26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(11 intermediate revisions by the same user not shown) | |||
Line 23: | Line 23: | ||
આપણે ત્યાં એ સવાલ ઉત્પન્ન થયો છે કે આવી વાતોથી શું? એનો સમય હવે છે કે નહિ? આજે હવે ‘પાઘડિયાળા પુત્ર’ની વાત જંગલી મનાશે : એનો એક જ પ્રત્યુત્તર છે કે તમે એવું શું અદ્ભુત તત્ત્વ મેળવ્યું છે કે આ જંગલીપણામાંથી દૂર ખસવા માગો છો? ‘ક્રિસ્ટમસ કાર્ડ’ પાછળની ફૅશન જો ઘેલછા નથી મનાતી પણ સુધરેલી મનોદશા મનાય છે, તો થોડા ખર્ચે જીવનમાં ઉલ્લાસ પણ પૂરે ને આદર્શ પણ ઘડે એવી આ વ્રતકથાઓ શું ખોટી છે? | આપણે ત્યાં એ સવાલ ઉત્પન્ન થયો છે કે આવી વાતોથી શું? એનો સમય હવે છે કે નહિ? આજે હવે ‘પાઘડિયાળા પુત્ર’ની વાત જંગલી મનાશે : એનો એક જ પ્રત્યુત્તર છે કે તમે એવું શું અદ્ભુત તત્ત્વ મેળવ્યું છે કે આ જંગલીપણામાંથી દૂર ખસવા માગો છો? ‘ક્રિસ્ટમસ કાર્ડ’ પાછળની ફૅશન જો ઘેલછા નથી મનાતી પણ સુધરેલી મનોદશા મનાય છે, તો થોડા ખર્ચે જીવનમાં ઉલ્લાસ પણ પૂરે ને આદર્શ પણ ઘડે એવી આ વ્રતકથાઓ શું ખોટી છે? | ||
તરત જ જવાબ મળશે કે આપણો આદર્શ હવે એ પ્રમાણે રહી શકે : પુત્ર ને વહુ આવ્યાં એટલે જીવન જીત્યાં એ વાત આજે ચાલી ગઈ છે. | તરત જ જવાબ મળશે કે આપણો આદર્શ હવે એ પ્રમાણે રહી શકે : પુત્ર ને વહુ આવ્યાં એટલે જીવન જીત્યાં એ વાત આજે ચાલી ગઈ છે. | ||
પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શો ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારો : એની સામાજિક રીતે સમાલોચના કરો : એમાં વહેતું માનસ જુઓ : તંદુરસ્તીભર્યો વૈભવ નિહાળો : અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે. | પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શો ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારો : એની સામાજિક રીતે સમાલોચના કરો : એમાં વહેતું માનસ જુઓ : તંદુરસ્તીભર્યો વૈભવ નિહાળો : અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે.<ref>એમના એક પત્ર માંથી.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 231: | Line 231: | ||
::મારા છાણનો ચોકો થાય | ::મારા છાણનો ચોકો થાય | ||
::મારા ઘીનો દીવો બળે | ::મારા ઘીનો દીવો બળે | ||
::મારું દૂધ મહાદેવને ચડે | ::મારું દૂધ મહાદેવને ચડે<ref>‘આંબરડા-ફોફરડા’ વ્રતની અંદર આ પછીની આડંબરી અને કઠોર વૈરાગ્ય ભરી પંક્તિ ઓ અર્થ શૂન્ય અને અસંબદ્ધ લાગે છે. પેસી ગઈ હશે!</ref> | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 252: | Line 252: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
તુલસીમા તુલસીમા | ::તુલસીમા તુલસીમા | ||
વ્રત દ્યો, વરતોલા દ્યો. | ::વ્રત દ્યો, વરતોલા દ્યો. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 259: | Line 259: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
તમથી વ્રત થાય નહિ | ::તમથી વ્રત થાય નહિ | ||
ને વ્રતનો મહિમા પળાય નહિ. | ::ને વ્રતનો મહિમા પળાય નહિ. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 266: | Line 266: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
થાય તોય દ્યો | ::થાય તોય દ્યો | ||
નો થાય તોય દ્યો! | ::નો થાય તોય દ્યો! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 273: | Line 273: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
અષાઢ માસ આવે | ::અષાઢ માસ આવે | ||
અંજવાળી એકાદશી આવે | ::અંજવાળી એકાદશી આવે | ||
સાતે સર્યે સાતે ગાંઠે દોરો લેવો | ::સાતે સર્યે સાતે ગાંઠે દોરો લેવો | ||
નરણાં ભૂખ્યાં વાર્તા કહેવી, | ::નરણાં ભૂખ્યાં વાર્તા કહેવી, | ||
વાત ન કહીએ તો ઉપવાસ પડે. | ::વાત ન કહીએ તો ઉપવાસ પડે. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 283: | Line 283: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
પીપળાને પાન કહેવી | ::પીપળાને પાન કહેવી | ||
કુંવારીને કાન કહેવી | ::કુંવારીને કાન કહેવી | ||
તુલસીને ક્યારે કહેવી | ::તુલસીને ક્યારે કહેવી | ||
ઘીને તો દીવે કહેવી | ::ઘીને તો દીવે કહેવી | ||
બામણને વચને કહેવી | ::બામણને વચને કહેવી | ||
સૂરજની સાખે કહેવી. | ::સૂરજની સાખે કહેવી. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 294: | Line 294: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
પે’લે વરસ લાડવો ને ઘાડવો | ::પે’લે વરસ લાડવો ને ઘાડવો | ||
આવે ચોખો જનમારો | ::આવે ચોખો જનમારો | ||
બીજે વરસ મગનું કૂંડું | ::બીજે વરસ મગનું કૂંડું | ||
