સરસ્વતીચંદ્ર ભાગ ૪/સૌંદર્યનો ઉદ્યાન અને કુસુમનો વિકાસ.: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સૌંદર્યનો ઉદ્યાન અને કુસુમનો વિકાસ.|}} {{Poem2Open}} अनाघातं पुष्प...")
 
No edit summary
Line 14: Line 14:
મેના રાણીના બાગમાંથી પોતાને ઘેર આવી આ દુ:ખી અબળા એક આરામખુરશી ઉપર પડી અને મુખ ઉપર છાતી ઉપરનો છેડો ઢાંકી થોડી વાર મનમાં ને મનમાં રોઈ અંતે આંખો લોહી, મુખ ઉઘાડી, કુમુદને સંભારી, પ્રમાદધનને ઉદ્દેશી તેને ઠપકો દેઈ તેની પાસેથી ન્યાય માગતી હોય તેમ, કંઈક ક્રોધથી અને કંઈક દયામણે મ્હોંયે, ગાવા લાગી –
મેના રાણીના બાગમાંથી પોતાને ઘેર આવી આ દુ:ખી અબળા એક આરામખુરશી ઉપર પડી અને મુખ ઉપર છાતી ઉપરનો છેડો ઢાંકી થોડી વાર મનમાં ને મનમાં રોઈ અંતે આંખો લોહી, મુખ ઉઘાડી, કુમુદને સંભારી, પ્રમાદધનને ઉદ્દેશી તેને ઠપકો દેઈ તેની પાસેથી ન્યાય માગતી હોય તેમ, કંઈક ક્રોધથી અને કંઈક દયામણે મ્હોંયે, ગાવા લાગી –


[૧]“नैसर्गिकी सुरभिणः कुसुमस्य सिद्धा
<ref>સુગન્ધિ કુસુમની સ્થિતિ તો સ્વભાવથી જ મસ્તક ઉપર સિદ્ધ છે; પગ વડે લાતો ખાવી એ તેની સ્વાભાવિક સ્થિતિ નથી; ભવભૂતિ.</ref>“नैसर्गिकी सुरभिणः कुसुमस्य सिद्धा
"मूर्ध्नि स्थितिर्न चरणैवताङनानि “
"मूर्ध्नि स्थितिर्न चरणैवताङनानि “
"અથવા – બેટા પ્રમાદધન ! તને ગુણ ઓળખતાં જ ન આવડ્યા તો તેનો સ્વાદ તું શી રીતે ભોગવે ?
"અથવા – બેટા પ્રમાદધન ! તને ગુણ ઓળખતાં જ ન આવડ્યા તો તેનો સ્વાદ તું શી રીતે ભોગવે ?
Line 32: Line 32:
  *સુગન્ધિ કુસુમની સ્થિતિ તો સ્વભાવથી જ મસ્તક ઉપર સિદ્ધ છે; પગ વડે લાતો ખાવી એ તેની સ્વાભાવિક સ્થિતિ નથી; ભવભૂતિ.
  *સુગન્ધિ કુસુમની સ્થિતિ તો સ્વભાવથી જ મસ્તક ઉપર સિદ્ધ છે; પગ વડે લાતો ખાવી એ તેની સ્વાભાવિક સ્થિતિ નથી; ભવભૂતિ.
