સરસ્વતીચંદ્ર ભાગ ૧/બુદ્ધિધનનું કુટુંબ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
આ ટોળીમાં બે જણ અગ્રેસર હતી. છેક અગાડી વીશ બાવીશ વર્ષની છકેલ જોબનના પૂરમાં તણાતી બુદ્ધિધનની દીકરી અલકકિશોરી હતી. તેની સાથે–પણ જરા પાછળ–ચૌદ પંદર વર્ષની સંપૂર્ણ મુગ્ધાવસ્થામાં પણ જુવાનીના મળસ્કાના ઉજાસમાં તથા તે સમયને યોગ્ય મદનની વિરલ પણ શીતળ લહેરોમાં મોજ માણતી, બુદ્ધિધનના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી હંસગતિથી ચાલતી હતી. તડાકા ભડાકા કરતી અને આખા અંધકારને સળગાવી મુકતી ચમકતી વીજળીની પાછળ મેઘ વેરાઈ જતાં કોમળ અને મનહર મંદ ચંદ્રિકા પ્રકાશે તેમ ભભકભરી અલકકિશોરી પાછળ સૌમ્ય કાન્તિવાળી અર્ધ વિકસેલા સ્મિતભરી કુમુદસુંદરી શરમાતી શરમાતી પોતાના પ્રફુલ્લ વદનનો સ્થિર આભાસ આખા મંદિરમાં પ્રકટાવતી હતી.
આ ટોળીમાં બે જણ અગ્રેસર હતી. છેક અગાડી વીશ બાવીશ વર્ષની છકેલ જોબનના પૂરમાં તણાતી બુદ્ધિધનની દીકરી અલકકિશોરી હતી. તેની સાથે–પણ જરા પાછળ–ચૌદ પંદર વર્ષની સંપૂર્ણ મુગ્ધાવસ્થામાં પણ જુવાનીના મળસ્કાના ઉજાસમાં તથા તે સમયને યોગ્ય મદનની વિરલ પણ શીતળ લહેરોમાં મોજ માણતી, બુદ્ધિધનના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી હંસગતિથી ચાલતી હતી. તડાકા ભડાકા કરતી અને આખા અંધકારને સળગાવી મુકતી ચમકતી વીજળીની પાછળ મેઘ વેરાઈ જતાં કોમળ અને મનહર મંદ ચંદ્રિકા પ્રકાશે તેમ ભભકભરી અલકકિશોરી પાછળ સૌમ્ય કાન્તિવાળી અર્ધ વિકસેલા સ્મિતભરી કુમુદસુંદરી શરમાતી શરમાતી પોતાના પ્રફુલ્લ વદનનો સ્થિર આભાસ આખા મંદિરમાં પ્રકટાવતી હતી.
<hr>
<hr>
<ref>1.પ્રકરણ-૨, ૩, ૪, અને ૫, એમાં વાર્તાના પ્રસંગ કરતાં ઇતિહાસ જ પ્રધાનભૂત છે.</ref>
<ref>[1] પ્રકરણ-૨, ૩, ૪, અને ૫, એમાં વાર્તાના પ્રસંગ કરતાં ઇતિહાસ જ પ્રધાનભૂત છે.</ref>
​નણંદ ભોજાઈ વચ્ચે દેખાવમાં, સ્વભાવમાં અને આચારવિચારમાં દેખાઈ આવે એટલો ફરક હતો; અને તેનું કા૨ણ ઘણે અંશે તેમના કુટુંબ, ઇતિહાસ, અને શિક્ષણમાં હતું. તે ફરકનાં બીજ ઈશ્વરે તો જન્મથી જ મુકેલાં હતાં પણ તે બીજનો વિકાસ આ બાહ્ય કારણોથી પ્રફુલ્લ થયેલો હતો.
​નણંદ ભોજાઈ વચ્ચે દેખાવમાં, સ્વભાવમાં અને આચારવિચારમાં દેખાઈ આવે એટલો ફરક હતો; અને તેનું કા૨ણ ઘણે અંશે તેમના કુટુંબ, ઇતિહાસ, અને શિક્ષણમાં હતું. તે ફરકનાં બીજ ઈશ્વરે તો જન્મથી જ મુકેલાં હતાં પણ તે બીજનો વિકાસ આ બાહ્ય કારણોથી પ્રફુલ્લ થયેલો હતો.


અલકકિશોરી સ્ત્રીવર્ગ જેને 'જાજરમાન'<ref> जाज्वल्यमान</ref> કહે છે તે પ્રકારની હતી. તેનો રંગ સોનેરી ગોરો તથા મધ્યાહ્નના તાપની પેઠે ચળકાટ મારતો હોય તેવો હતો એટલે પાસે આવનારી નજર તેના ભણી સહસા ખેંચાતી અને અંજાતી. તેના સર્વ અવયવોનો ઘાટ પ્રમાણસર પણ મ્હોટો હતો એટલે જોના૨ની આંખ એકદમ ભરાઈ જતી. તેના હાવભાવ ચંચળ, પ્રબળ, અને પ્રતાપી હતા તેથી તેની સામે ઉભા રહેનારનું હૃદય સભાક્ષોભના જેવો ક્ષોભ પામતું અને ગરીબ બની જતું. અમલ ચલાવતી હોય તેવી રીતે તેને બોલવાની ટેવ હતી; તેની સાથે વાત કરનાર માણસ, વાત કરતા સુધી અને એની પાસેથી છુટતા સુધી, સ્વાભાવિક પરાધીનતા ભોગવતાં; અને જેમ બુદ્ધિધનનો દોર તેના અમલથી ચાલતો તેમ અલકાબ્હેનનો દોર તેના દૃષ્ટિપાતથી ચાલતો. સાધારણ બુદ્ધિના લોકનું એમ માનવું હતું કે આ સર્વનું કારણ તેના શરીરની સુંદરતા છે. આમ માનવામાં તેઓનો દોષ ન હતો, કારણ ભભક ધમકથી અંજાયલી તેમની દૃષ્ટિયોની વિવેક-શક્તિને પક્ષાઘાત થતો. ખરું અને ઝીણવટથી તપાસી જોનારને અથવા તેની ગે૨હાજરીમાં સ્મરણ આણી વિચારનારને અલકકિશોરીમાં વધારે વધારે ખોડો માલમ પડતી; પરંતુ તેવાઓને પણ તેના રૂઆબ આગળ લાચાર દીલના બની જવું પડતું. આવું છતાં કોઈ પણ માણસનું મન બંડ કરવા ચ્હાતું તો આ પ્રતાપી હરિણાક્ષીના જોબનનો ઉકળાટ તેનું ગુમાન ઉતારી દેતો અને એનો નિરંતર મચી રહેતો તનમનાટ તેને દિઙ્‌મૂઢ બનાવી દેતો. આા આકર્ષણ–શક્તિને લીધે આ ઉન્મત્ત યૌવનવાળીની આસપાસ કચેરી ભરાઈ ર્‌હેતી જેમાં તે પોતે શક્તિ જેવી શક્તિ ધરાવતી હતી.