આવે રે એવાતણ ઊંડું | ::આવે રે એવાતણ ઊંડું | ||
ત્રીજે વરસ સાળ સૂપડું | ::ત્રીજે વરસ સાળ સૂપડું | ||
આવે રે સંસારનું સુખડું | ::આવે રે સંસારનું સુખડું | ||
ચોથે વરસે ચરણાં ચોળી | ::ચોથે વરસે ચરણાં ચોળી | ||
આવે ભાઈપૂતરની ટોળી | ::આવે ભાઈપૂતરની ટોળી | ||
પાંચમે વરસે ખીરે ખાંડે ભર્યાં ભાણાં | ::પાંચમે વરસે ખીરે ખાંડે ભર્યાં ભાણાં | ||
આવે શ્રીકૃષ્ણનાં આણાં. | ::આવે શ્રીકૃષ્ણનાં આણાં. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાચાં ને સ્વાભાવિક બંગાળી કુમારિકા-વ્રતોમાં પણ આવી રીતે કૌટુંબિક જીવનની જ માંગણી હોય છે. કુટુમ્બજીવનની એ પ્રીતિને જાણે કે પ્રકૃતિના ધાવણમાંથી જ ધાવતી ગુર્જર કન્યાઓ ગાતી — | સાચાં ને સ્વાભાવિક બંગાળી કુમારિકા-વ્રતોમાં પણ આવી રીતે કૌટુંબિક જીવનની જ માંગણી હોય છે.<ref>બંગાળી સેંજૂલી વ્રતમાં તો કન્યા ને મુખે સચોટ માગણી મૂકી છે : | ||
હે હર શંકર, દિ નકર નાથ, | |||
કખનો ના પડિ જેને મૂર્ખે ર હાત.</ref> કુટુમ્બજીવનની એ પ્રીતિને જાણે કે પ્રકૃતિના ધાવણમાંથી જ ધાવતી ગુર્જર કન્યાઓ ગાતી — | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ગોવિંદજી રે તમે આરી દેજો ઝારી દેજો | ::ગોવિંદજી રે તમે આરી દેજો ઝારી દેજો | ||
ગોઠડીએ બે બેન્યું દેજો | ::ગોઠડીએ બે બેન્યું દેજો | ||
આણે પરિયાણે વીરોજી દેજો. | ::આણે પરિયાણે વીરોજી દેજો. | ||
રાંધણીએ વવારુ દેજો | ::રાંધણીએ વવારુ દેજો | ||
પીરસણે માતાજી દેજો | ::પીરસણે માતાજી દેજો | ||
હે હર શંકર, દિનકર નાથ, | ::હે હર શંકર, દિનકર નાથ, | ||
કખનો ના પડિ જેને મૂર્ખેર હાત. | ::કખનો ના પડિ જેને મૂર્ખેર હાત. | ||
પાટલે જમવા બાપ દેજો | ::પાટલે જમવા બાપ દેજો | ||
ભેળો જમવા ભતરીજો દેજો! | ::ભેળો જમવા ભતરીજો દેજો! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોષી પૂનમના વ્રતમાં પણ પ્રકૃતિપૂજન અને કૌટુંબિક મમતા કાવ્યની વાણી માટે વ્યક્ત થાય છે. આઠ-આઠ વર્ષની કન્યાએ નદીએથી સ્વહસ્તે માંજીને નાનું બેડું ભરી આપવું અને અલાયદો ચૂલો કરીને ઉઘાડા આભ નીચે છાપરા વિનાની જગ્યાએ જ રસોઈ કરવી : બનતાં સુધી અગાશી જ પસંદ કરવી. ગાય છે કે — | પોષી પૂનમના વ્રતમાં પણ પ્રકૃતિપૂજન અને કૌટુંબિક મમતા કાવ્યની વાણી માટે વ્યક્ત થાય છે. આઠ-આઠ વર્ષની કન્યાએ નદીએથી સ્વહસ્તે માંજીને નાનું બેડું ભરી આપવું અને અલાયદો ચૂલો કરીને ઉઘાડા આભ નીચે છાપરા વિનાની જગ્યાએ જ રસોઈ કરવી : બનતાં સુધી અગાશી જ પસંદ કરવી. ગાય છે કે — | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
પોષ મહિનાની પૂનમે રે | ::પોષ મહિનાની પૂનમે રે | ||
અગાસે રાંધ્યાં અન્ન વા’લા. | ::અગાસે રાંધ્યાં અન્ન વા’લા. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 330: | Line 333: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ચાંદા તારી ચાનકી | ::ચાંદા તારી ચાનકી | ||
મારું ચૂરમું | ::મારું ચૂરમું | ||
ભાઈ જમ્યો | ::ભાઈ જમ્યો | ||
બે’ન ભૂખી! | ::બે’ન ભૂખી! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 339: | Line 342: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ચાંદા તારી ચાનકી | ::ચાંદા તારી ચાનકી | ||
કૂતરા તારી રોટલી | ::કૂતરા તારી રોટલી | ||
આજ મારી પોષી પૂનમ! | ::આજ મારી પોષી પૂનમ! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 347: | Line 350: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
પોષી પોષી પૂનમડી | ::પોષી પોષી પૂનમડી | ||
અગાશીએ રાંધ્યા અન્ન | ::અગાશીએ રાંધ્યા અન્ન | ||
ભાઈની બે’ન જમે કે રમે? | ::ભાઈની બે’ન જમે કે રમે? | ||
જમ્ય બે’ન જમ્ય! | ::જમ્ય બે’ન જમ્ય! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ ભાઈની રજા લઈ ને જ પોતાનું રાંધેલું અન્ન પૂર્ણ ચંદ્રકળાની નીચે બેઠાં બેઠાં જમવું : એ બધી ક્રિયા કોઈ શાસ્ત્રીય વ્રતમાંથી નહિ જડે. એ વ્રતના ગર્ભમાં શી શી ભાવનાઓ વિલસી રહી છે? સંપૂર્ણ સ્વાશ્રય : એક દિવસનો ગૃૃહસંસાર : ઉઘાડા ગગન સાથે મહોબ્બત : ચંદ્રિકાની તેજ-ઔષધિઓનું રસોઈમાં ઝિલાવું : આભના ચંદ્ર અને ધરતીના ‘ભાઈ’ વચ્ચે સામ્યની દૃષ્ટિ : અને નાની કન્યાના અંતરમાં આટલી એકસામટી પ્રેરણા પૂરવાનું સહજ કાર્ય આ વ્રત કરી આપે છે. આ વ્રતને આપણે એક કાવ્ય જ કાં ન કહીએ? | એ ભાઈની રજા લઈ ને જ પોતાનું રાંધેલું અન્ન પૂર્ણ ચંદ્રકળાની નીચે બેઠાં બેઠાં જમવું : એ બધી ક્રિયા કોઈ શાસ્ત્રીય વ્રતમાંથી નહિ જડે. એ વ્રતના ગર્ભમાં શી શી ભાવનાઓ વિલસી રહી છે? સંપૂર્ણ સ્વાશ્રય : એક દિવસનો ગૃૃહસંસાર : ઉઘાડા ગગન સાથે મહોબ્બત : ચંદ્રિકાની તેજ-ઔષધિઓનું રસોઈમાં ઝિલાવું : આભના ચંદ્ર અને ધરતીના ‘ભાઈ’ વચ્ચે સામ્યની દૃષ્ટિ : અને નાની કન્યાના અંતરમાં આટલી એકસામટી પ્રેરણા પૂરવાનું સહજ કાર્ય આ વ્રત કરી આપે છે. આ વ્રતને આપણે એક કાવ્ય જ કાં ન કહીએ? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>'''બંગાળનાં લોકવ્રતો'''</center> | |||