​યોગ્ય પ્રાસાદ – મ્હેલ –માં વિદ્યાચતુરને જવું પડ્યું હતું અને તે પ્રાસાદ
​યોગ્ય પ્રાસાદ – મ્હેલ –માં વિદ્યાચતુરને જવું પડ્યું હતું અને તે પ્રાસાદ
નગરીની બ્હાર એક મ્હોટા ઉદ્યાનમાં*[૧] હતો. આ પ્રાસાદ અને ઉદ્યાનની વ્યવસ્થા પ્રધાનપત્નીએ લીધી હતી, અને સંસ્કૃત તથા ઈંગ્રેજી વિદ્યાઓની રસિકતાને અનુસરી તેમાં સામગ્રી સજવામાં આવી હતી. નવા વૈભવને અનુસરી, દિને દિને નવા ગ્રન્થો – નવા અતિથિઓ – અને નવાં અવલોકનમાંથી સૂચનાઓ લેઈ સારગ્રાહિણી આ સામગ્રીઓમાં ફેરફાર કરતી. ગ્રીષ્મ, વર્ષા, અને હેમંતાદિ ઋતુઓ, પ્રાત:કાળ, મધ્યાન્હ, સાયંકાળ, રાત્રિના પ્રથમ પ્રહર, ચંદ્રિકાસમય, અન્ધકારસમય, મિત્રમંડળને ફરવા બેસવાના પ્રસંગ, રાજવર્ગ અને લોકવર્ગના મેળાવડા, સ્ત્રીવર્ગની સમર્યાદ ગોષ્ઠીઓ, દમ્પતીના એકાંત વિનોદવિહાર, સુખના ઉત્સાહ, શોકના અવસાદ, પ્રધાનચિન્તાને આવશ્યક વિચારોત્તેજક ઉત્સાહક સ્થાન, અને સ્ત્રીજાતની રંક ચિન્તાઓની ઝીણી જાળીઓની ગાંઠો ઉકલી જવા યોગ્ય ખુણાઓ: આવા અનેક પ્રસંગો, સ્થાનો, અને વિષયોને યોગ્ય કુંજો, ગલીઓ, ફુવારા, ઝરા, ન્હાનાં તળાવો, ઝાડોની ઘટાઓ, રેતીનાં અને ઘાસનાં ઉઘાડાં મેદાન જેવા ભાગો, ઉંડી ગુફાઓ, નીચાં કોતર, ઉંચા પર્વતનાં અનુકરણ અને કૃત્રિમ મીનારાઓ: આ સર્વે આ ઉદ્યાનના જુદા જુદા ભાગમાં ગુણસુંદરીની ચિન્તાએ ખડાં કર્યા હતાં. પ્રધાનને પોતાની સમૃદ્ધિ સાચવનારી ૫ત્ની મળી એમ સર્વ કોઈ ક્‌હેતું. આ ઉદ્યાનનું નામ મણિરાજે સૌંદર્ય-ઉદ્યાન પાડ્યું હતું. એમાં રાજા અને રંક, વિદ્વાન અને મૂર્ખ, બાલક–યુવાન-અને વૃદ્ધ, સર્વને પ્રસંગે પ્રસંગે આમંત્રણ થતું; અને તેમનો સત્કાર કરી, તેમનાં હૃદય ઉધાડી, ચતુર પ્રધાન પ્રજાનાં સુખદુ:ખ સમજવા પ્રયત્ન કરતો, તેમનું પ્રોત્સાહન કરવામાં તેમ જ તેમને અંકુશમાં રાખવાનાં સાધન પામતો અને સર્વ લોક ઉપર ભયપ્રીતિનું રાજ્ય કરી, મહારાજની આજ્ઞાઓ સર્વત્ર વર્તાવતો, મહારાજના પિતાના હૃદયમાં પ્રજારૂપપત્ની પરનો પ્રણય ભરતો અને એ પ્રિયાને અનુનય કરવાની તત્પરતા અને દક્ષિણતામાં આ યુવાન નાયકને કેળવતો, પ્રજાના પ્રવાહની લગામો ઉદય-દિશા ભણી ખેંચતો, અને રાજ્યના મહારથિનું સારથિપણું સિદ્ધ કરતો. આ સર્વે ધર્મકાળે ગુપ્ત રહી ધર્મમાં વર્તતી એ ધર્મની સહધર્મચારિણી પતિના તેજનું આધાન ધરવા સમર્થ હતી, અને પત્નીહૃદયરૂપ ક્ષેત્રમાં પ્રધાનઉત્સાહનાં બીજ આ સોન્દર્ય-ઉદ્યાનમાં વવાતાં.