અલકકિશોરી સ્ત્રીવર્ગ જેને 'જાજરમાન'<ref>[2] जाज्वल्यमान</ref> કહે છે તે પ્રકારની હતી. તેનો રંગ સોનેરી ગોરો તથા મધ્યાહ્નના તાપની પેઠે ચળકાટ મારતો હોય તેવો હતો એટલે પાસે આવનારી નજર તેના ભણી સહસા ખેંચાતી અને અંજાતી. તેના સર્વ અવયવોનો ઘાટ પ્રમાણસર પણ મ્હોટો હતો એટલે જોના૨ની આંખ એકદમ ભરાઈ જતી. તેના હાવભાવ ચંચળ, પ્રબળ, અને પ્રતાપી હતા તેથી તેની સામે ઉભા રહેનારનું હૃદય સભાક્ષોભના જેવો ક્ષોભ પામતું અને ગરીબ બની જતું. અમલ ચલાવતી હોય તેવી રીતે તેને બોલવાની ટેવ હતી; તેની સાથે વાત કરનાર માણસ, વાત કરતા સુધી અને એની પાસેથી છુટતા સુધી, સ્વાભાવિક પરાધીનતા ભોગવતાં; અને જેમ બુદ્ધિધનનો દોર તેના અમલથી ચાલતો તેમ અલકાબ્હેનનો દોર તેના દૃષ્ટિપાતથી ચાલતો. સાધારણ બુદ્ધિના લોકનું એમ માનવું હતું કે આ સર્વનું કારણ તેના શરીરની સુંદરતા છે. આમ માનવામાં તેઓનો દોષ ન હતો, કારણ ભભક ધમકથી અંજાયલી તેમની દૃષ્ટિયોની વિવેક-શક્તિને પક્ષાઘાત થતો. ખરું અને ઝીણવટથી તપાસી જોનારને અથવા તેની ગે૨હાજરીમાં સ્મરણ આણી વિચારનારને અલકકિશોરીમાં વધારે વધારે ખોડો માલમ પડતી; પરંતુ તેવાઓને પણ તેના રૂઆબ આગળ લાચાર દીલના બની જવું પડતું. આવું છતાં કોઈ પણ માણસનું મન બંડ કરવા ચ્હાતું તો આ પ્રતાપી હરિણાક્ષીના જોબનનો ઉકળાટ તેનું ગુમાન ઉતારી દેતો અને એનો નિરંતર મચી રહેતો તનમનાટ તેને દિઙ્‌મૂઢ બનાવી દેતો. આા આકર્ષણ–શક્તિને લીધે આ ઉન્મત્ત યૌવનવાળીની આસપાસ કચેરી ભરાઈ ર્‌હેતી જેમાં તે પોતે શક્તિ જેવી શક્તિ ધરાવતી હતી.


અલકકિશોરીની મા સૌભાગ્યદેવી માત્ર એક સાધારણ રૂપગુણની સ્ત્રી હતી અને તેનાં ઠરેલપણાને લીધે બુદ્ધિધન તેને ચ્હાતો. તોપણ અલકકિશેરી ન્હાની હતી ત્યારથી જ બાપને હાથે ઘણું લાડ પામી હતી અને ઉમ્મરમાં આવવા પછી પોતાના જલદ મીજાજને લીધે, ન્હાનપણમાં ન દેખાડેલો અંકુશ હવે દેખાડવા કોઈની શક્તિ ન હોવાને લીધે, વ્યવહારમાં ગુંચવાઈ રહેતા બુદ્ધિધનને ઘરખટલા ઉપર ધ્યાન આપવા અવકાશ ન હોવાથી તથા કોઈ પણ માથે લેઈ લે એવા માણસને એ કામ કરવા દેવાની જરુર હોવાથી, સૌભાગ્યદેવીને દીકરીનું કરેલું બધું કામ પસંદ જ આવતું એવું ન હતું; તો પણ ભાર તાણવામાં તેની વૃત્તિ શિથિલ હોવાથી, તથા મૂળ સ્વભાવે જ શાંત હતી અને તેમાં વળી આવી સઉ-માનીતી દીકરી ઉપર મત્સરી જાણી જોઈને ન હોવાથી, અને ઉપર કહેલા અલકકિશોરીના પોતાના જ ગુણોને લીધે સઉપર સ્વાર થવાની પોતાની તાકાત હોવાને લીધે, એ ઉન્મત્ત કિશોરી બુદ્ધિધનના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, બ્હારના માણસો સાથે જરુર પડતા વ્યવહારમાં, અને માથું મારી શકે ત્યાં રાજકાર્યમાં પણ નિષ્કંટક રાજ્ય ચલાવતી હતી. તેને પુછ્યા વિના ઘરમાંનું કાંઈ કામ થતું નહી. તેનો દોષ કોઈ ક્‌હાડી શકતું નહી. તેની ગતિ કોઈ રોકી શકતું નહી. બહારનાં માણસો આખા અમાત્ય કુટુંબનો જીવ તેમાં જ દેખતાં, અમાત્ય ઉપર સત્તા તેની મારફત જ ચલાવવા જતાં, માન અને ખુશામત તેના ઉપર જ ઢોળી દેતાં, અને કેટલાકનું ધારવું એમ પણ હતું કે એ સાસરે જાય તો અમાત્યના ઘરમાં અંધારું જ વળી જાય. અમાત્ય આ સર્વ જાણતો, એ સઉનો ગેરલાભ કોઈ લઈ જાય નહીં તે વિષે સાવધ રહેતો અને પુત્રીનું માન રાખી પોતાનું જ ધાર્યું કરતો. તોપણ જગતનો અભિપ્રાય ફેરવવા તેની પૂરી શક્તિ ન હતી, શક્તિ હતી તેટલી વાપરતાં પુત્રીની અવગણના થાય માટે વાપરવા ઈચ્છા ન હતી, જગત કેવું આંધળું બની કેવા અભિપ્રાય બાંધે છે તે જોવામાં તેનું કુતૂહળ જાગતું, અને કેટલીક વખત તો એ ન જાણતો એમ–પણ સ્વાભાવિક રીતે – જગતનું ધાર્યું ખરુંયે પડતું. આવી રીતે સુવર્ણપુરના અમાત્યના ઘરસંસારની ઘટમાળ ફર્યા કરતી હતી.
