18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''નીતિ લલિતકલા તરીકે'''}} ---- {{Poem2Open}} કલામાં નીતિ હોવી જ જોઈએ. … કલામાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|નીતિ લલિતકલા તરીકે | જયરાય વૈદ્ય}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કલામાં નીતિ હોવી જ જોઈએ. … કલામાં નીતિ જ હોવી જોઈએ … જરૂર પડ્યે, કલામાં અનીતિ ખુશીથી આલેખી — જરૂર પડવાનો સવાલ નથી, કેમ કે કલાને નીતિઅનીતિ સાથે સંબંધ જ નથી … ના, સંબંધ તો છે પણ અનીતિનો ચીતરનાર વિકારી ન હોવો જોઈએ, તે પોતાના અનીતિચિત્રમાં રાચતો ન હોવો જોઈએ … અરે, પણ સંબંધ સંભવે જ કેમ તેનો તો વિચાર કરો. તમને હજાર વાર તો કહ્યું કે કલાસર્જન વેળા અમને નીતિ કે અનીતિના ખ્યાલ જ નથી સૂઝતા; કેમ કે અમે તો અંતરના ઊંડાણમાં પળેપળ અનુભવી રહ્યા હોઈએ છીએ કે કલા એ કલાને ખાતર જ કલા છે, સનાતન સત્ય છે, બીજાં બધાંય સનાતન અસત્યો છે… … … | કલામાં નીતિ હોવી જ જોઈએ. … કલામાં નીતિ જ હોવી જોઈએ … જરૂર પડ્યે, કલામાં અનીતિ ખુશીથી આલેખી — જરૂર પડવાનો સવાલ નથી, કેમ કે કલાને નીતિઅનીતિ સાથે સંબંધ જ નથી … ના, સંબંધ તો છે પણ અનીતિનો ચીતરનાર વિકારી ન હોવો જોઈએ, તે પોતાના અનીતિચિત્રમાં રાચતો ન હોવો જોઈએ … અરે, પણ સંબંધ સંભવે જ કેમ તેનો તો વિચાર કરો. તમને હજાર વાર તો કહ્યું કે કલાસર્જન વેળા અમને નીતિ કે અનીતિના ખ્યાલ જ નથી સૂઝતા; કેમ કે અમે તો અંતરના ઊંડાણમાં પળેપળ અનુભવી રહ્યા હોઈએ છીએ કે કલા એ કલાને ખાતર જ કલા છે, સનાતન સત્ય છે, બીજાં બધાંય સનાતન અસત્યો છે… … … | ||
Line 14: | Line 14: | ||
ઉત્કૃષ્ટ કલાકૃતિ કઈ?—પોતાનું કલાપણું સંતાડે તે; પોતામાં સૌથી સમૃદ્ધ ને સૂક્ષ્મ કલાનું તત્ત્વ હોવા છતાં, એને આગળ પડીને વરતાઈ આવવા ન દે તે; એને એક સ્વાભાવિક વસ્તુ તરીકે પોતામાં સમાવે અને છતાં ધારી અસર અચૂક ઉપજાવે તે. આ ગુણો ભવ્ય નીતિકર્મ અને નિરતિશય સાધુતાના પણ છે. નીતિસ્વામી પણ કલાસ્વામીની જેમ સ્વવિષયે એટલો તદાકાર હોય છે, એ એક જ ધન્ય ખુમારીમાં એટલો તો લીન રહે છે આઠે પહોર, કે એનું નીતિપાલન બીજાત્રીજા ઉપલકિયા સાધુ-સંતોની જેમ પોતાની જાતજાહેરાત કરતું નથી. એવી જાહેરાત એ કરતું નથી તોપણ તે પોતાનો મધુર પ્રભાવ, મધુર તેટલો જ સબળ પ્રભાવ, આસપાસની દુનિયા પર પાડ્યા કરે છે. અને આ તબક્કે આપણને નીતિના કલા સાથેના સામ્યનું એક વધુ — હાલને કાજ છેલ્લું—દૃષ્ટાંત મળે છે. નીતિ આચરવામાં આટલો તલ્લીન બનેલો માણસ, ‘નીતિને ખાતર જ નીતિ’ના સિદ્ધાંતનો અનન્ય ભક્ત હોય છે. એમ નહિ કે એ નીતિનો શુષ્ક ઉપાસક થાય છે, કે જીવન સાથે સજીવ સંબંધ નીતિને નથી એવું સ્થાપવા માગે છે. ના, ખરી વાત એ છે કે