નગરીની બ્હાર એક મ્હોટા ઉદ્યાનમાં<ref>બાગ, વાડી,</ref> હતો. આ પ્રાસાદ અને ઉદ્યાનની વ્યવસ્થા પ્રધાનપત્નીએ લીધી હતી, અને સંસ્કૃત તથા ઈંગ્રેજી વિદ્યાઓની રસિકતાને અનુસરી તેમાં સામગ્રી સજવામાં આવી હતી. નવા વૈભવને અનુસરી, દિને દિને નવા ગ્રન્થો – નવા અતિથિઓ – અને નવાં અવલોકનમાંથી સૂચનાઓ લેઈ સારગ્રાહિણી આ સામગ્રીઓમાં ફેરફાર કરતી. ગ્રીષ્મ, વર્ષા, અને હેમંતાદિ ઋતુઓ, પ્રાત:કાળ, મધ્યાન્હ, સાયંકાળ, રાત્રિના પ્રથમ પ્રહર, ચંદ્રિકાસમય, અન્ધકારસમય, મિત્રમંડળને ફરવા બેસવાના પ્રસંગ, રાજવર્ગ અને લોકવર્ગના મેળાવડા, સ્ત્રીવર્ગની સમર્યાદ ગોષ્ઠીઓ, દમ્પતીના એકાંત વિનોદવિહાર, સુખના ઉત્સાહ, શોકના અવસાદ, પ્રધાનચિન્તાને આવશ્યક વિચારોત્તેજક ઉત્સાહક સ્થાન, અને સ્ત્રીજાતની રંક ચિન્તાઓની ઝીણી જાળીઓની ગાંઠો ઉકલી જવા યોગ્ય ખુણાઓ: આવા અનેક પ્રસંગો, સ્થાનો, અને વિષયોને યોગ્ય કુંજો, ગલીઓ, ફુવારા, ઝરા, ન્હાનાં તળાવો, ઝાડોની ઘટાઓ, રેતીનાં અને ઘાસનાં ઉઘાડાં મેદાન જેવા ભાગો, ઉંડી ગુફાઓ, નીચાં કોતર, ઉંચા પર્વતનાં અનુકરણ અને કૃત્રિમ મીનારાઓ: આ સર્વે આ ઉદ્યાનના જુદા જુદા ભાગમાં ગુણસુંદરીની ચિન્તાએ ખડાં કર્યા હતાં. પ્રધાનને પોતાની સમૃદ્ધિ સાચવનારી ૫ત્ની મળી એમ સર્વ કોઈ ક્‌હેતું. આ ઉદ્યાનનું નામ મણિરાજે સૌંદર્ય-ઉદ્યાન પાડ્યું હતું. એમાં રાજા અને રંક, વિદ્વાન અને મૂર્ખ, બાલક–યુવાન-અને વૃદ્ધ, સર્વને પ્રસંગે પ્રસંગે આમંત્રણ થતું; અને તેમનો સત્કાર કરી, તેમનાં હૃદય ઉધાડી, ચતુર પ્રધાન પ્રજાનાં સુખદુ:ખ સમજવા પ્રયત્ન કરતો, તેમનું પ્રોત્સાહન કરવામાં તેમ જ તેમને અંકુશમાં રાખવાનાં સાધન પામતો અને સર્વ લોક ઉપર ભયપ્રીતિનું રાજ્ય કરી, મહારાજની આજ્ઞાઓ સર્વત્ર વર્તાવતો, મહારાજના પિતાના હૃદયમાં પ્રજારૂપપત્ની પરનો પ્રણય ભરતો અને એ પ્રિયાને અનુનય કરવાની તત્પરતા અને દક્ષિણતામાં આ યુવાન નાયકને કેળવતો, પ્રજાના પ્રવાહની લગામો ઉદય-દિશા ભણી ખેંચતો, અને રાજ્યના મહારથિનું સારથિપણું સિદ્ધ કરતો. આ સર્વે ધર્મકાળે ગુપ્ત રહી ધર્મમાં વર્તતી એ ધર્મની સહધર્મચારિણી પતિના તેજનું આધાન ધરવા સમર્થ હતી, અને પત્નીહૃદયરૂપ ક્ષેત્રમાં પ્રધાનઉત્સાહનાં બીજ આ સોન્દર્ય-ઉદ્યાનમાં વવાતાં.