{{Poem2Open}} | |||
આપણાં ને બંગાળનાં અમુક કુમારિકા-વ્રતો તો મળતાં આવે છે. આપણાં મોળાકત જેવું જ એનું ‘શસપાતા’ વ્રત છે. એમાં પણ જવેરા અને જાગરણ છે, એ કુમારિકાઓના ઉદ્ગારોમાં પણ આપણી માફક જ કૌટુમ્બિક સુખની યાચના પ્રવાસે પળેલા સ્વજનોની મંગલ વાંછના છે; ગાય, પીપળા અને ધરતીને વંદના છે, વેદગાથાને સ્મરાવે તેવા કલ્પનાવૈભવ છે, બારેય માસનાં ભિન્ન ભિન્ન ઋતુ-સ્વાગતો છે. એની બરોબરી તો આપણું ગુર્જર વ્રતસાહિત્ય કરી શકે તેમ નથી. | |||
આ બંગાળી કુમારિકા-વ્રતોને શુદ્ધ કંઠસ્થ સ્વરૂપે ‘ઠાન દિદિર થલે’, (‘દાદીમાની બચકી’) નામના પુસ્તકમાં શ્રી દક્ષિણરંજન મજમુદારે સંઘર્યાં છે અને તેના પરથી ‘બાંગ્લાર વ્રત’ (‘બંગાળનાં વ્રતો’) નામક એક બંગાળી ગ્રંથ વિશ્વવિખ્યાત કલાધર અવનીન્દ્રનાથ ઠાકુરે લખ્યો છે, ને તેનો ફ્રેન્ચમાં અનુવાદ પણ થયો છે. એ ગ્રંથમાંથી સારભાગ અત્રે ઉતારેલ છે. | |||
<center></center> | |||
{{Poem2Close}} | |||
<center>'''બંગાળનું વ્રતસાહિત્ય'''</center> | |||
<center>'''અવનીન્દ્ર ઠાકુરને થયેલ દર્શન'''</center> | |||
{{Poem2Open}} | |||
આપણા દેશમાં (બંગાળમાં) બે જાતનાં વ્રતો પ્રચલિત દેખાય છે : | |||
(1) શાસ્ત્રીય વ્રત, (2) મેયેલી વ્રત. આ ‘મેયેલી વ્રત’ના બે વિભાગ છે : (1) કુમારી–વ્રત : જે પાંચ-છથી આઠ-નવ વર્ષની કુમારિકાઓ કરે છે; અને (2) નારી-વ્રત, જે વિવાહીત સ્ત્રીઓ કરે છે. આમાંથી શાસ્ત્રીય અથવા પૌરાણિક વ્રતો હિન્દુ ધર્મની સાથોસાથ આ દેશમાં પ્રચાર પામ્યાં છે, અને આ બન્નેથી નિરાળાં મેયેલી વ્રતો, તેમાં રહેલાં અનુષ્ઠાનો ઝીણવટથી તપાસતાં પુરાણોની પૂર્વેના સમયમાં માલૂમ પડે છે. એની અંદર હિન્દુ પૂર્વેના તેમજ હિન્દુ ધર્મના, બન્નેના સેળભેળનો ઇતિહાસ સ્પષ્ટ નિહાળી શકાય છે. | |||
'''શાસ્ત્રીય વ્રત''' : એમાં સહુથી પ્રથમ તો સામાન્ય વિધિ જેવી કે આચમન, સ્વસ્તિ, વચન-સંકલ્પ ઇત્યાદિ આવે; પછી બ્રાહ્મણને દાનદક્ષિણા દેવાય ને કથાનું શ્રવણ થાય. આ થઈ પૌરાણિક વ્રતની રચના. | |||
'''નારીવ્રત''' : શાસ્ત્રીય વ્રતો અને કુમારિકા-વ્રતોની મિલાવટ કરીને રચેલાં આ વ્રતો છે. એમાંથી વેદવિધિઓની ગંભીરતા તેમજ સજીવતાયે ચાલી ગઈ છે, લોકવ્રતોની સરળતા પણ લગભગ નાશ પામી છે, પૂજારી બ્રાહ્મણ અને સામાન્ય ક્રિયાકાંડના જટિલ અનુષ્ઠાન-ન્યાસ-મુદ્રા-તંત્રમંત્રનું જ મહત્ત્વ સ્થપાઈ ગયું છે. | |||
{{Poem2Close}} | |||
<center>''''કુમારિકા-વ્રત'''</center> | |||
{{Poem2Open}} | |||
શુદ્ધ અસલી સ્વરૂપે તો આ વ્રતો જ રહ્યાં દેખાય છે. એમાં રંગોળી, કન્યાની જે મનકામના હોય તે મુજબની જ ચિત્રાકૃત્રિ, એના ઉપર ફૂલ ધરવું અને જો કોઈ વ્રતકથા હોય તો તે સાંભળવી, બસ એટલું જ છે. એમાં પૂજારી અને તંત્રમંત્રને સ્થાન જ નથી. | |||
શાસ્ત્રીય વ્રતો ન તો પ્રાચીન રીતરિવાજોની ચર્ચામાં કામ લાગે, ન લોકસાહિત્યમાં લઈ શકાય, કે ન તો લૌકિક ધર્માચારનું સંશોધન કરવામાં મદદરૂપ થાય. લોક-સમુદાયની સાથે એને સાચો સંબંધ જ નથી. લોકોની રહેણીકરણી અથવા વિચારણાની છાપ જ તે વ્રતો ઉપર નથી. | |||
સાચાં મેયેલી વ્રતોમાં — તેનાં જોડકણાંમાં તેમ જ તેની રંગોળીમાં — તો એક પ્રજાના હૃદયની, વિચારણાની ને જીવનની સ્પષ્ટ છાપ દેખાય છે — જેવી રીતે વેદના સૂક્તોની અંદર આર્ય જાતિનું ચિંતન, એનો ઉદ્યમ ને એનો ઉલ્લાસ ખીલી નીકળતાં દેખાય છે. વેદના સૂક્તો અને આ મેયેલી વ્રતોનું સાહિત્ય, બન્નેની અંદર લોકસમુદાયની આશાઓ,આશંકાઓ, ચેષ્ટાઓ અને મનોકામનાઓ વ્યક્ત થાય છે અને તેથી જ બન્નેની વચ્ચે એક સુંદર મેળ છે. નદી, સૂર્ય ઇત્યાદિ અનેક દેવતાઓ છે. તેઓને સંબોધીને આ મેયેલી વ્રતોમાં પણ જોડકણાં બોલાયાં છે. દૃષ્ટાંત તરીકે, વેદયુગમાં ઉષાનું આહ્વાન કરતાં ઋષિએ ગાયું કે | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::સૂર્યની માતા, શુભ્રવર્ણા, દિપ્તીમય ઉષા આવે છે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અને સૂર્યને સંબોધીને લલકાર્યું કે | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::એના અશ્વો એને આખા જગતથી ઊંચે ઠેરવી રહ્યા છે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