નીતિશુષ્કતા નહિ, નીતિરસિકતા જ તેનો પ્રાણ હોય છે—તેનો સૌથી ઉજ્જ્વળ, સૌથી પાકો જીવનરંગ હોય છે, પણ પોતાની આવી ઊંડી, વ્યાપક નીતિમયતાને ભાનસાનપૂર્વક, જડતાથી, મનમાં વાગોળ્યા કરવાની કે તેની વાતો કર્યા કરવાની ટેવ તેને હોતી નથી. તે નૈતિક આચરણના અંચળાના અણખમાતા બોજા હેઠળ દિનરાત ચગદાતો, નીતિસિદ્ધાંતોનો રખેવાળ એકમાત્ર પોતે જ વિશ્વમાં જીવતો રહ્યો હોય તેવું પોતાનું જીવન ગાળતો નથી; ને બીજા પાસે ગળાવવાની પંચાતમાં પડતો નથી. તેને તો પોતાનું સ્વભાવસિદ્ધ પરમાનંદભર નીતિજીવન જીવવામાં તે મજા પડે છે, જે મજા ‘કલા ખાતર કલા’નો શાણો રસાચાર્ય અથવા ‘જ્ઞાન ખાતર જ્ઞાન’નો સંપૂજ્ય આચાર્ય ભોગવતો હોય છે. | ઉત્કૃષ્ટ કલાકૃતિ કઈ?—પોતાનું કલાપણું સંતાડે તે; પોતામાં સૌથી સમૃદ્ધ ને સૂક્ષ્મ કલાનું તત્ત્વ હોવા છતાં, એને આગળ પડીને વરતાઈ આવવા ન દે તે; એને એક સ્વાભાવિક વસ્તુ તરીકે પોતામાં સમાવે અને છતાં ધારી અસર અચૂક ઉપજાવે તે. આ ગુણો ભવ્ય નીતિકર્મ અને નિરતિશય સાધુતાના પણ છે. નીતિસ્વામી પણ કલાસ્વામીની જેમ સ્વવિષયે એટલો તદાકાર હોય છે, એ એક જ ધન્ય ખુમારીમાં એટલો તો લીન રહે છે આઠે પહોર, કે એનું નીતિપાલન બીજાત્રીજા ઉપલકિયા સાધુ-સંતોની જેમ પોતાની જાતજાહેરાત કરતું નથી. એવી જાહેરાત એ કરતું નથી તોપણ તે પોતાનો મધુર પ્રભાવ, મધુર તેટલો જ સબળ પ્રભાવ, આસપાસની દુનિયા પર પાડ્યા કરે છે. અને આ તબક્કે આપણને નીતિના કલા સાથેના સામ્યનું એક વધુ — હાલને કાજ છેલ્લું—દૃષ્ટાંત મળે છે. નીતિ આચરવામાં આટલો તલ્લીન બનેલો માણસ, ‘નીતિને ખાતર જ નીતિ’ના સિદ્ધાંતનો અનન્ય ભક્ત હોય છે. એમ નહિ કે એ નીતિનો શુષ્ક ઉપાસક થાય છે, કે જીવન સાથે સજીવ સંબંધ નીતિને નથી એવું સ્થાપવા માગે છે. ના, ખરી વાત એ છે કે નીતિશુષ્કતા નહિ, નીતિરસિકતા જ તેનો પ્રાણ હોય છે—તેનો સૌથી ઉજ્જ્વળ, સૌથી પાકો જીવનરંગ હોય છે, પણ પોતાની આવી ઊંડી, વ્યાપક નીતિમયતાને ભાનસાનપૂર્વક, જડતાથી, મનમાં વાગોળ્યા કરવાની કે તેની વાતો કર્યા કરવાની ટેવ તેને હોતી નથી. તે નૈતિક આચરણના અંચળાના અણખમાતા બોજા હેઠળ દિનરાત ચગદાતો, નીતિસિદ્ધાંતોનો રખેવાળ એકમાત્ર પોતે જ વિશ્વમાં જીવતો રહ્યો હોય તેવું પોતાનું જીવન ગાળતો નથી; ને બીજા પાસે ગળાવવાની પંચાતમાં પડતો નથી. તેને તો પોતાનું સ્વભાવસિદ્ધ પરમાનંદભર નીતિજીવન જીવવામાં તે મજા પડે છે, જે મજા ‘કલા ખાતર કલા’નો શાણો રસાચાર્ય અથવા ‘જ્ઞાન ખાતર જ્ઞાન’નો સંપૂજ્ય આચાર્ય ભોગવતો હોય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/જયરાય વૈદ્ય/મારી જમીન|મારી જમીન]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/મુકુન્દરાય પારાશર્ય/દાનો કોળી|દાનો કોળી]] | |||
}} |
edits