*બાગ, વાડી,
​આ સુન્દરતાના ઉદ્યાનમાં ન્હાની કુસુમનો વિકાસ કરવાનાં સ્થાન રચવામાં
​આ સુન્દરતાના ઉદ્યાનમાં ન્હાની કુસુમનો વિકાસ કરવાનાં સ્થાન રચવામાં
માતા જાગૃત ર્‌હેતી. ઉદ્યાન તૈયાર કરતાં ત્રણેક વર્ષ ગયાં હતાં અને ભાગ્યહીન કાળમાં જન્મેલી કુમુદ પરગૃહમાં જવા યોગ્ય થઈ ત્યાં સુધી આ ઉદ્યાન સંપૂર્ણ થયો ન હતો, અને સરસ્વતીચંદ્રનો સંબંધ પળવાર એના ભાગ્યાકાશમાં ચમકારા કરી રહ્યો એટલો કાળ એ આ ઉદ્યાનનો લાભ પામી એના વિયોગ સાથે ઉદ્યાનથી પણ જુદી પડી, અને એનું દુર્ભાગ્ય એને જોતજોતામાં પરગૃહમાં ઘસડી ગયું, જે વિધાતાએ એનાં ભાગ્યનો અસ્ત કર્યો તેણે કુસુમને ઉદય કર્યો, અને કુટુંબોપાધિથી જે માતાએ પ્રથમ પુત્રી કુમુદને પારકે હાથે ઉછરવા દીધી હતી તે માતાએ બીજી પુત્રી કુસુમને પોતાના હાથમાં લીધી. પ્રધાનના આવાસનો જે ભાગ સ્ત્રીવર્ગ માટે રાખેલો હતો તેની પાછળનો ઉદ્યાનભાગ કુસુમને માટે તૈયાર કરાવ્યો હતો. આ ઉધાન-ભાગમાં કુસુમને એકાંત બેસવા, ઉઠવા, અભ્યાસ કરવા, શરીરને વ્યાયામ આપવા, વિનોદ લેવા, અને સર્વથા નિર્દોષ સ્વતંત્રતાં લઈ વિકાસ પામવા, જેટલી સામગ્રી જોઈએ તેનો સંભાર ભરેલો હતો. છતાં ઉગતી યુવાવસ્થાની સ્વતંત્રતાને સ્થાને અયોગ્ય નિરંકુશતા પેસી જવા પામે નહીં, કુસંગતિનો વા સંચાર કરી શકે નહી, વર્જ્ય કરવાના મનોવિકાર ચેપી રોગની પેઠે ફાટી નીકળે નહીં, સદભ્યાસવચ્ચે દુરભ્યાસ ડોકીયાં કરે નહી, અને ઉત્કૃષ્ટ વૃક્ષો વચ્ચે કાંટાવાળાં ઝાડ ઉગે નહી: તે સર્વ વિષયોમાં સજ્જ ર્‌હેવા એવી વ્યવસ્થા રાખી હતી કે આ કુસુમોદ્યાનના સર્વે ગુપ્ત પ્રકટ ભાગો ઉપર પોતાની આરામખુરશી ઉપરથી, પોતાના હીંદોળા ઉપરથી, અને પોતાની અને સુંદરગૌરીની બારીઓમાંથી, બેસતાં, ઉઠતાં અને જતાં આવતાં નિત્ય દૃષ્ટિ પડ્યાં કરે. પ્રિય પુત્રીનો બુદ્ધિપ્રભાવ સ્વતંત્ર વિકાસ પામે અને અગમ્ય સ્થાને સરી જાય નહી એ બે ફળ એક જ વૃક્ષ ઉપર એક જ ઋતુમાં આણવા ઉપર સૌંદર્ય-ઉદ્યાનની ધાત્રીની અનિમિષ ધારણા હતી.