વળી સમસ્ત નદીઓને સંબોધીને વેદ-કવિ ગાય છે કે | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::નિરનિરાળાં નીર એકત્ર મળે, અન્ય જલો પણ | |||
::તેઓની સાથે આવીને ભળે, ને એ સર્વે મળી સમુદ્રના વડવાનલને પ્રસન્ન કરે | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હવે, શાસ્ત્રીય વ્રતોમાં પ્રચલિત જે કૃત્રિમ, કવિત્વહીન અને આડમ્બરી સૂર્યસ્તવન છે તેની સાથે ઉપરની વેદની કવિત્વભરી વાણીને સરખાવીએ : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::નમ: નમ: દિવાકર ભક્તિર કારન | |||
::ભક્તિરૂપે નાઉ પ્રભુ જગત્-ચારન | |||
::ભક્તિરૂપે પ્રતાપ કહિલે તૂયાપાય | |||
::મનોવાંછા સિદ્ધ કરેન પ્રભુ દેવતાય | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
આમાં વેદગાથાનો સૂર્ય અને શાસ્ત્રીય વ્રતોનો સૂર્ય : બન્ને વચ્ચેનો તફાવત જોઈ શકાય છે. હવે શુદ્ધ મેયેલી વ્રતનાં જોડકણાંની અંદર સૂર્યને, ઉષાને અને નદનદીઓને કેવા ભાવે લોકોએ વર્ણવ્યાં તે જોઈએ : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::સાત સમુદ્રે વાતસ ખેલે, | |||
::કોન સમુદ્રે ઢેઉ તુલે. | |||
::[સાત સમુદ્રે વાયુ ખેલે | |||
::કયો સમદર છોળ ઉછાળે!] | |||
::ઊરૂ ઊરૂ દેખા જાય બડ બાડી, | |||
::એ જે દેખા જાય સૂર્યેર માર બાડી. | |||
::સૂર્યેર મા લો! કિ કર દુવારે બસિયા, | |||
::તોમાર સૂર્ય આસ્તેછેન જોડ ઘોડાતે ચડિયા. | |||
::[ઓ પેલા દેખાય મોટા મોટા મહેલ, | |||
::એ તો બહેન સૂરજની માતાના મહેલ. | |||
::સૂરજની મા! સૂરજની મા! બારે બેસીને તે શું કરે રે, | |||
::ઘોડલાંની જોડ, ઘોડલાંની જોડ, | |||
::આવે ચડીને તારો બેટડો રે.] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ત્યાર પછી વસન્તઋતુની ચંદ્રકલાની સાથે સૂર્યના પ્રણયનું એક રૂપક જોઈએ : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ચંદ્રકલા માધવેર કન્યા, મોલિયા દિછેન કેશ, | |||
::તાઈ દેખિયા સૂર્ય ઠાકુર ફિરેન નાના દેશ. | |||
::ચંદ્રકલા માધવેર કન્યા મેલિયા દિછેન સાડી, | |||
::તાઈ દેખિયા સૂર્ય ઠાકુર ફિરેન બાડી બાડી. | |||
::ચંદ્રકલા માધવેર કન્યા ગોલ ખાડુઆ પાય, | |||
::તાઈ દેખિયા સૂર્ય ઠાકુર બિઆ કરતે ચાય. | |||
::[માધવની કન્યા ચંદ્રકળા મોકળા મેલે કેશ, | |||
::એ દેખીને સૂરજ રાણો ભમે દેશે દેશ. | |||
::માધવની કન્યા ચંદ્રકળા પાલવ મેલે છૂટો, | |||
::એ દેખીને સૂરજ રાણો ઘરઘર હીંડે જોતો. | |||
::માધવની કન્યા ચંદ્રકળા પહેરે રૂપા-કાંબી, | |||
::એ દેખીને સૂરજરાણે વિવાની રઢ માંડી.] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હવે, વેદનાં સૂક્તોનો અંગ્રેજી ભાષામાં સુંદર તરજૂમો થયો છે, અને આ વ્રતનું જોડકણું તો બાપડું ચાલુ બંગાળી ભાષામાં છે; તેથી કરીને વેદનું સૂક્ત લાગે છે જરા ગંભીર, ને વ્રતનું જોડકણું લાગે છે છોકરાની રમત જેવું! પણ જો એનોયે અંગ્રેજી તરજૂમો કરીએ તો એ બન્નેમાં એક જ વસ્તુ દેખાશે : | |||
Young Moon, daughter of the spring, has untied tresses, and the sun goes seeking her through many lands. Spring’s daughter the young Moon has unfolded her silver robe and the sun peeps into many houses seeking her. The Slender Moon, the Spring’s lovely maiden is wearing the silver anklet, seeing which the Sun seeks her union in marriage. | |||
{{Poem2Close}} | |||
<center>'''પ્રાચીનતા'''</center> | |||
{{Poem2Open}} | |||
પરંતુ તે પરથી કાંઈ એમ ન કહી શકાય કે પુરાણોને તોડીને શાસ્ત્રીય વ્રતો બનાવ્યા છે, તેમ વેદોને છૂંદીને આ ‘મેયેલી વ્રતો’ સરજ્યાં છે, કેમ કે તમામ પ્રાચીન જાતિઓના ઇતિહાસમાં જોઈ શકાય છે કે, શું મિસરમાં, શું મેક્સિકોમાં કે શું ભારતવર્ષમાં, અસલનો માનવી વાયુ, સૂર્ય અને ચંદ્રમા વગેરેની ઉપાસના કરતો હતો. બન્યું છે એવું કે એક તરફથી ભારતવર્ષમાં પ્રવાસી રૂપે આવેલા આર્યોની વ્રતવિધિઓ ચાલતી હતી અને બીજી બાજુ ભારતવર્ષના અસલ નિવાસીઓનાં વ્રતો ચાલતાં હતાં. એકે તપોવનની છાયાનો આશરો લીધો હતો અને બીજાં નદીતટ પરનાં નાનાં ગામડાંના શાન્ત ઝૂંપડામાં રહેતાં. આ પ્રવાસી અને નિવાસી બંને પ્રજાદળની અંદર રહેતી હતી. હિન્દુ જાતિ કે જેણે સમસ્ત દેવતાની અંદર વેદના દેવતાઓને જ વિરાટ દેખ્યા, અને જેમણે ભારતવર્ષની અસલ નિવાસી પ્રજાના હૃદય પર તેઓની સમસ્ત રહેણીકરણી ને વિચારણાની સ્વતંત્ર સ્ફૂર્તિ દબાવી દઈને પોતાના જ આચારવિચારો છાપી દેવાનો આગ્રહ ધરાવ્યો હતો. વેદ ને પુરાણ, અને પુરાણોથીયે પુરાણાં જે આ લોક-વ્રતો, એ બન્ને બે મહાન પ્રજાઓના પ્રાણની મહાકથાઓ છે. | |||