અલકકિશોરીની મા સૌભાગ્યદેવી માત્ર એક સાધારણ રૂપગુણની સ્ત્રી હતી અને તેનાં ઠરેલપણાને લીધે બુદ્ધિધન તેને ચ્હાતો. તોપણ અલકકિશેરી ન્હાની હતી ત્યારથી જ બાપને હાથે ઘણું લાડ પામી હતી અને ઉમ્મરમાં આવવા પછી પોતાના જલદ મીજાજને લીધે, ન્હાનપણમાં ન દેખાડેલો અંકુશ હવે દેખાડવા કોઈની શક્તિ ન હોવાને લીધે, વ્યવહારમાં ગુંચવાઈ રહેતા બુદ્ધિધનને ઘરખટલા ઉપર ધ્યાન આપવા અવકાશ ન હોવાથી તથા કોઈ પણ માથે લેઈ લે એવા માણસને એ કામ કરવા દેવાની જરુર હોવાથી, સૌભાગ્યદેવીને દીકરીનું કરેલું બધું કામ પસંદ જ આવતું એવું ન હતું; તો પણ ભાર તાણવામાં તેની વૃત્તિ શિથિલ હોવાથી, તથા મૂળ સ્વભાવે જ શાંત હતી અને તેમાં વળી આવી સઉ-માનીતી દીકરી ઉપર મત્સરી જાણી જોઈને ન હોવાથી, અને ઉપર કહેલા અલકકિશોરીના પોતાના જ ગુણોને લીધે સઉપર સ્વાર થવાની પોતાની તાકાત હોવાને લીધે, એ ઉન્મત્ત કિશોરી બુદ્ધિધનના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, બ્હારના માણસો સાથે જરુર પડતા વ્યવહારમાં, અને માથું મારી શકે ત્યાં રાજકાર્યમાં પણ નિષ્કંટક રાજ્ય ચલાવતી હતી. તેને પુછ્યા વિના ઘરમાંનું કાંઈ કામ થતું નહી. તેનો દોષ કોઈ ક્‌હાડી શકતું નહી. તેની ગતિ કોઈ રોકી શકતું નહી. બહારનાં માણસો આખા અમાત્ય કુટુંબનો જીવ તેમાં જ દેખતાં, અમાત્ય ઉપર સત્તા તેની મારફત જ ચલાવવા જતાં, માન અને ખુશામત તેના ઉપર જ ઢોળી દેતાં, અને કેટલાકનું ધારવું એમ પણ હતું કે એ સાસરે જાય તો અમાત્યના ઘરમાં અંધારું જ વળી જાય. અમાત્ય આ સર્વ જાણતો, એ સઉનો ગેરલાભ કોઈ લઈ જાય નહીં તે વિષે સાવધ રહેતો અને પુત્રીનું માન રાખી પોતાનું જ ધાર્યું કરતો. તોપણ જગતનો અભિપ્રાય ફેરવવા તેની પૂરી શક્તિ ન હતી, શક્તિ હતી તેટલી વાપરતાં પુત્રીની અવગણના થાય માટે વાપરવા ઈચ્છા ન હતી, જગત કેવું આંધળું બની કેવા અભિપ્રાય બાંધે છે તે જોવામાં તેનું કુતૂહળ જાગતું, અને કેટલીક વખત તો એ ન જાણતો એમ–પણ સ્વાભાવિક રીતે – જગતનું ધાર્યું ખરુંયે પડતું. આવી રીતે સુવર્ણપુરના અમાત્યના ઘરસંસારની ઘટમાળ ફર્યા કરતી હતી.
Line 30: Line 30:
<poem>
<poem>
“અડોઅડ કપોલ લાગી રહેલ;
“અડોઅડ કપોલ લાગી રહેલ;
“મન્દ અતિમન્દ શી ગોષ્ટી<ref>ગોઠ, ગોઠડી, છાની વાતચીત.</ref> મચેલ !
“મન્દ અતિમન્દ શી ગોષ્ટી<ref>[3]ગોઠ, ગોઠડી, છાની વાતચીત.</ref> મચેલ !
“નહી પૂર્વાપર કાંઈ ગણેલ,
“નહી પૂર્વાપર કાંઈ ગણેલ,
“મુખે કાંઈ એમ લવંતાં ગેલઃ
“મુખે કાંઈ એમ લવંતાં ગેલઃ
“આલિંગન-અશિથિલ-થી રહી ચાંપી કર અક્કેક,
“આલિંગન-અશિથિલ-થી રહી ચાંપી કર અક્કેક,
“ગમત-સ્વપ્નમાં એમ નિશાના પ્રહર ન જાણ્યા છેક ! [૨]<ref>* રા. મણિલાલ નભુભાઇના ઉત્તરરામચરિતના ભાષાંતર ઉપરથી.</ref>...૧
“ગમત-સ્વપ્નમાં એમ નિશાના પ્રહર ન જાણ્યા છેક ! [૨]<ref>*[4] રા. મણિલાલ નભુભાઇના ઉત્તરરામચરિતના ભાષાંતર ઉપરથી.</ref>...૧
"હસતું ત્યાં શિશુસમું મુગ્ધ પ્રભાત
"હસતું ત્યાં શિશુસમું મુગ્ધ પ્રભાત
“આવી ઉભું રહેતું નયનની પાસ
“આવી ઉભું રહેતું નયનની પાસ
Line 58: Line 58:
આવા સંસ્કારવાળી કુમુદસુંદરી બુદ્ધિધનના ઘરમાં આવી એટલે તરત એને એક નવી દુનિયામાં પેઠા જેવું લાગ્યું. દેખાવમાં અલકકિશોરીનાથી બહુ જુદી હતી. તેના શરીરનો વર્ણ રુપેરી ગોરો હતો. તેનું કાઠું નાજુક હતું. “ન્હાનીશી નાર ને નાકે રે મોતી ” એ વર્ણનના સહાધ્યાસી સંસ્કારો તેનામાં મૂર્તિમાન થતા હતા. ભભકની અાકર્ષણ શક્તિ તેનામાં ૨જ પણ ન હતી. રૂઅાબનો દોર તેનાથી જુદો પડતો હતો. કેટલાકને તે ગરીબ ગાય જેવી દેખાતી. કેટલાકને તે નિર્માલ્ય-માલવગરની લાગતી. તેના મુખ સામું સઉ કોઈ જોઈ શકતા. તે માત્ર મંગળ આભૂષણ અને અાછાં પણ સુંદ૨ ચિત્રવાળાં – સાદાં જેવાં – વસ્ત્ર પહેરતી. નાજુક–બાળકના જેવા હાથ અને તેવા જ કુમળા મેદી મુકેલા ન્હાના પગ વગર તેના અંગનો સર્વ ભાગ. વસ્ત્રમાં ઢંકાઈ રહેતો. તેના હાવભાવ પ્રસંગે જ જોવામાં આવતા અને પ્રસંગોપાત્ત હોવાથી કોઈનું ધ્યાન ખેંચતા ન હતા. શરદ્ૠતુના ન્હાના વાદળા ઉપર ચંદ્રલેખા જણાય તેમ એનાં વસ્ત્ર ઉપર તેનું ખરું આછા સ્મિતવાળું મુખ દેખાતું. તે બોલતી થોડું, પણ બોલે તે વખત રુપાની ન્હાની ઘંટડીના જેવો ​સ્વર નીકળતો અને સઉ કોઈને એનાં વચન મધુર લાગતાં. સાત્વિક વૃત્તિવાળા મનુષ્યો તેના ઉપર દ્રષ્ટિ ઠારતાં અને જેઓને એનું મ્હોં નીહાળવાની ટેવ પડતી તેમને એના ઉપર સહજ નિર્દોષ, અને શાંત પ્રીતિ ઉપજતી. રસજ્ઞ પુરુષોને વધારે જોતાં એના મુખ પર વધારે શુદ્ધ સુંદરતા સ્પષ્ટ માલમ પડતી. ચતુર સ્ત્રીયોને તેની અાંખ ચકોર લાગતી. અાધેર સ્ત્રીયો એમ કહેતી કે એનામાં સહોજ બહુ છે. જુવાન લલનાઓને એની વાતોમાં રસ પડતો. રસીયણ બાઈડીઓ એની પાસે બેસતી, એના સામું જોઈ ર્‌હેતી, એની બોલવાની રીત સરતમાં રાખતી, એના હાવભાવનું અનુકરણ કરતી અને કરવાની બીજાને શીખામણ આપતી, અને એની નાજુકતા, સુંદરતા, ચતુરાઈ ને લજજા, એનું લાવણ્ય અને કોમળપણુંઃ અા સઉ કીયા કીયા પ્રસંગમાં કેવી કેવી રીતે દેખાયું તેનું પૃથકકરણ કરતી અને તે પર એ આઘે હોય ત્યારે રસભેર ચર્ચા ચલાવતી. ન્હાનાં બાળકો રમવાનું મુકી દેઈ એની પાસે આવી એને વીંટાઈ બેશી રહેતાં. અને કોઈ પણ માણસ એની સુંદરતા શોધી ક્‌હાડતું તો સઉ સાંભળનાર તે શોધનારની ચતુ૨તા વખાણતાં અને તેના મતમાં ભળતાં. કેટલાંક અંત:કરણોમાં એને જોતાં આશીર્વાદની ઊર્મિયો ઉછળતી. એના ઉપર જોનાર, એને સાંભળનાર, એની સાથે બોલનારઃ સઉ એકસરખાં શાંત ચંદ્રિકામાં ન્હાતાં હોય, અમૃત સરોવરમાં ડુબકી મારતાં હોય, શીતળ આનંદની વૃષ્ટિમાં ફરતાં હોય - એવી નિર્દોષ રસિક વૃત્તિનો અનુભવ કરતાં.