માતા જાગૃત ર્‌હેતી. ઉદ્યાન તૈયાર કરતાં ત્રણેક વર્ષ ગયાં હતાં અને ભાગ્યહીન કાળમાં જન્મેલી કુમુદ પરગૃહમાં જવા યોગ્ય થઈ ત્યાં સુધી આ ઉદ્યાન સંપૂર્ણ થયો ન હતો, અને સરસ્વતીચંદ્રનો સંબંધ પળવાર એના ભાગ્યાકાશમાં ચમકારા કરી રહ્યો એટલો કાળ એ આ ઉદ્યાનનો લાભ પામી એના વિયોગ સાથે ઉદ્યાનથી પણ જુદી પડી, અને એનું દુર્ભાગ્ય એને જોતજોતામાં પરગૃહમાં ઘસડી ગયું, જે વિધાતાએ એનાં ભાગ્યનો અસ્ત કર્યો તેણે કુસુમને ઉદય કર્યો, અને કુટુંબોપાધિથી જે માતાએ પ્રથમ પુત્રી કુમુદને પારકે હાથે ઉછરવા દીધી હતી તે માતાએ બીજી પુત્રી કુસુમને પોતાના હાથમાં લીધી. પ્રધાનના આવાસનો જે ભાગ સ્ત્રીવર્ગ માટે રાખેલો હતો તેની પાછળનો ઉદ્યાનભાગ કુસુમને માટે તૈયાર કરાવ્યો હતો. આ ઉધાન-ભાગમાં કુસુમને એકાંત બેસવા, ઉઠવા, અભ્યાસ કરવા, શરીરને વ્યાયામ આપવા, વિનોદ લેવા, અને સર્વથા નિર્દોષ સ્વતંત્રતાં લઈ વિકાસ પામવા, જેટલી સામગ્રી જોઈએ તેનો સંભાર ભરેલો હતો. છતાં ઉગતી યુવાવસ્થાની સ્વતંત્રતાને સ્થાને અયોગ્ય નિરંકુશતા પેસી જવા પામે નહીં, કુસંગતિનો વા સંચાર કરી શકે નહી, વર્જ્ય કરવાના મનોવિકાર ચેપી રોગની પેઠે ફાટી નીકળે નહીં, સદભ્યાસવચ્ચે દુરભ્યાસ ડોકીયાં કરે નહી, અને ઉત્કૃષ્ટ વૃક્ષો વચ્ચે કાંટાવાળાં ઝાડ ઉગે નહી: તે સર્વ વિષયોમાં સજ્જ ર્‌હેવા એવી વ્યવસ્થા રાખી હતી કે આ કુસુમોદ્યાનના સર્વે ગુપ્ત પ્રકટ ભાગો ઉપર પોતાની આરામખુરશી ઉપરથી, પોતાના હીંદોળા ઉપરથી, અને પોતાની અને સુંદરગૌરીની બારીઓમાંથી, બેસતાં, ઉઠતાં અને જતાં આવતાં નિત્ય દૃષ્ટિ પડ્યાં કરે. પ્રિય પુત્રીનો બુદ્ધિપ્રભાવ સ્વતંત્ર વિકાસ પામે અને અગમ્ય સ્થાને સરી જાય નહી એ બે ફળ એક જ વૃક્ષ ઉપર એક જ ઋતુમાં આણવા ઉપર સૌંદર્ય-ઉદ્યાનની ધાત્રીની અનિમિષ ધારણા હતી.