{{Poem2Close}} | |||
<center>'''પૃથ્વીનું મમત્વ'''</center> | |||
{{Poem2Open}} | |||
આર્યો અને આર્યોના પૂર્વગામીઓ’ એ બન્નેનો સંબંધ પોતાની જન્મભૂમિ આ પૃથ્વીની જ સાથેનો હોવાથી બન્ને પ્રજાની મનોકામનાઓ પણ ઘણુંખરું આ પૃથ્વીની જ સાથે જોડાયેલી છે; એટલે કે ધન, ધાન્ય, સૌભાગ્ય, લાંબું આયુષ્ય — એવી તમામ ધરતીની વસ્તુઓ સાથે જ તેઓનો આત્મા જડાયેલો દેખાય છે. આ વાત તેઓનાં વ્રતોમાં છુપાયેલી છે. ઉદાહરણ તરીકે વેદના સૂક્તો વાટે પુરુષોએ ચાહના પ્રગટ કરી કે | |||
‘ઈન્દ્ર અમને સહાય આપો! એ અમને વિજય અપાવો! શત્રુઓ દૂર નાસી જાઓ!’ ઇત્યાદિ. | |||
અને બંગાળી વ્રતો વાટે નારીજાતિના પ્રાણે યાચના કરી કે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::રને રને એયો હવ | |||
::જને જને સૂયો હવ | |||
::આકાલે લક્ષ્મી હવ | |||
::સમયે પુત્રવતી હવ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હવે, શાસ્ત્રીય વ્રતોમાં પ્રગટ થયેલ પરલોક-ફળની વાંછના જુઓ : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::વસુમાતા દેવી ગો! કરી નમસ્કાર | |||
::પૃથિવીતે જન્મ જેન ના હય આવાર! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પૃથ્વીની વસ્તુઓ પરના આ ઘોર વૈરાગ્યની અંદર જે અસ્વાભાવિક પ્રાર્થના અને કલ્પના છે, તે નથી વેદની, વા તો નથી વ્રતોની. વેદનાં સૂક્તો અને વ્રતોનાં જોડકણાં બન્ને આપણી રૂપકથા માંહેલા ગરૂડપંખી અને ગરૂડપંખણી સાથે સરખાવી શકાય. બન્ને પૃથ્વી પરનાં છે, છતાં વેદનાં સૂક્તો ઉન્મુક્ત ને સ્વતંત્ર છે; અરણ્યોની નીલિમા પર આસમાનમાંથી વરસતા નર-પંખીના ગાન સરખાં છે; વિશાળ પૃથ્વીના વિહારી એ પુરુષકંઠના લલકાર સમાં છે; જ્યારે વ્રતોનાં જોડકણાં, જાણે કે માળામાં બેસીને લીલી ઘટાના અંતરાલમાંથી ગાતી પંખણી માદાના મધુર કિલકિલાટ સરીખાં છે. છતાં બન્ને ગાન આ ધરતીના જ સૂરમાં બંધાયેલાં છે. | |||
{{Poem2Close}} | |||
<center>'''વિધિની રહસ્યમયતા'''</center> | |||
{{Poem2Open}} | |||
શાસ્ત્રીય વ્રતોમાં, દરેકને લગતી મનકામના ભલે ભિન્ન ભિન્ન હોય, છતાં તેની ક્રિયા વા વિધિ બ્રાહ્મણ એક જ તરેહની કરાવે : એક જ મંત્ર! માત્ર તેમાં દેવ કે દેવીનાં નામ બદલાય; અને અન્ય વિધિઓ પણ એક જ સરખી. સાચાં લોક-વ્રતોમાં એમ નથી. ત્યાં તો જે મનકામના હોય, તેની સાથે બંધબેસતી ક્રિયામાં જ અંતરેચ્છા પ્રગટ થાય. દૃષ્ટાંત : વૈશાખ માસમાં સરોવરો સુકાઈ ન જાય, ગરમીમાં વૃક્ષો મરી ન જાય, તેવી પ્રાર્થનાને પ્રકટ કરવા માટે ‘પૂર્નિપુકુર વ્રત’ની અંદર, સરોવરની રચના કરવી જોઈએ, તેમાં બીલી-વૃક્ષની ડાળખી ચોડવી જોઈએ, સરોવરમાં છલોછલ પાણી ભરવું જોઈએ ને તે પછી પેલી ડાળીને ફૂલમાળા આરોપવી પડે તથા સરોવરની ચોપાસ ફૂલોના શણગાર કરવા પડે. એ જ રીતે તમામ વ્રતોની વિધિમાં કન્યાઓની વાંછનાને અનુરૂપ રચના થાય છે. | |||
{{Poem2Close}} | |||
<center>'''દટાયેલો ઇતિહાસ'''</center> | |||
{{Poem2Open}} | |||
આ વ્રતો તો માનવીની સાધારણ સંપત્તિ છે. અમુક ધર્મ કે અમુક જ જાતિના વાડાઓમાં એ બંધાયેલી નથી. ઋતુઓના પરિવર્તનની સાથોસાથ માનવદશામાં જે પલટો આવે છે, એ પલટાની સ્થિતિને વટાવી જવાની ઈચ્છામાં જ આ વ્રતક્રિયા ઉત્પન્ન થાય છે. નિરનિરાળી વિધિ માટે માનવી મનકામના સફળ કરવા માગે છે, એનું નામ જ વ્રત. પુરાણ જેટલા જ પુરાતન બલકે તેથીયે પુરાતન માનવીનું રચેલું એ વિધાન છે. | |||
આટલા બધા પ્રાચીન કાળની આ સંપત્તિ બંગાળીઓને ઘેરઘેર આજ પર્યંત શી રીતે ચાલુ રહી ગઈ? ઉત્તર એ છે કે આપણાં સમાજનો બહિરંશ છો ને ચાહે તેટલો બદલી ગયો, પણ આપણું અંત:પુર તો તેની સાથે નથી જ પલટાયું. એ તો ગઈ કાલે, પરમ દિવસે, બલકે તેથીયે અને તેનાથીયે પૂર્વે જે હતું તેનું તે જ આજે પણ છે. એટલે જ આ નારીવ્રતો ત્યાં જળવાઈ રહ્યાં. માનવી મરી જાય, પ્રજાએ પ્રજાનો લોપ થઈ જાય, છતાં તે પ્રજાના આચાર અને વિચારનો પ્રવાહ તો તેઓની પાછળ પણ વહેતો જ રહેવાનો. અમેરિકાના અસલ આદિવાસીઓની એવી દુર્દશા ખ્રિસ્તીઓએ કરી કે તેઓને પૃથ્વી પર રહેવાની જગ્યા જ ન રહી, તેમ છતાં તેઓનું શિલ્પ, તેઓનાં મંદિરો, મઠો અને તેઓનાં ઘરબાર, કંઈક માટીની અંદર, કંઈક માટીના પડને માથે અરણ્યોમાં, અને વળી કેટલાંક લોકસ્મૃતિની અંદર અંત:પુરમાં સચવાઈ રહ્યાં : મરનારાઓને મુખેથી જ મરનારાઓનો ઇતિહાસ બોલાવવાને માટે! બંગાળનાં આ વ્રતો પણ તે જ પ્રમાણે આપણી પુત્રીઓ દ્વારા કોઈ વાર રંગોળીના શિલ્પ વાટે, કોઈવાર કવિતા અને નાટક વાટે, કોઈ વાર કલા અને સાહિત્ય વાટે, ને કોઈ વાર વળી ધર્મની ક્રિયા વાટે સંઘરાઈ રહેલાં, પેલી પ્રાચીન જાતિના જીવનના ઇતિહાસ સરીખાં છે. વ્રતોની અંદર એ પ્રાચીન કાળની નાટ્યકલા, નૃત્યકલા, ચિત્રકલા, સંગીતકલા, ઉપાખ્યાન પર્યંતની સામગ્રી સાંપડી રહી છે. અને તેથી આ વ્રતો તુચ્છકારવા જેવાં નથી. | |||
