સરસ્વતીચંદ્ર ભાગ ૧/પ્રમાદધન અને કુમુદસુંદરી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રમાદધન અને કુમુદસુંદરી|}} {{Poem2Open}} આ સમયે પ્રમાદધન ક્યાં હત...")
 
No edit summary
 
Line 80: Line 80:
ઉઠતાં ઉઠતાં પતિ ઉપર પ્રેમ ઉપજ્યો. “ના, એ તો એ રાંડના જ વાનાં, મ્હારા પતિ તે બીચારા ભોળા છે ” આટલો વિચાર કરી પતિની ભોળાઈ પોતાને પ્રસન્ન કરવાની તેની આતુરતા, મનાવતાં સુકાઈ જતું તેનું મ્હોં, એવું કંઈ કંઈ જોઈ વિચારી દયા આવતાં ઉમળકો આવતાં પોતાના કોમળ માંસલ ભુજવડે પતિને કણ્ઠાશ્લેષ દીધો અને પોતાની પવિત્રતા તેનામાં સંક્રાંત થઈ માનવા લાગી.
ઉઠતાં ઉઠતાં પતિ ઉપર પ્રેમ ઉપજ્યો. “ના, એ તો એ રાંડના જ વાનાં, મ્હારા પતિ તે બીચારા ભોળા છે ” આટલો વિચાર કરી પતિની ભોળાઈ પોતાને પ્રસન્ન કરવાની તેની આતુરતા, મનાવતાં સુકાઈ જતું તેનું મ્હોં, એવું કંઈ કંઈ જોઈ વિચારી દયા આવતાં ઉમળકો આવતાં પોતાના કોમળ માંસલ ભુજવડે પતિને કણ્ઠાશ્લેષ દીધો અને પોતાની પવિત્રતા તેનામાં સંક્રાંત થઈ માનવા લાગી.


અાર્યા ! લગ્નોચ્છેદક ધર્માસન[૧]આપે તેના કરતાં વધારે સુખ પ્રાપ્ત કરવાની શક્તિ ત્‍હારા આર્ય હૃદયમાં છે ! એ ધર્માસનનું સુખ અનાર્ય લોકને જ હજો !
અાર્યા ! લગ્નોચ્છેદક ધર્માસન<ref> છુટાછેડાની કેાર્ટ.</ref>આપે તેના કરતાં વધારે સુખ પ્રાપ્ત કરવાની શક્તિ ત્‍હારા આર્ય હૃદયમાં છે ! એ ધર્માસનનું સુખ અનાર્ય લોકને જ હજો !


પતિનું અંત:કરણ શુદ્ધ કાચના જેવું નિર્મળ અને પારદર્શક થઈ ગયું હોય તેમ તેને જોતાં આનંદ પામતાં તેમાંથી કૃષ્ણકલિકાને સમુળગી ભુસી નાંખવા મનસ્વિનીયે પ્રયત્ન કર્યો.
પતિનું અંત:કરણ શુદ્ધ કાચના જેવું નિર્મળ અને પારદર્શક થઈ ગયું હોય તેમ તેને જોતાં આનંદ પામતાં તેમાંથી કૃષ્ણકલિકાને સમુળગી ભુસી નાંખવા મનસ્વિનીયે પ્રયત્ન કર્યો.
Line 91: Line 91:


પતિના દક્ષિણ હસ્તથી વીંટાયલું છુટા થયેલા કેશપાશવાળું કમળપુટ જેવું મસ્તક ઉંચું કરી ગુણસુંદરીને મળવા ભદ્રેશ્વર જવાની અનુમતિ માંગી
પતિના દક્ષિણ હસ્તથી વીંટાયલું છુટા થયેલા કેશપાશવાળું કમળપુટ જેવું મસ્તક ઉંચું કરી ગુણસુંદરીને મળવા ભદ્રેશ્વર જવાની અનુમતિ માંગી
૧- છુટાછેડાની કેાર્ટ. Divorce Court.
લીધી. કોમળ ગાલ ઉપર પતિહસ્તના કોમળ પ્રહારની જોડે જ એ અનુમતિ મળી. લાંબા વિરહને અંતે મળ્યો હોય તેમ ખંડનને અંતે મળેલો આ વિભ્રમ ઉત્કૃષ્ટ પ્રીતિદાય હોય તેમ પતિવ્રતાએ અભિનન્દ્યો. પણ પ્રીતિદાય માગ્યું કયારે ? અાપ્યું શાથી ? દુષ્ટ કલહમાંથી પ્રણય ક્યારે થયો ? કિલ્મષ ભુલાયું કેમ ? પ્રણયવચન પતિવ્રતાએ કહ્યું કીયું ? स्त्रीणामाद्यं प्रणयवचनं विभ्रमो हि प्रियेशु ॥ કહ્યા વિના ક્‌હેવાય એવાં પ્રણયવચન દમ્પતીને ક્યાં હતાં નથી ? એવાં વચનનો ઉત્તર બોલ્યો વિના ક્યાં અપાતો નથી? प्रत्युक्तं हि प्रणयिषु सतामीप्सितार्थक्रियैव ॥ અશબ્દ પ્રણયવચનનો વિભ્રમનો – આવિર્ભાવ કુમુદસુંદરીમાં ક્યારે થયો, પ્રમાદધને ક્યારે દીઠો, વિભ્રમના ઉત્તરમાં ઇષ્ટવિભ્રમ ક્યારે મળ્યો, મૂર્ખ પ્રમાદધન આ કળા ક્યારે શીખ્યો, વિમાનના ભુલી સુશિક્ષિતાએ અશિક્ષિતનો પ્રણય શી રીતે સ્વીકાર્યોઃ ઇત્યાદિનું તત્ત્વજ્ઞાન પુરાણો માં નથી, વેદને સુઝયું નથી, વેદાંતને જડ્યું નથી, ઈંગ્રેજી વિદ્યામાં આવે એમ નથી, અને વ્યવહારીથી સમજાય એમ નથી. જેને સમજવાની અગત્ય હતી તે અંત:કરણ વણસમજાવ્યે સમજ્યાં એ ઈશ્વરની રચના, ગમે તેવા ભૂતકાળને ભુલવો, ગમે તેવા વર્તમાનથી સંતુષ્ટ રહેવું, ગમે તેવા ભવિષ્યને બળાત્કારે સારું કરવું – એ શક્તિ, એ વૃત્તિ, આર્યચિત્તની જ છે, ઈશ્વર તેને અમર રાખો.
લીધી. કોમળ ગાલ ઉપર પતિહસ્તના કોમળ પ્રહારની જોડે જ એ અનુમતિ મળી. લાંબા વિરહને અંતે મળ્યો હોય તેમ ખંડનને અંતે મળેલો આ વિભ્રમ ઉત્કૃષ્ટ પ્રીતિદાય હોય તેમ પતિવ્રતાએ અભિનન્દ્યો. પણ પ્રીતિદાય માગ્યું કયારે ? અાપ્યું શાથી ? દુષ્ટ કલહમાંથી પ્રણય ક્યારે થયો ? કિલ્મષ ભુલાયું કેમ ? પ્રણયવચન પતિવ્રતાએ કહ્યું કીયું ? स्त्रीणामाद्यं प्रणयवचनं विभ्रमो हि प्रियेशु ॥ કહ્યા વિના ક્‌હેવાય એવાં પ્રણયવચન દમ્પતીને ક્યાં હતાં નથી ? એવાં વચનનો ઉત્તર બોલ્યો વિના ક્યાં અપાતો નથી? प्रत्युक्तं हि प्रणयिषु सतामीप्सितार्थक्रियैव ॥ અશબ્દ પ્રણયવચનનો વિભ્રમનો – આવિર્ભાવ કુમુદસુંદરીમાં ક્યારે થયો, પ્રમાદધને ક્યારે દીઠો, વિભ્રમના ઉત્તરમાં ઇષ્ટવિભ્રમ ક્યારે મળ્યો, મૂર્ખ પ્રમાદધન આ કળા ક્યારે શીખ્યો, વિમાનના ભુલી સુશિક્ષિતાએ અશિક્ષિતનો પ્રણય શી રીતે સ્વીકાર્યોઃ ઇત્યાદિનું તત્ત્વજ્ઞાન પુરાણો માં નથી, વેદને સુઝયું નથી, વેદાંતને જડ્યું નથી, ઈંગ્રેજી વિદ્યામાં આવે એમ નથી, અને વ્યવહારીથી સમજાય એમ નથી. જેને સમજવાની અગત્ય હતી તે અંત:કરણ વણસમજાવ્યે સમજ્યાં એ ઈશ્વરની રચના, ગમે તેવા ભૂતકાળને ભુલવો, ગમે તેવા વર્તમાનથી સંતુષ્ટ રહેવું, ગમે તેવા ભવિષ્યને બળાત્કારે સારું કરવું – એ શક્તિ, એ વૃત્તિ, આર્યચિત્તની જ છે, ઈશ્વર તેને અમર રાખો.
18,450

edits