Line 49: Line 48:
“ ઓ પ્રભુ ! આને માટે ત્‍હેં કીયા નરને સરજેલો છે ? મને તો કોઈ દેખાતો નથી. તો એને જ શું કરવા સૄજી ? ”
“ ઓ પ્રભુ ! આને માટે ત્‍હેં કીયા નરને સરજેલો છે ? મને તો કોઈ દેખાતો નથી. તો એને જ શું કરવા સૄજી ? ”


આમ વિચાર ચાલે છે એટલામાં કુસુમ પાસેના એક પાતળા ઝાડે બાઝી, તેનો વાંસો લટકતા કેશભારથી ઢંકાઈ ગયો, જોતા જોતામાં ઉંચે ચ્‍હડી, બે શાખાઓના વચાળામાં ઉભી રહી, અને આકાશમાંથી નાજુંક વાદળી તુટી પડે તેમ કુંડમાં કુદી પડી, પા ઘડી પાણીને ચીરી પાણી તળે અદશ્ય થઈ પાછી ઉપર આવી, અને પાણીની સપાટી ઉપર હલેસાંથી તરતી રંગેલી નાની વિહારતરણિ*[૧]પેઠે સુંદર હાથના ટુંકા વામ ભરતી ભરતી તરવા લાગી. પાણીમાં પડી તે વેળાએ કપાયેલાં પાણીની છોળો ઉંચી ઉછળી અને ચોપાસ વૃષ્ટિગૃહ થયું. કુસુમ એવાજ વૃષ્ટિગૃહ (ફુવારા) વચ્ચે પાણી ઉરાડતી રમતી રમતી ભીના લાંબા કાળા કેશભારને શરીર ઉપર તરાવતી ખેંચતી જાતે તરવા લાગી, અને પુત્રીના કળવિકાસને ગર્વથી સ્ફુરતી પણ બીજે વિચારે દુઃખમાં ડુબી જતી માતાની દૃષ્ટિ અાંસુના વર્ષાગૃહ વચ્ચે પુત્રીની પાછળ તરવા લાગી.
આમ વિચાર ચાલે છે એટલામાં કુસુમ પાસેના એક પાતળા ઝાડે બાઝી, તેનો વાંસો લટકતા કેશભારથી ઢંકાઈ ગયો, જોતા જોતામાં ઉંચે ચ્‍હડી, બે શાખાઓના વચાળામાં ઉભી રહી, અને આકાશમાંથી નાજુંક વાદળી તુટી પડે તેમ કુંડમાં કુદી પડી, પા ઘડી પાણીને ચીરી પાણી તળે અદશ્ય થઈ પાછી ઉપર આવી, અને પાણીની સપાટી ઉપર હલેસાંથી તરતી રંગેલી નાની વિહારતરણિ <ref>જાલી બોટ</ref>પેઠે સુંદર હાથના ટુંકા વામ ભરતી ભરતી તરવા લાગી. પાણીમાં પડી તે વેળાએ કપાયેલાં પાણીની છોળો ઉંચી ઉછળી અને ચોપાસ વૃષ્ટિગૃહ થયું. કુસુમ એવાજ વૃષ્ટિગૃહ (ફુવારા) વચ્ચે પાણી ઉરાડતી રમતી રમતી ભીના લાંબા કાળા કેશભારને શરીર ઉપર તરાવતી ખેંચતી જાતે તરવા લાગી, અને પુત્રીના કળવિકાસને ગર્વથી સ્ફુરતી પણ तन्वताબીજે વિચારે દુઃખમાં ડુબી જતી માતાની દૃષ્ટિ અાંસુના વર્ષાગૃહ વચ્ચે પુત્રીની પાછળ તરવા લાગી.


એટલામાં સુન્દર પાછળથી આવી, ગુણસુન્દરીની પાછળ ઉભી રહી અને ક્‌હેવા લાગીઃ “ચંદ્રકાંતભાઈ જોડેના ખંડમાં એકલા અત્યંત શોકમાં બેઠેલા છે.”
એટલામાં સુન્દર પાછળથી આવી, ગુણસુન્દરીની પાછળ ઉભી રહી અને ક્‌હેવા લાગીઃ “ચંદ્રકાંતભાઈ જોડેના ખંડમાં એકલા અત્યંત શોકમાં બેઠેલા છે.”