{{Poem2Close}} | |||
<center>'''જંગલી નથી'''</center> | |||
{{Poem2Open}} | |||
અને જેની અંદરથી સભ્ય જાતિનાં આવાં સુલક્ષણો મળી આવે છે, એ વ્રતોને આપણે કોઈ જંગલી પ્રજાની અંધશ્રદ્ધાનું પ્રદર્શન કહીને જ કેમ પતાવી શકીએ? આર્યો જેઓને જંગલી વ્રતો કરનારા અને નિરુદ્યમી લૂંટારાઓ એવે નામે ઓળખે છે, તેઓનું તો આ વ્રતોની અંદરથી અને શિલ્પચિત્રના ઇતિહાસમાંથી આપણને તદ્દન ઊલટું જ ઓળખાણ થાય છે. જેમ કે વાસ્તુવિદ્યા એ મયશાસ્ત્ર છે. હવે, મય તો દાનવ હતો! વળી આર્યો તો જ્યારે યુદ્ધવિજયની મનકામના ઇંદ્રના હોમહવન વાટે કરતા હતા, ત્યારે બીજી બાજુ આ જંગલી વ્રતો કરનારાઓ તો અસ્ત્રશસ્ત્રો અને ગઢકિલ્લા બાંધી રહ્યા હતા — ઈન્દ્રને ખુશ કરવા નહોતા બેસી રહ્યા. તેમજ તેઓની કન્યાઓ પણ કેવાં વ્રતો કરતી! ‘રને રને એયો હવ!’ : જેની પુત્રીઓ આવી પ્રાર્થનાઓ કરી શકે તેને ભલે તમે જંગલી કહો, પણ તેથી તેઓની સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિથી ઊતરતી હતી એમ ન કહી શકાય. રણચંડીઓની જે મૂર્તિ આ વ્રતનાં જોડકણાંની અંદર ખડી થાય છે, અબલાઓના હૃદયનો જે એક સંયમવંત સુંદર આદર્શ મૂર્તિમંત થાય છે, તે આદર્શ અને તે મૂર્તિની સરજનહાર પ્રજા જંગલી કેમ હોઈ શકે? | |||
{{Poem2Close}} | |||
{{Poem2Open}} | |||
<small>[ત્યાર પછી આ કલાકાર વિદ્વાન હિન્દુ ધર્મની અનુદારતા ઉપર ઊતરે છે. આ અસલી પ્રજાનાં વ્રતો કે જેને અનુસરતાં વ્રતો બોહિમિયામાં, ગ્રીસમાં ને મિસરમાં પણ ચાલુ છે તેને પણ હિન્દુ ધર્મની માલિકીનાં બનાવી લેવાની અને પોતાના સ્વાર્થ કારણે અનેક તિથિમાહાત્મ્યનાં કલ્પિત વ્રતો ઘડી કાઢવાની બ્રાહ્મણની યુક્તિપ્રયુક્તિઓ ઉઘાડી પાડે છે અને બતાવે છે કે એ બ્રાહ્મણરચિત દધિસંક્રાન્તિ, ગુપ્તધન, ધૃમસંક્રાન્તિ, દાડિમસંક્રાન્તિ, બ્રાહ્મણાદર ઇત્યાદિ રસહીન કૃત્રિમ વ્રતોથી નિરાળાં આ લોકવ્રતોમાં તો શાસ્ત્રને કે બ્રાહ્મણને સ્થાન જ નથી. તેમાં તો ઋતુઓના ઉત્સવ છે. પછી તો એની કલમ કાવ્ય વહાવે છે :]</small> | |||
{{Poem2Close}} | |||
<center>'''જીવનયાત્રાની છબી'''</center> | |||
{{Poem2Open}} | |||
વ્રતોનાં જોડકણાં પૂર્વ બંગાળનાંયે જુદાં, પશ્ચિમ બંગાળનાંયે જુદાં, છતાં તે વાંચીએ છીએ ત્યારે ગામડાંની, કુદરતી જીવનયાત્રાની એવી એક સ્વચ્છ છબી આપણાં અંતરમાં જાગી ઊઠે છે કે જે કોઈ પણ શાસ્ત્રીય વ્રતમાં આપણને નહિ જડે. દૃષ્ટાંત લો : પોષ માસમાં આ દેશમાં ઠંડી સખત પડે છે, અને આ વ્રત સવારનું છે. તેથી અનાયાસે કલ્પના કરી શકીએ છીએ કે અનેક યુગો પૂર્વેના બંગાળના કોઈ એક ગામડા ઉપર રાત્રિનો શ્યામ પડદો આસ્તે સરી પડ્યો હશે; ગામની ઉપર ઝકુંબેલા મોટાં વૃક્ષોને માથે હજુ કોઈ પાતળી ચાદર સરીખી ઝાકળ પથરાયેલી હશે; પ્રભાત ઝાકળબિન્દુઓથી જરી જરી ભીંજાયેલું હશે; ગામની વાડે વાડે, અને ઘરોને છાપરે છાપરે, સિમ-વૃક્ષનાં લીલાં લીલાં પાંદડા ઝૂલતાં હશે; ખેતરે ખેતરે રાઈ અને સરસવનાં ફૂલ, દૂધ અને હળદરનાં ફીણ સરીખાં ઊજળી રહ્યાં હશે; તે વખતે રામપાતરમાં રીંગણાનું પાંદડું રોપી, માટી ભરી, કુમારિકાઓ ટોળે વળીને ‘તોષલા વ્રત’ ઊજવવા ખેતરો તરફ ચાલી નીકળી અને ત્યાં જંગલી ફૂલો વડે વ્રતનો આ રીતે આદર થયો હશે; પ્રથમ તોષલા (સંતોષ દેનારી, ધાન્ય દેનારી) દેવીનું આવાહન કરે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::તૂષ-તૂષલી, તૂમિ કે | |||
::તોમાર પૂજા કરે જે | |||
::ધને ધાન્યે બાડન્ત | |||
::સુખે થાકે આદિ અંત | |||
::[તોષલા દેવી, કોણ છો તમે? | |||
::તમારી પૂજા જે કરે | |||
::ધને ધાને અભરે ભરાય | |||
::જીવતાં સુધી સુખી થાય.] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પછી વ્રત-સામગ્રી વર્ણવાય છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ગાઈયેર ગોબર, સરષેર ફૂલ | |||
::આસન પિડિ, એલો ચૂલ | |||
::પૂજા કરિ મનેર સુખે | |||
::સ્વર્ગ હતે દેવી દેખે | |||
::[ગાયનું છાણ, સરસવનાં ફૂલ | |||
::બાજઠ બેસી, છૂટે કેશ | |||
::પૂજા કરીએ મનને સુખે, | |||
::સ્વર્ગેથી જગદમ્બા દેખે.] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
‘બાજઠ બેસી છૂટે કેશ’ : મેક્સિકોની રમણીઓ ‘છૂટે કેશે’ જે વ્રત કરે છે તેની આ પ્રતિછબી મળે છે. પછી કન્યાઓ પાતાની મનવાંછના જણાવે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::કોદલ-કાટા ગન પા’વ | |||
::ગોહા’લ-આલો ગુરુ પા’વ | |||