આવા સંસ્કારવાળી કુમુદસુંદરી બુદ્ધિધનના ઘરમાં આવી એટલે તરત એને એક નવી દુનિયામાં પેઠા જેવું લાગ્યું. દેખાવમાં અલકકિશોરીનાથી બહુ જુદી હતી. તેના શરીરનો વર્ણ રુપેરી ગોરો હતો. તેનું કાઠું નાજુક હતું. “ન્હાનીશી નાર ને નાકે રે મોતી ” એ વર્ણનના સહાધ્યાસી સંસ્કારો તેનામાં મૂર્તિમાન થતા હતા. ભભકની અાકર્ષણ શક્તિ તેનામાં ૨જ પણ ન હતી. રૂઅાબનો દોર તેનાથી જુદો પડતો હતો. કેટલાકને તે ગરીબ ગાય જેવી દેખાતી. કેટલાકને તે નિર્માલ્ય-માલવગરની લાગતી. તેના મુખ સામું સઉ કોઈ જોઈ શકતા. તે માત્ર મંગળ આભૂષણ અને અાછાં પણ સુંદ૨ ચિત્રવાળાં – સાદાં જેવાં – વસ્ત્ર પહેરતી. નાજુક–બાળકના જેવા હાથ અને તેવા જ કુમળા મેદી મુકેલા ન્હાના પગ વગર તેના અંગનો સર્વ ભાગ. વસ્ત્રમાં ઢંકાઈ રહેતો. તેના હાવભાવ પ્રસંગે જ જોવામાં આવતા અને પ્રસંગોપાત્ત હોવાથી કોઈનું ધ્યાન ખેંચતા ન હતા. શરદ્ૠતુના ન્હાના વાદળા ઉપર ચંદ્રલેખા જણાય તેમ એનાં વસ્ત્ર ઉપર તેનું ખરું આછા સ્મિતવાળું મુખ દેખાતું. તે બોલતી થોડું, પણ બોલે તે વખત રુપાની ન્હાની ઘંટડીના જેવો ​સ્વર નીકળતો અને સઉ કોઈને એનાં વચન મધુર લાગતાં. સાત્વિક વૃત્તિવાળા મનુષ્યો તેના ઉપર દ્રષ્ટિ ઠારતાં અને જેઓને એનું મ્હોં નીહાળવાની ટેવ પડતી તેમને એના ઉપર સહજ નિર્દોષ, અને શાંત પ્રીતિ ઉપજતી. રસજ્ઞ પુરુષોને વધારે જોતાં એના મુખ પર વધારે શુદ્ધ સુંદરતા સ્પષ્ટ માલમ પડતી. ચતુર સ્ત્રીયોને તેની અાંખ ચકોર લાગતી. અાધેર સ્ત્રીયો એમ કહેતી કે એનામાં સહોજ બહુ છે. જુવાન લલનાઓને એની વાતોમાં રસ પડતો. રસીયણ બાઈડીઓ એની પાસે બેસતી, એના સામું જોઈ ર્‌હેતી, એની બોલવાની રીત સરતમાં રાખતી, એના હાવભાવનું અનુકરણ કરતી અને કરવાની બીજાને શીખામણ આપતી, અને એની નાજુકતા, સુંદરતા, ચતુરાઈ ને લજજા, એનું લાવણ્ય અને કોમળપણુંઃ અા સઉ કીયા કીયા પ્રસંગમાં કેવી કેવી રીતે દેખાયું તેનું પૃથકકરણ કરતી અને તે પર એ આઘે હોય ત્યારે રસભેર ચર્ચા ચલાવતી. ન્હાનાં બાળકો રમવાનું મુકી દેઈ એની પાસે આવી એને વીંટાઈ બેશી રહેતાં. અને કોઈ પણ માણસ એની સુંદરતા શોધી ક્‌હાડતું તો સઉ સાંભળનાર તે શોધનારની ચતુ૨તા વખાણતાં અને તેના મતમાં ભળતાં. કેટલાંક અંત:કરણોમાં એને જોતાં આશીર્વાદની ઊર્મિયો ઉછળતી. એના ઉપર જોનાર, એને સાંભળનાર, એની સાથે બોલનારઃ સઉ એકસરખાં શાંત ચંદ્રિકામાં ન્હાતાં હોય, અમૃત સરોવરમાં ડુબકી મારતાં હોય, શીતળ આનંદની વૃષ્ટિમાં ફરતાં હોય - એવી નિર્દોષ રસિક વૃત્તિનો અનુભવ કરતાં.


સાસરીયામાં પણ અત્યારસુધીમાં એણે સારો સમાસ કરી લીધો હતો. અલકકિશોરીને અમલ ચલાવવાની ટેવ પડી હતી, તો કુમુદસુંદરીને ન્હાનપણમાંથી આજ્ઞા માનવાની ટેવ પડી હતી. અમાત્યના ઘરમાં સ્ત્રીવર્ગને કાંઈ કામ કરવાનું હતું નહી કે વાદ થાય. પઈસાનો ટોટો હતો નહી કે સઉની ઈચ્છાઓ પૂરી પાડતાં ભેદ રાખવો પડે. તેમાં વળી નવી વહુને લાવ્યાનું માન અલકબ્હેનને હતું. એટલે એ વહુને શણગારવી, અગાડી પાડવી, એની શોભા વધારવી, એને નાતમાં જાતમાં સગાવ્હાલામાં કુટુંબરરૂઢીમાં દાખલ કરવી, સારી શીખામણ આપવી, ઈત્યાદિ કામ ઉત્સાહથી કરવાનો ઓરીયો પણ બ્હેનને લેવાનો હતો. સઉ બાબતમાં સૌભાગ્યદેવીની તો અનુમતિ જ લેવામાં અાવતી, બુદ્ધિધન પાસે તો વાતો જ કરવામાં આવતી, અને પ્રમાદધનની પસંદગી પુછવામાં આવતી. ભાભી સાહેબ બાબત ભાઈ પાસે ચાકરો વાતો કરી બંનેની મ્હેરબાની મેળવવા યત્ન કરતા અને બહેન નર્મ<ref>મધુર મશ્કેરી.</ref> વાક્યો બોલી ટોળ કરતાં. અત્યારસુધી ઘરમાં સર્વનો વખત આ નિર્દોષ અને નવીન આનંદમાં ગયો હતો. કુમુદસુંદરી સાસરે આવી ત્યારપછી પણ તરતમાં તો સરસ્વતીચંદ્રને સંભારી સંભારી છાની છાની રોતી, લાગ મળ્યે નિ:શ્વાસ મુકતી, પણ બધાં બેઠાં હોય ત્યારે તેમની રમત ગમતોમાં તથા ઉત્સાહમાં શૂન્ય હૃદયથી ભાગ લેતી, ફીકા હાસ્ય વડે મર્મશોકપર ઢાંક પીછોડો કરતી, લજજાળુપણાને નામે સઉ ચાલ્યું જતું, અને હૃદયશંકુનાં ઉપજાવેલાં અાંસુ આનંદનાં અાંસુમાં ગણાતાં. પ્રમાદધનસાથે મન મેળવવા ઈચ્છતી અને પ્રયત્ન કરતી, પરંતુ તેનું હૃદય માત્ર ઘસડાતું અને ઘસડાતાં ઘણાક ઘા ખમતું. આમ છતાં કાળના પ્રવાહનું બળ, નવીન સૃષ્ટિનો અનુભવ, બીજા સઉના આનંદની ભરતીને વેગ, પોતાનાં બાળક મનની સ્થિતિસ્થાપકતા, ઈશ્વરઈચ્છાને શરણ થવાની આવશ્યકતાબુદ્ધિ, નિરુપાય વાતને નીભાવી લેવાનો શાણો વિચાર, અને નવા પતિના સંબંધને લીધે હવે પરપુરુષ બની ગયલાની કલ્પના પણ કરવી એ પતિવ્રતાધર્મથી વિરુદ્ધ છે એવું જ્ઞાન: આ સઉને લીધે બલવાન બાળકીએ પોતાના મનને તંગ ખેંચી હળવે હળવે સ્વાધીન કરી લીધું હતું અને સમય-ધર્મને અનુસરવા લાગી હતી. પાછલી વાત વિસારે પડવા માંડી હતી, અને પ્રસન્નતા તેના મુખ ઉપર ભાસતી હતી; માત્ર એટલું હતું કે આ પ્રસન્નતા પ્રાતઃકાળની ચંદ્રલેખા જેવી હતી. ગુણસુંદરી વિના તેને કળી શકે એવું કોઈ હતું નહીં. તે પાસે હત તો આ જોઈ તેનું વત્સલ હૃદય ફાટી જાત. પ્રમાદધન માત્ર આનંદની સપાટી ઉપર જ તરતો હતો. એને તથા સઉ જોનાર મંડળને કુમુદસુંદરી સુખની સીમા ભોગવતી પ્રત્યક્ષ પ્રમાણથી લાગતી હતી અને પરોક્ષ પ્રામાણ સઉને પરોક્ષ હતાં.
સાસરીયામાં પણ અત્યારસુધીમાં એણે સારો સમાસ કરી લીધો હતો. અલકકિશોરીને અમલ ચલાવવાની ટેવ પડી હતી, તો કુમુદસુંદરીને ન્હાનપણમાંથી આજ્ઞા માનવાની ટેવ પડી હતી. અમાત્યના ઘરમાં સ્ત્રીવર્ગને કાંઈ કામ કરવાનું હતું નહી કે વાદ થાય. પઈસાનો ટોટો હતો નહી કે સઉની ઈચ્છાઓ પૂરી પાડતાં ભેદ રાખવો પડે. તેમાં વળી નવી વહુને લાવ્યાનું માન અલકબ્હેનને હતું. એટલે એ વહુને શણગારવી, અગાડી પાડવી, એની શોભા વધારવી, એને નાતમાં જાતમાં સગાવ્હાલામાં કુટુંબરરૂઢીમાં દાખલ કરવી, સારી શીખામણ આપવી, ઈત્યાદિ કામ ઉત્સાહથી કરવાનો ઓરીયો પણ બ્હેનને લેવાનો હતો. સઉ બાબતમાં સૌભાગ્યદેવીની તો અનુમતિ જ લેવામાં અાવતી, બુદ્ધિધન પાસે તો વાતો જ કરવામાં આવતી, અને પ્રમાદધનની પસંદગી પુછવામાં આવતી. ભાભી સાહેબ બાબત ભાઈ પાસે ચાકરો વાતો કરી બંનેની મ્હેરબાની મેળવવા યત્ન કરતા અને બહેન નર્મ<ref>[5]મધુર મશ્કેરી.</ref> વાક્યો બોલી ટોળ કરતાં. અત્યારસુધી ઘરમાં સર્વનો વખત આ નિર્દોષ અને નવીન આનંદમાં ગયો હતો. કુમુદસુંદરી સાસરે આવી ત્યારપછી પણ તરતમાં તો સરસ્વતીચંદ્રને સંભારી સંભારી છાની છાની રોતી, લાગ મળ્યે નિ:શ્વાસ મુકતી, પણ બધાં બેઠાં હોય ત્યારે તેમની રમત ગમતોમાં તથા ઉત્સાહમાં શૂન્ય હૃદયથી ભાગ લેતી, ફીકા હાસ્ય વડે મર્મશોકપર ઢાંક પીછોડો કરતી, લજજાળુપણાને નામે સઉ ચાલ્યું જતું, અને હૃદયશંકુનાં ઉપજાવેલાં અાંસુ આનંદનાં અાંસુમાં ગણાતાં. પ્રમાદધનસાથે મન મેળવવા ઈચ્છતી અને પ્રયત્ન કરતી, પરંતુ તેનું હૃદય માત્ર ઘસડાતું અને ઘસડાતાં ઘણાક ઘા ખમતું. આમ છતાં કાળના પ્રવાહનું બળ, નવીન સૃષ્ટિનો અનુભવ, બીજા સઉના આનંદની ભરતીને વેગ, પોતાનાં બાળક મનની સ્થિતિસ્થાપકતા, ઈશ્વરઈચ્છાને શરણ થવાની આવશ્યકતાબુદ્ધિ, નિરુપાય વાતને નીભાવી લેવાનો શાણો વિચાર, અને નવા પતિના સંબંધને લીધે હવે પરપુરુષ બની ગયલાની કલ્પના પણ કરવી એ પતિવ્રતાધર્મથી વિરુદ્ધ છે એવું જ્ઞાન: આ સઉને લીધે બલવાન બાળકીએ પોતાના મનને તંગ ખેંચી હળવે હળવે સ્વાધીન કરી લીધું હતું અને સમય-ધર્મને અનુસરવા લાગી હતી. પાછલી વાત વિસારે પડવા માંડી હતી, અને પ્રસન્નતા તેના મુખ ઉપર ભાસતી હતી; માત્ર એટલું હતું કે આ પ્રસન્નતા પ્રાતઃકાળની ચંદ્રલેખા જેવી હતી. ગુણસુંદરી વિના તેને કળી શકે એવું કોઈ હતું નહીં. તે પાસે હત તો આ જોઈ તેનું વત્સલ હૃદય ફાટી જાત. પ્રમાદધન માત્ર આનંદની સપાટી ઉપર જ તરતો હતો. એને તથા સઉ જોનાર મંડળને કુમુદસુંદરી સુખની સીમા ભોગવતી પ્રત્યક્ષ પ્રમાણથી લાગતી હતી અને પરોક્ષ પ્રામાણ સઉને પરોક્ષ હતાં.


પિતાના ઘરમાં મળેલા તેના સંસ્કારને ઉછેરનાર સાસરે કોઈ ન હતું. પ્રમાદધને શાળામાં વેઠીયાવાડથી અભ્યાસ કરેલો હતો; અને ઉમ્મરમાં આવ્યે વિદ્યાવસ્થામાં પરતંત્રતા લાગવાથી, શાળામાં ન્હાનમ લાગવાથી, અભ્યાસ કંટાળાભરેલા વૈતરા જેવો થવાથી, વિદ્યામાં નિર્ધન પુરુષોની ઉપજીવિકાના સાધનપણા વગર બીજું ફલ ન દેખાવાથી, વિદ્યામાં બીજું કાંઈ ફલ હોય તો તે ફલ ભણેલાઓને નોકર રાખી તેમની પાસેથી લેઈ શકાશે એવી સમજ હોવાથી, વિદ્યાના ભંડારના નમુનામાં શાળાના માસ્તર નજર આગળ હતા તેને સઉ ખાલી માન આપતા પરંતુ રાજ્યકાર્યમાં તેમની સલાહ લેવાની પણ કદી કોઈને જરુર લાગતી ન હતી. તે જેવાની ટેવ હોવાથી, ઈંગ્રેજી વિદ્યામાં માત્ર સ્વભાષા અને રાજભાષાનું જ મહત્વ લાગવાથી, સંસ્કૃત ભાષા માત્ર શાસ્ત્રી પુરાણી જેવા પૂજનીય પણ ભિક્ષુક વર્ગને જ ઉપયોગી ​તથા શોભાવાળી દેખાવાથી, ગણિતવિદ્યા, તત્વવિદ્યા, વેદાંત વગેરે તો નવરા માણસો, ઘરડાઓ, સંન્યાસિયો, સાધન-રહિત માણસો અને એવા બીજા માન આપવા યોગ્ય પણ ખરું જોતાં નકામા માણસોને જ ઉપયોગી છે એવું લાગવાથી, પિતાના તરફથી પણ આવા સર્વ વિચારોનું બીજ મળેલું અને તે પોતાના આળસુ વિચારરૂપી જળની વૃદ્ધિ પામેલું હોવાથી, પિતાનો અને પોતાનો મતભેદ પડે તે પણ પુત્ર ધર્મથી વિરુદ્ધ છે એ રીતની આવા વિષયોમાં બુદ્ધિ રહેવાથી, અાસપાસના મંડળની ખુશામત - અપ્રિય પણ સત્ય બોલનારની ખામી અને અનિષ્ટ પરિણામોના અનુભવનો પ્રસંગ ના આવેલો – એ સઉ કારણથી, પોતાની બુદ્ધિને સારું સામાન્ય રીતે સર્વને હોય છે તેમ પોતાનો ઉંચો અભિપ્રાય હોવાથી: પ્રમાદધન પ્રમાદમાં જ રહેતો, સંપત્તિને અચળ ગણતો, કાળના પ્રવાહમાં અાંખો મીંચી તણાયો જતો, અને ધારતો કે હું પોતાના બળથી તરું છું. દરબારી કામમાંથી નવરો પડતાં, નવલકથાઓ વાંચવામાં તથા મિત્ર મંડળ વચ્ચે બેસી અાત્મસ્તુતિ, પરનિન્દા, સ્ત્રીયોના પ્રસંગ, મનને વિહ્‌વળ કરી નાંખે એવી ક૯પનાઓ, મરજી પડે ત્યાં ફરવું, હરવું, ફાવે તે બોલવું, મનમાં ઊર્મિ ઉઠે તે પ્રમાણે વર્તવું, અને એવા એવા વ્યાપારોમાં અમાત્યપુત્રનો કાળ જતો અને એવી રીતે વખત ગુમાવવાની જોગવાઈ તથા શક્તિ મળતી તેમાં પોતાનો ભાગ્યોદય અને સંપત્તિનો સદુપયોગ માનતો. બીજી રીતે તેનો સ્વભાવ સુશીલ, આનંદી અને સંતોષકારક હતો. કુમુદસુંદરીના સર્વ અભિલાષ તૃપ્ત કરું એવી તેની વૃત્તિ હતી અને તેને સુખ આપવા શુદ્ધ અંતઃકરણથી મથતો. તેની સુંદરતાનું અભિમાન રાખતો. તેની વિદ્યાની સ્તુતિ કરતો, અને તેની સાથે પોતાનો યોગ થયો તે નગકુન્દન જેવો યોગ્ય માનતો.
પિતાના ઘરમાં મળેલા તેના સંસ્કારને ઉછેરનાર સાસરે કોઈ ન હતું. પ્રમાદધને શાળામાં વેઠીયાવાડથી અભ્યાસ કરેલો હતો; અને ઉમ્મરમાં આવ્યે વિદ્યાવસ્થામાં પરતંત્રતા લાગવાથી, શાળામાં ન્હાનમ લાગવાથી, અભ્યાસ કંટાળાભરેલા વૈતરા જેવો થવાથી, વિદ્યામાં નિર્ધન પુરુષોની ઉપજીવિકાના સાધનપણા વગર બીજું ફલ ન દેખાવાથી, વિદ્યામાં બીજું કાંઈ ફલ હોય તો તે ફલ ભણેલાઓને નોકર રાખી તેમની પાસેથી લેઈ શકાશે એવી સમજ હોવાથી, વિદ્યાના ભંડારના નમુનામાં શાળાના માસ્તર નજર આગળ હતા તેને સઉ ખાલી માન આપતા પરંતુ રાજ્યકાર્યમાં તેમની સલાહ લેવાની પણ કદી કોઈને જરુર લાગતી ન હતી. તે જેવાની ટેવ હોવાથી, ઈંગ્રેજી વિદ્યામાં માત્ર સ્વભાષા અને રાજભાષાનું જ મહત્વ લાગવાથી, સંસ્કૃત ભાષા માત્ર શાસ્ત્રી પુરાણી જેવા પૂજનીય પણ ભિક્ષુક વર્ગને જ ઉપયોગી ​તથા શોભાવાળી દેખાવાથી, ગણિતવિદ્યા, તત્વવિદ્યા, વેદાંત વગેરે તો નવરા માણસો, ઘરડાઓ, સંન્યાસિયો, સાધન-રહિત માણસો અને એવા બીજા માન આપવા યોગ્ય પણ ખરું જોતાં નકામા માણસોને જ ઉપયોગી છે એવું લાગવાથી, પિતાના તરફથી પણ આવા સર્વ વિચારોનું બીજ મળેલું અને તે પોતાના આળસુ વિચારરૂપી જળની વૃદ્ધિ પામેલું હોવાથી, પિતાનો અને પોતાનો મતભેદ પડે તે પણ પુત્ર ધર્મથી વિરુદ્ધ છે એ રીતની આવા વિષયોમાં બુદ્ધિ રહેવાથી, અાસપાસના મંડળની ખુશામત - અપ્રિય પણ સત્ય બોલનારની ખામી અને અનિષ્ટ પરિણામોના અનુભવનો પ્રસંગ ના આવેલો – એ સઉ કારણથી, પોતાની બુદ્ધિને સારું સામાન્ય રીતે સર્વને હોય છે તેમ પોતાનો ઉંચો અભિપ્રાય હોવાથી: પ્રમાદધન પ્રમાદમાં જ રહેતો, સંપત્તિને અચળ ગણતો, કાળના પ્રવાહમાં અાંખો મીંચી તણાયો જતો, અને ધારતો કે હું પોતાના બળથી તરું છું. દરબારી કામમાંથી નવરો પડતાં, નવલકથાઓ વાંચવામાં તથા મિત્ર મંડળ વચ્ચે બેસી અાત્મસ્તુતિ, પરનિન્દા, સ્ત્રીયોના પ્રસંગ, મનને વિહ્‌વળ કરી નાંખે એવી ક૯પનાઓ, મરજી પડે ત્યાં ફરવું, હરવું, ફાવે તે બોલવું, મનમાં ઊર્મિ ઉઠે તે પ્રમાણે વર્તવું, અને એવા એવા વ્યાપારોમાં અમાત્યપુત્રનો કાળ જતો અને એવી રીતે વખત ગુમાવવાની જોગવાઈ તથા શક્તિ મળતી તેમાં પોતાનો ભાગ્યોદય અને સંપત્તિનો સદુપયોગ માનતો. બીજી રીતે તેનો સ્વભાવ સુશીલ, આનંદી અને સંતોષકારક હતો. કુમુદસુંદરીના સર્વ અભિલાષ તૃપ્ત કરું એવી તેની વૃત્તિ હતી અને તેને સુખ આપવા શુદ્ધ અંતઃકરણથી મથતો. તેની સુંદરતાનું અભિમાન રાખતો. તેની વિદ્યાની સ્તુતિ કરતો, અને તેની સાથે પોતાનો યોગ થયો તે નગકુન્દન જેવો યોગ્ય માનતો.
Line 65: Line 65:
{{Poem2Open}}
{{Poem2Open}}
<poem>
<poem>
"શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી,<ref>રાત.</ref>
"શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી,<ref>[6]રાત.</ref>
"થઈ રખે જતી અંધ,<ref>નિસ્તેજ, અંધારી.</ref> વિયોગથી;
"થઈ રખે જતી અંધ,<ref>[7]નિસ્તેજ, અંધારી.</ref> વિયોગથી;
"દિનરુપે સુભગા<ref>સૌભાગ્યવતી.</ref> બની ર્‌હે, ગ્રહી
"દિનરુપે સુભગા<ref>[8]સૌભાગ્યવતી.</ref> બની ર્‌હે, ગ્રહી
"કર<ref>કિરણ, હાથ</ref> પ્રભાકરના મનમાનીતા!"
"કર<ref>[9]કિરણ, હાથ</ref> પ્રભાકરના મનમાનીતા!"
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
18,450

edits