Line 62: Line 61:
“ स्वच्छन्दं चरतो जनस्य हृदये चिन्ताज्वरो निर्मितः ॥
“ स्वच्छन्दं चरतो जनस्य हृदये चिन्ताज्वरो निर्मितः ॥
" एषापि स्वगुणानुरुपरमणाभावाद्वराकी इता
" एषापि स्वगुणानुरुपरमणाभावाद्वराकी इता
" को ऽ र्यश्चेतसि वेधसा विनिहितस्तन्वीमिमां तन्वता ॥[૧]"
" को ऽ र्यश्चेतसि वेधसा विनिहितस्तन्वीमिमां तन्वता ॥<ref>પ્રાચીન શ્લોક.</ref>
આ શ્લોક ગુણસુંદરીના દુ:ખ સાથે સુસંવાદી થયો. ગુણસુંદરી રતબ્ધ બની. ચંદ્રકાંત બડબડ્યો “સરસ્વતીચંદ્ર, તું સ્વછન્દ વિહાર કરતો હતો તેમાંથી તારા હદયમાં ચિન્તાજ્વર પ્રકટાયો તે તું આમ ભટકે છે, જેને માટે તું આટલા જ્વરમાં સપડાયો તેને બીચારીને વાનરકરમાં ફુલ ગયા જેવું થયું. અને તેનું કારણ પણ તું જ!”
આ શ્લોક ગુણસુંદરીના દુ:ખ સાથે સુસંવાદી થયો. ગુણસુંદરી રતબ્ધ બની. ચંદ્રકાંત બડબડ્યો “સરસ્વતીચંદ્ર, તું સ્વછન્દ વિહાર કરતો હતો તેમાંથી તારા હદયમાં ચિન્તાજ્વર પ્રકટાયો તે તું આમ ભટકે છે, જેને માટે તું આટલા જ્વરમાં સપડાયો તેને બીચારીને વાનરકરમાં ફુલ ગયા જેવું થયું. અને તેનું કારણ પણ તું જ!”


Line 95: Line 94:
ગુણસુંદરી ફરી સ્તબ્ધ બની અને ચિત્ર પેઠે ઉભી. એની પાછળ હાથ નાંખી એને ડાબી સુંદર ઊભી. ​પણ આ સર્વ ખેલ લોકાચારથી વિરુદ્ધ છે. વિદ્યાચતુર જેવું રાજકીય પાણીમાં ઝબકોળાયેલું માણસ આવાં મતતન્ત્ર (theories) વડે દોરાય એ અશક્ય છે, પણ આને આટલા કાળ સુધી આમણે કુમારી રાખી છે તે પણ નવાઈ છે જો એના જેવો વિદ્વાન, દ્રવ્યવાન, વીર, અને દૃઢ આગ્રહી પુરુષ મુંબાઈનગરીના સ્વતંત્ર પવનમાં પ્રાણગ્રાહી થયો હોય તો તો નક્કી આવા રમણીય સ્વતંત્ર પક્ષીને લગ્નના પઞ્જરમાં પુરે નહીં. એ પક્ષીને વિશાળ આકાશમાં ઉડતું જોવાનો મને અને મ્‍હારા જેવાઓને લોભ થાય એમ છે પણ આ તો દેશી રાજ્યનાં બાંધેલા પાણીમાં બંધાઈ ગયેલાં માછલાંઓને અસ્વાભાવિક અને અવ્યવહારિક લાગવા જેવી વાત ! પ્રિય મુંબાઈ ! મ્‍હારી સ્વતંત્ર અમરાવતી ! નિર્ધન હોઈને ત્‍હારા સ્વતંત્ર વિશાળ સાગરમાં તરવું અને એનાં મોજાંને માથે ચ્‍હડવું એ દિવ્ય અધિકાર આ દેશી રાજ્યના મ્‍હોટમ્‍હોટા મિથ્યાભિમાની રાજાઓથી ને પ્રધાનોથી સમજાય એમ નથી ! એમને મન મ્‍હારા જેવા રંક મનુષ્યો છોકરવાદી, ધેલા, મૂર્ખ, અને નિર્માલ્ય ! મ્‍હારા જેવાઓને મન રાજાઓ, પ્રધાનો, અને શ્રીમંતો દ્રવ્ય-કપાસનાં મેલાં ગાંઠાવાળાં ગોદડાં જેવાં છે ! મ્‍હારે તે દ્રવ્ય અને અધિકાર ચરણ તળેની ધુળ જેવાં છે !
ગુણસુંદરી ફરી સ્તબ્ધ બની અને ચિત્ર પેઠે ઉભી. એની પાછળ હાથ નાંખી એને ડાબી સુંદર ઊભી. ​પણ આ સર્વ ખેલ લોકાચારથી વિરુદ્ધ છે. વિદ્યાચતુર જેવું રાજકીય પાણીમાં ઝબકોળાયેલું માણસ આવાં મતતન્ત્ર (theories) વડે દોરાય એ અશક્ય છે, પણ આને આટલા કાળ સુધી આમણે કુમારી રાખી છે તે પણ નવાઈ છે જો એના જેવો વિદ્વાન, દ્રવ્યવાન, વીર, અને દૃઢ આગ્રહી પુરુષ મુંબાઈનગરીના સ્વતંત્ર પવનમાં પ્રાણગ્રાહી થયો હોય તો તો નક્કી આવા રમણીય સ્વતંત્ર પક્ષીને લગ્નના પઞ્જરમાં પુરે નહીં. એ પક્ષીને વિશાળ આકાશમાં ઉડતું જોવાનો મને અને મ્‍હારા જેવાઓને લોભ થાય એમ છે પણ આ તો દેશી રાજ્યનાં બાંધેલા પાણીમાં બંધાઈ ગયેલાં માછલાંઓને અસ્વાભાવિક અને અવ્યવહારિક લાગવા જેવી વાત ! પ્રિય મુંબાઈ ! મ્‍હારી સ્વતંત્ર અમરાવતી ! નિર્ધન હોઈને ત્‍હારા સ્વતંત્ર વિશાળ સાગરમાં તરવું અને એનાં મોજાંને માથે ચ્‍હડવું એ દિવ્ય અધિકાર આ દેશી રાજ્યના મ્‍હોટમ્‍હોટા મિથ્યાભિમાની રાજાઓથી ને પ્રધાનોથી સમજાય એમ નથી ! એમને મન મ્‍હારા જેવા રંક મનુષ્યો છોકરવાદી, ધેલા, મૂર્ખ, અને નિર્માલ્ય ! મ્‍હારા જેવાઓને મન રાજાઓ, પ્રધાનો, અને શ્રીમંતો દ્રવ્ય-કપાસનાં મેલાં ગાંઠાવાળાં ગોદડાં જેવાં છે ! મ્‍હારે તે દ્રવ્ય અને અધિકાર ચરણ તળેની ધુળ જેવાં છે !


“ Awake, my St. John ! and leave all meaner things “ To low ambition and to pride of kings. *[૧]
“ Awake, my St. John ! and leave all meaner things “ To low ambition and to pride of kings. <ref>An Essay on Man" -Alexander Pope</ref>


“પવિત્ર પ્રિય ભર્તુહરિ ! ત્‍હારા હદયનો परमार्थ મ્‍હારા રંક હૃદયમા કટાયો છે.
“પવિત્ર પ્રિય ભર્તુહરિ ! ત્‍હારા હદયનો परमार्थ મ્‍હારા રંક હૃદયમા કટાયો છે.
Line 117: Line 116:
“ મ્‍હારું ચાલે તો પ્રધાનજીને પુછું કે –
“ મ્‍હારું ચાલે તો પ્રધાનજીને પુછું કે –


[૧]“*वैखानसं किमनया व्रतमाप्रदानात्
<ref>શાકુન્તલ.</ref>“*वैखानसं किमनया व्रतमाप्रदानात्
“ व्यापाररोधि मदनस्य निषेवितव्यम् ।
“ व्यापाररोधि मदनस्य निषेवितव्यम् ।
“ अत्यन्तमेव सद्दशेक्षणवल्लभाभिर्
“ अत्यन्तमेव सद्दशेक्षणवल्लभाभिर्
18,450

edits