::દરબાર-આલો બેટા પા’વ, | |||
::સભા-આલો જામાઈ પા’વ | |||
::મેજ-આલો ઝિ પા’વ | |||
::આડિ-માપા સિંરૂર પા’વ | |||
::[કોદાળીએ ખોદાય એટલું ધન દેજો! | |||
::ગમાણ-દીવો ગોધલો દેજો! | |||
::દરબાર દીવો દીકરો દેજો! | |||
::સભા-દીવો જમાઈ દેજો! | |||
::મેજ-દીવો દીકરી દેજો! | |||
::માણું પાલી હિંગળો દેજો! | |||
::ઊંચા કુળમાં અવતાર દેજો! | |||
::ઘર દેજો નગરમાં | |||
::ને મૃત્યુ દેજો સાગરમાં!] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પછી તો પોષ માસની સંક્રાંતિને દિવસે સૂર્યોદય પહેલાં કન્યાઓ વ્રત વધાવી લઈને, એક કોડિયામાં ઘીનો દીવો પેટાવી, કોડિયાં મસ્તકે મેલી, હારબંધ નદીમાં સ્નાન કરીને તોષલાદેવીને ડુબાવવા જાય છે. પગ તળે ઠંડી માટી છે. ઠંડો વાયુ સૂસવે છે, અને નદીના શીતળ નીરનો સ્પર્શ થતાં કાયા કમ્પે છે. આવાં શીતળ જળ, સ્થળ અને આકાશની સામે કન્યાઓ નદીતીરે જતાં જતાં પડઘો પાડે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::મા’ મહિનાનાં શીતળ પાણી | |||
::છલ છલ રે સોહાગણ રાણી | |||
::શીતળ નીરે નાયાં. | |||
::ગંગામાં જઈ નાયાં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એ પછી, થર! થર! ઠંડીની અંદર, સૂર્ય અને પૃથ્વીના મિલનની જાણે જરા આકાંક્ષા જાગી — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::કડ કડ ટાઢે સૂરજ જાગે | |||
::સૂરજરાણો લગન માગે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એ પછી ગંગાતીરે પાણીના કલકલ ધ્વનિ અને પંખીઓના કિલકિલાટ રૂપે જાણે કે સૂર્યદેવનાં વાજાં વાગી રહ્યાં છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::રમ ઝમ! કલ કલ! ઢમ ઢમ થાય | |||
::સૂરજરાણાના વિવા થાય. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હજુ વૃક્ષવેલડીનાં ઝાકળભીનાં પાંદડા પોઢેલાં છે; એ વેળા વરરાજાને વેશે સૂર્યરાણા ચાલ્યા આવે છે; જરાક ઝગ! ઝગ! થતા સોનેરી અજવાળા પરથી એ આગમનનું સૂચન થાય છે ને કન્યા ગાય છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::રીંગણાનાં પાંદડાં ઢોલક બજાવે | |||
::કાને કુંડળ ને સૂરજરાણો આવે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
આ વખતે નદીમાં ડુબાવેલી તોષલા દેવીની બાકીની માટી અને સૂર્ય : એ બંને વસ્તુઓનો ધાન્ય ઉગાડવામાં મુખ્ય મદદગાર તરીકે આભાર માનીએ કુમારિકાઓ પાણીમાં રેતી છાંટવાની રમત રમે છે. | |||
તે પછી સૂર્યોદયનાં દર્શન કરી, સ્નાન કરી, વ્રતને અંતે નદીતીરે ઊભાં રહી સૂર્યોદયના દર્શન કરે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::સૂરજરાણા ચડિયા છે વડી ગંગાને ઘાટ | |||
::કોના હાથમાં તેલ રૂમાલ આપો સૂરજને હાથ | |||
::સૂરજરાણા ચડિયા છે વચલી ગંગાને ઘાટ | |||
::કોના હાથમાં કંકણ સિંદૂર, આપો સૂરજને હાથ | |||
::સૂરજરાણા ચડિયા છે નાની ગંગાને ઘાટ. | |||
::સૂરજ ચડિયા સેજે | |||
::ત્રાંબાવરણે તેજે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એ રીતે સૂર્ય-પૃથ્વીનાં લગ્નની છેલ્લી રમ્યતા પણ કલ્પી લેવાય છે. | |||
તોષલા વ્રતની આ તમામ વિધિ : શિયાળાના સવારનાં આ વિવિધ દૃશ્યો : એ તાજી નાહેલી કન્યાઓના મુખ પરનો સિંદૂર અને ત્રાંબાવરણાં વસ્ત્રાભૂષણોથી વિભૂષિત એ સૂર્ય : એ તમામનું વર્ણન આપણને એવા કોઈ ભૂતકાળમાં ખેંચી જાય છે કે જ્યાં માનવીની તથા સચરાચર વિશ્વની વચ્ચે સરસ નિગૂઢ એક સંબંધ જામી પડ્યો હતો; અને જ્યાં શાસ્ત્રીય વ્રતોના તેમ જ આચાર અનુષ્ઠાનના ભાર નીચે ચગદાઈને માનવી ચોગરદમથી આનંદહીન અને પ્રાણવિહીન નહોતો થઈ પડ્યો. | |||
{{Poem2Close}} | |||
<center>'''ભાદૂલી વ્રત'''</center> | |||
{{Poem2Open}} | |||
એ ભાદ્રપદ માસની અંદર પ્રવાસે ગયેલાં સ્વજનોને નદીઓનાં તથા સમુદ્રનાં તોફાનોમાં નિર્વિઘ્ને પાછા પહોંચાડવાની યાચનાથી ભરેલું આ વ્રત છે. જોડકણાંમાંથી પણ એક દૃશ્ય-નાટિકા ગોઠવી કાઢી શકાય છે. પ્રથમ ક્રિયાનો આદર થાય છે : ભાદરવા માસની ભરપૂર નદી : અને એક કાંખમાં ગાગર લઈને જાણે કે બે કન્યાઓ પાણી ચાલે છે : એક નાની કુમારિકા એક ઘૂંઘટવાળી નાની વહુ અને બીજી સહિયરો : એક પછી એક નદીના પાણીમાં ફૂલ નાખીને બોલે — | |||
{{Poem2Close}} | |||
<center>'''કન્યા'''</center> | |||
<poem> | |||
::નદિ! નદિ! કોથા જાઉ? | |||
::બાપ ભાઈયેર વાર્તા દાઉ? | |||
::[નદી રે નદી તું ક્યાં જાય? | |||
::ક્યાં છે મારા બાપ ને ભાઈ?] | |||
</poem> | |||
<center>'''નાની વહુ'''</center> | |||
<poem> | |||
::નદિ! નદિ! કોથા જાઉ? | |||
::સ્વામી શશુરેર વાર્તા દાઉ. | |||
::[નદી રે નદી ક્યાં જાય છે? | |||
::સ્વામી સસરાના ખબર દે.] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એવે વરસાદનું એક ઝાપટું વરસ્યું. બધી કન્યાઓ ચોમેર ફૂલ છાંટીને — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::નદિર જલ વૃષ્ટિર જલ, જે જલ હઉ; | |||
::અમાર બાપ-ભાઈયેર સંવાદ કઉ. | |||
::[નદીનાં નીર, વાદળીનાં નીર, જે નીર હો! | |||
::ભાઈના ને બાપના વાવડ કહો!] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
વૃષ્ટિને અંતે ઘનઘેરા આકાશની અંદર સફેદ બગલાનું એક વૃંદ ઊડતું ઊડતું ચાલ્યું ગયું. એક કાગડાનું ટોળું પણ કા! કા! કરતું ઝાડ પરથી ઊડીને ગામ ભણી ગયું; ને આકાશ કંઈક સ્વચ્છ થયું. કન્યા બોલે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::કાગા રે! બગા રે! કા’ર કપાલે ખાઉ? | |||
::અમાર બાપ ભાઈ જે ગેછેન વાનિજ્યે | |||
::કોથાય દેખલે નાઉ. | |||
::[કાગા ભાઈ! બગા ભાઈ! | |||
::ક્યાં ઊડ્યા ક્યાં બેઠા! | |||
::ભાઈ-બાપ ગ્યા છે વેપારે! | |||
::ક્યાંય ન એને દીઠા!] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ત્યાં તો વાદળાં ભેદીને સૂર્યે ભરચક નદીના હૈયા ઉપર ઝલક ઝલક કિરણો પાથરી જાણે પાણી સાથે મિલાવી દીધાં. કન્યા ગાય છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ચડા! ચડા! ચેયે થેકો | |||
::આમાર બાપ ભાઈકે દેખે હેસો | |||
::[ચડા! રે ચડા! જોતો રે’જે | |||
::ભાઈ-બાપાને ભાળી હસજે!] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
કોઈ ગામની એક હોડી તણાતી ચાલી જાય છે તેને જોઈને — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ભેલા! ભેલા! સમુદ્રે થેકો, | |||
::આમાર બાપ-ભાઈરે મને રેખો. | |||
::[હોડી! હોડી! દરિયે રે’જે! | |||
::ભાઈ-બાપાને જાળવજે!] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પછી વ્રત-વિધિનો બીજો પ્રવેશ મંડાય છે. અરણ્યની ગીચ ઝાડીઓ ને પહાડો : અંધારી રાત : અને છેટેથી પ્રાણીઓની તેમ જ દરિયાની ગર્જના સંભળાય છે. ભયભીત સ્વરે કન્યાઓ બોલે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::જંગલના નાર! જંગલના વાઘ : | |||
::પછી સર્વે રડતી રડતી — | |||
::ક્યાં રે હશે મારા ભાઈ ને બાપ! | |||
::ક્યાં રે હશે મારા સસરા ને શ્યામ! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
વનદેવી જાણે આશ્વાસન આપે છે. ઉદયગિરિના શૃંગ પર સૂર્યોદયની પ્રભા દેખાય છે. ઉદયગિરિને ફૂલ ચડાવવીને કન્યાઓ આરાધે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ઉદયગિરિ રે ઉદયગિરિ | |||
::સોનાની તારી પાઘલડી. | |||
::આટલી પૂજા જાણજે | |||
::ભાઈ-બાપને ઘેરે આણજે! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એવે સૂર્યોદયનાં અજવાળાં વચ્ચે, મસ્તક પર બે છત્ર ધરીને શરદ અને વર્ષારૂપી બે નૌકામાં પગ રાખી, સમુદ્ર પર ભાદૂલી દેવી પ્રકટ થાય છે અને કન્યાઓ સાગરનું ગાન ઉપાડે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::સાત સમુદ્ર વાયુ ખેલે, કયે સમુદ્રે છોળ ઉછાળે! | |||
::સાગરને વીંટીને બધી કન્યાઓ બોલે છે : | |||
::દરિયા દરિયા પાય પડું | |||
::તુજ સું મારે બેનપણું : | |||
::ભાઈ બાપ ગ્યા છે વેપારે | |||
::સ્વામી ગ્યા છે વેપારે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ત્યાં તો જાણે આકાશવાણી થાય છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::આજ જ પાછા આવશે! | |||
::આજ જ પાછા આવશે! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એમ એક પછી એક દૃશ્ય ગવાતું આવે છે, ને છેલ્લે સ્વજનોની સફર પૂરી થતી કલ્પાઈ છે, ઘેરે જાણે કલ્લોલ થઈ રહ્યો છે વગેરે. | |||
{{Poem2Close}} | |||
<center>'''ધાન્યોત્પાદનનો આનંદ'''</center> | |||
{{Poem2Open}} | |||
એ રીતે આપણે જોયું કે વર્ષાઋતુ દેશને જળમાં ભીંજવી વિદાય લે છે, અને શરદ ચાલી આવે છે — તેના ઉત્સવ સમું આ ભાદૂલી વ્રત છે. એવું જ શસપાતા વ્રત : એમાં માનવી વિપુલ ધાન્યની વાંછના કરે છે. પણ એ વાંછના સફળ કરવા માટે પ્રમાદી બનીને કોઈ દેવતાની પાસે હાથ જોડી ‘દો! દો!’ કરવાનું નથી; પણ એ વ્રતની વિધિમાં જ સાચેસાચ મોલ ઉગાડવાનો અને પાક પકવવાનો જે આનંદ હોય છે, તે આનંદને નાચગાન અને વિધવિધ ચેષ્ટાઓ કરવાની વિધિ છે. | |||
એક જ વાક્યમાં કહું તો આ વ્રતો ગાન માટે, ચિત્ર વાટે ને નૃત્ય-અભિનય વાટે વ્યક્ત થતી માનવકામનાઓ છે. | |||
{{Poem2Close}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પુરોગામી પુરાવા | |||
|next = લોકજન્ય સમાજશાસ્ત્ર | |||
}} | |||
<br> |
edits