તો પોતાના પિતાને બાલ્યાવસ્થાથી જ કહી રાખેલું કે ‘મારો સંબંધ કરશો જ નહિ’ તેથી પોતે વિજાણંદથી બચવા માટે જ હિમાલય નાસી ગયેલી.
મેં તો આ વાર્તામાં બંને પક્ષનો પ્રેમ હોવાની હકીકત સ્વીકારી છે, તે આ પ્રાચીન દુહાઓ પરથી. ન પરણવાનો નિશ્ચય હોવા છતાં પણ શેણીને વિજાણંદ પર વહાલ ઊપજ્યું, એ તો ઊલટું એની પ્રીતિની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરે છે. અને આવા પરમ પવિત્ર પ્રેમાવેશથી તો એનું સતીપણું અથવા જોગમાયાપણું ઊલટું વધુ ઉજ્જ્વળ બને છે. બીજી અનેક ચારણ સતીઓ પણ પરણેલી હતી જ.
ભાંચળિયા ચારણોને આજે પણ ભરવાડોના વિવાહ વખતે કોરી (પાવલી) મળે છે. તેઓ ભરવાડને જ માગે છે. લોકકથા એવી છે કે હિમાલયમાં વિજાણંદ પોતાની જોડે મરવા ન બેસી શક્યો તેથી શેણીએ શરાપ્યો કે “જા, ભરુ ભડકાવતો રે’જે.” બીજી લોકકથા એવી છે કે શેણીબાઈ સાથે હિમાલયમાં જવામાં ભેગો ખીમડ નામનો રાવળ હતો. તે પણ પાછો ફરી ગયો. એટલે શેણબાઈએ એને કહ્યું કે હે હૈયાફૂટા! ત્યારથી રાવળ બહુ ભુલકણા હોય છે. તેમનાં લગ્નોમાં ‘શેણી-ખીમડની ઘઉંની ઘૂઘરી’ વહેંચવાનો રિવાજ છે.]
[આ કથાના બધા દુહાઓ લેખકના પુસ્તક ‘સોરઠી ગીતકથાઓ’માં આપ્યા છે.]
--------------------------------------------------
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits