18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''‘નવો અવતાર’ – એક અવાન્તર મુદ્દો'''}} ---- {{Poem2Open}} ન્યાય, કાયદો, કાયદાનુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(5 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|નવો અવતાર–એક અવાન્તર મુદ્દો| સુરેશ જોષી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ન્યાય, કાયદો, કાયદાનું ચુસ્ત પાલન, દણ્ડ, શિક્ષા – આ બધી સંજ્ઞાઓથી આપણે સહુ પરિચિત તો છીએ જ. કોઈક વાર એવી ઘટનાઓ બને છે. જેને કારણે સમાજનો ચિન્તક વર્ગ આ બધી સંજ્ઞાઓની ફેરતપાસ કરવા પ્રેરાય છે. હમણાં જ આપણે એવા એક તબક્કામાંથી પસાર થઈ ગયા. ‘અનુશાસન’ જેવો શબ્દ ચકડોળે ચઢ્યો. શિસ્ત, શાન્તિ, વ્યવસ્થા – આ બધા શબ્દોના સંકેતો બદલાયા હોય એવો વહેમ ગયો. અપરાધ અને શિક્ષા વચ્ચેના સમ્બન્ધો વિશે પુનવિર્ચારણા કરવી પડી. ન્યાયની સંસ્થાના સ્વરૂપ વિશે પણ આલોચના કરવાનો વારો આવ્યો. | ન્યાય, કાયદો, કાયદાનું ચુસ્ત પાલન, દણ્ડ, શિક્ષા – આ બધી સંજ્ઞાઓથી આપણે સહુ પરિચિત તો છીએ જ. કોઈક વાર એવી ઘટનાઓ બને છે. જેને કારણે સમાજનો ચિન્તક વર્ગ આ બધી સંજ્ઞાઓની ફેરતપાસ કરવા પ્રેરાય છે. હમણાં જ આપણે એવા એક તબક્કામાંથી પસાર થઈ ગયા. ‘અનુશાસન’ જેવો શબ્દ ચકડોળે ચઢ્યો. શિસ્ત, શાન્તિ, વ્યવસ્થા – આ બધા શબ્દોના સંકેતો બદલાયા હોય એવો વહેમ ગયો. અપરાધ અને શિક્ષા વચ્ચેના સમ્બન્ધો વિશે પુનવિર્ચારણા કરવી પડી. ન્યાયની સંસ્થાના સ્વરૂપ વિશે પણ આલોચના કરવાનો વારો આવ્યો. | ||
Line 34: | Line 35: | ||
કાયદાની ફિલસૂફીના નિષ્ણાત એમ.એલ.એ.હાર્ટ નામના વિદ્વાને આ દમન અથવા જુલમની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: ‘દમન એ ફરજ પાડીને કરાવવામાં આવતું કાર્ય છે. એની પાછળ અમુક વ્યક્તિઓને સત્તા આપતી નિયમોની વ્યવસ્થા હોય જ છે. આ લોકો અમુક પ્રકારના વ્યવહારને નિષિદ્ધ લેખાવે છે અને જો નિયમનો ભંગ કરીને એવો વ્યવહાર કોઈ કરે તો આ નિયમોની વ્યવસ્થામાં યથાયોગ્ય દમનની કે દણ્ડની જોગવાઈ કરેલી જ હોય છે.’ કોઈ સૈનિક ચોકીદાર પહેરો ભરવાની ફરજમાંથી ચૂકે તો એને કારાગારમાં પૂરી દેવામાં આવે. લશ્કરી કાયદો આવી પરિસ્થિતિમાં કેવાં પગલાં લેવાં તે વિશે વિગતે સૂચના આપે છે. ફરજ આચરી નથી એવું ક્યારે ગણવું તે પણ એ નક્કી કરી આપે છે. દમનની નિયમબદ્ધ વ્યવસ્થાનું ઉત્તમ નિદર્શન આવો લશ્કરી કાયદો છે. | કાયદાની ફિલસૂફીના નિષ્ણાત એમ.એલ.એ.હાર્ટ નામના વિદ્વાને આ દમન અથવા જુલમની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: ‘દમન એ ફરજ પાડીને કરાવવામાં આવતું કાર્ય છે. એની પાછળ અમુક વ્યક્તિઓને સત્તા આપતી નિયમોની વ્યવસ્થા હોય જ છે. આ લોકો અમુક પ્રકારના વ્યવહારને નિષિદ્ધ લેખાવે છે અને જો નિયમનો ભંગ કરીને એવો વ્યવહાર કોઈ કરે તો આ નિયમોની વ્યવસ્થામાં યથાયોગ્ય દમનની કે દણ્ડની જોગવાઈ કરેલી જ હોય છે.’ કોઈ સૈનિક ચોકીદાર પહેરો ભરવાની ફરજમાંથી ચૂકે તો એને કારાગારમાં પૂરી દેવામાં આવે. લશ્કરી કાયદો આવી પરિસ્થિતિમાં કેવાં પગલાં લેવાં તે વિશે વિગતે સૂચના આપે છે. ફરજ આચરી નથી એવું ક્યારે ગણવું તે પણ એ નક્કી કરી આપે છે. દમનની નિયમબદ્ધ વ્યવસ્થાનું ઉત્તમ નિદર્શન આવો લશ્કરી કાયદો છે. | ||
નાગરિક જીવનવ્યવહારને નિયન્ત્રિત કરનારા કાયદાઓ પણ હોય છે. એમાંય નિષિદ્ધ વ્યવહારને માટે દમન અને દણ્ડની જોગવાઈ હોય છે. આ કાયદાઓ લશ્કરી કાયદાઓ જેટલા જડબેસલાક નથી હોતા તે ખરું, છતાં મહત્ત્વનો મુદ્દો એ છે કે દમન ગુજારવાને માટે કાયદાકાનૂન ઘડવા પડે છે. દમન ગુજારવાનું બહુ સહેલું થઈ પડતું હોય તોય એને માટે નિયમો અને ધારાધોરણોની જરૂર પડવાની. ધારાધોરણોની મદદ વિના આમ કરવું હજી આપણને જરા ખૂંચે છે. પણ ધારાધોરણ મુજબનું આપણું વર્તન છે એમ સ્થાપિત કરાય તો પછી દમન ગુજારવામાં ખંચકાવાનું રહેતું નથી. આથી ગમે તેવા બેહૂદાં પણ ધારાધોરણો ઘડી કાઢવાં જોઈએ. પછી કોઈ પણ પરિસ્થિતિ દમનને માટે યોગ્ય છે એવું આ નિયમો લાગુ પાડીને બતાવી આપનારા મળી રહેશે. જો ધારાધોરણો નથી હોતાં તો આ લોકો બિચારા મૂંઝવણમાં પડી જાય છે! | |||
ટોલ્સ્ટોયે ‘નવો અવતાર’માં આવાં ધારાધોરણોનું ઉદ્ગમસ્થાન ક્યાં છે તથા આ ધારાધોરણોને કેવી રીતે લાગુ પાડવામાં આવતાં હોય છે તે વિશે ઊંડી નજરે જોયું છે. આવાં ધારાધારણો માનવીની જરૂરિયાતો, રાજતન્ત્ર, શાસકોની જરૂરિયાત, પુરાણી પરમ્પરાની અપેક્ષાઓને વશ વર્તીને ઘડાતાં હોય છે. કોઈ તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સત્તાસ્થાને રહેલાઓ તાકીદે નિયમો ઘડી કાઢતા હોય છે. જો ધારાધોરણોનાં આટલાં બધાં જુદાં જુદાં ઉદ્ગમસ્થાનો હોય તો પ્રશ્ન થાય: કાયદાઓ ઘડનારા સિવાયનું બીજું એવું કશું છે ખરું જેને કારણે આ કાયદાઓને વાજબી કે ન્યાયી ઠરાવી શકાય? કયા હકથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર નિયમ લાદી શકે? આ પ્રશ્નોનો જવાબ આપતાં સાધ્ય-સાધનના વિવેકનો મુદ્દો પણ ધ્યાનમાં લેવાનો રહે. | ટોલ્સ્ટોયે ‘નવો અવતાર’માં આવાં ધારાધોરણોનું ઉદ્ગમસ્થાન ક્યાં છે તથા આ ધારાધોરણોને કેવી રીતે લાગુ પાડવામાં આવતાં હોય છે તે વિશે ઊંડી નજરે જોયું છે. આવાં ધારાધારણો માનવીની જરૂરિયાતો, રાજતન્ત્ર, શાસકોની જરૂરિયાત, પુરાણી પરમ્પરાની અપેક્ષાઓને વશ વર્તીને ઘડાતાં હોય છે. કોઈ તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સત્તાસ્થાને રહેલાઓ તાકીદે નિયમો ઘડી કાઢતા હોય છે. જો ધારાધોરણોનાં આટલાં બધાં જુદાં જુદાં ઉદ્ગમસ્થાનો હોય તો પ્રશ્ન થાય: કાયદાઓ ઘડનારા સિવાયનું બીજું એવું કશું છે ખરું જેને કારણે આ કાયદાઓને વાજબી કે ન્યાયી ઠરાવી શકાય? કયા હકથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર નિયમ લાદી શકે? આ પ્રશ્નોનો જવાબ આપતાં સાધ્ય-સાધનના વિવેકનો મુદ્દો પણ ધ્યાનમાં લેવાનો રહે. | ||
Line 42: | Line 43: | ||
માનવીઓ સ્વતન્ત્રપણે નિયમોનું પાલન કરવાનું સ્વીકારે તોય ટોલ્સ્ટોયને મતે, એ એક ઇષ્ટ પરિસ્થિતિ તો નથી જ. ‘નવો અવતાર’ આ બાબતમાં ભારે ક્રાન્તિકારી વિચારસરણી રજૂ કરે છે. જે અનિશ્ચિતતાભરી સ્થિતિમાં નિયમો ઘડવામાં આવે છે અને એનો બચાવ કરવામાં આવે છે તે તરફ ટોલ્સ્ટોય આંગળી ચીંધે છે; પણ આ જુલમના અનિષ્ટને દૂર કરી શકે એવી કશી વ્યવસ્થા ટોલ્સ્ટોય શોધી શકતા નથી. પણ એમાં રહેલી ટોલ્સ્ટોયની પારદર્શક પ્રામાણિકતા આપણને સ્પર્શી જાય છે. ઇન્દ્રિયવિલાસી કળાને એણે વખોડી કાઢી તો એમાં પોતાની આગલી અત્યન્ત પ્રશંસિત કૃતિઓને પણ એમાં અપવાદ રૂપ ગણી નહિ. | માનવીઓ સ્વતન્ત્રપણે નિયમોનું પાલન કરવાનું સ્વીકારે તોય ટોલ્સ્ટોયને મતે, એ એક ઇષ્ટ પરિસ્થિતિ તો નથી જ. ‘નવો અવતાર’ આ બાબતમાં ભારે ક્રાન્તિકારી વિચારસરણી રજૂ કરે છે. જે અનિશ્ચિતતાભરી સ્થિતિમાં નિયમો ઘડવામાં આવે છે અને એનો બચાવ કરવામાં આવે છે તે તરફ ટોલ્સ્ટોય આંગળી ચીંધે છે; પણ આ જુલમના અનિષ્ટને દૂર કરી શકે એવી કશી વ્યવસ્થા ટોલ્સ્ટોય શોધી શકતા નથી. પણ એમાં રહેલી ટોલ્સ્ટોયની પારદર્શક પ્રામાણિકતા આપણને સ્પર્શી જાય છે. ઇન્દ્રિયવિલાસી કળાને એણે વખોડી કાઢી તો એમાં પોતાની આગલી અત્યન્ત પ્રશંસિત કૃતિઓને પણ એમાં અપવાદ રૂપ ગણી નહિ. | ||
* | * * * | ||
‘નવો અવતાર’માં એક રીતે ટોલ્સ્ટોય જાણે પોતાના આરમ્ભબિન્દુ તરફ પાછો વળતો હોય એવું લાગે છે. આ વાર્તાનો નાયક નેખ્લ્યુદોવ ટોલ્સ્ટોયની પ્રારમ્ભની કૃતિ ‘ચાઇલ્ડહૂડ, બોયહૂડ એન્ડ યુથ’માં હતો જ. એમાં એ એક ઉત્સાહી સ્વભાવના યુવાનને રૂપે રજૂ થાય છે. એને સાત્ત્વિક વૃતિને માટે ભારે આદર છે. ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધવો એ જ માનવજીવનનું લક્ષ્ય છે એવી એને પ્રતીતિ છે. આ નેખ્લ્યુદોવને જીવનના ઉત્તરકાળની એ કૃતિના નાયક તરીકે પસંદ કરે છે તે સૂચક છે. એના નૈતિક તેમ જ રસકીય અભિગ્રહો આ કૃતિમાં બરાબર વ્યક્ત થાય છે. આપણી ફરિયાદ એક જ છે: પ્રામાણિકતાના વિકાસને કારણે કૃતિનું કળાતત્ત્વ કથળવું જોઈએ તે જરૂરી નથી; એનો પણ સમાન્તર વિકાસ શા માટે ન થાય? આ નવલકથાનો પ્રારમ્ભ જ અસન્તોષ, અસ્વસ્થતા અને બેકારીથી થાય છે. એમાં પહેલેથી જ આક્રોશ વર્તાય છે. | ‘નવો અવતાર’માં એક રીતે ટોલ્સ્ટોય જાણે પોતાના આરમ્ભબિન્દુ તરફ પાછો વળતો હોય એવું લાગે છે. આ વાર્તાનો નાયક નેખ્લ્યુદોવ ટોલ્સ્ટોયની પ્રારમ્ભની કૃતિ ‘ચાઇલ્ડહૂડ, બોયહૂડ એન્ડ યુથ’માં હતો જ. એમાં એ એક ઉત્સાહી સ્વભાવના યુવાનને રૂપે રજૂ થાય છે. એને સાત્ત્વિક વૃતિને માટે ભારે આદર છે. ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધવો એ જ માનવજીવનનું લક્ષ્ય છે એવી એને પ્રતીતિ છે. આ નેખ્લ્યુદોવને જીવનના ઉત્તરકાળની એ કૃતિના નાયક તરીકે પસંદ કરે છે તે સૂચક છે. એના નૈતિક તેમ જ રસકીય અભિગ્રહો આ કૃતિમાં બરાબર વ્યક્ત થાય છે. આપણી ફરિયાદ એક જ છે: પ્રામાણિકતાના વિકાસને કારણે કૃતિનું કળાતત્ત્વ કથળવું જોઈએ તે જરૂરી નથી; એનો પણ સમાન્તર વિકાસ શા માટે ન થાય? આ નવલકથાનો પ્રારમ્ભ જ અસન્તોષ, અસ્વસ્થતા અને બેકારીથી થાય છે. એમાં પહેલેથી જ આક્રોશ વર્તાય છે. | ||
{{Center|'''2'''}} | |||
2 | |||
‘નવો અવતાર’ના પ્રારમ્ભમાં એક પ્રકારની બેકરારીનું વાતાવરણ છે. નેખ્લ્યુદોવને સહીસલામતી લાગતી નથી. આ સંજોગોમાં એણે કેવી રીતે વર્તવું જોઈએ, બીજાઓ પ્રત્યેનો એનો પ્રતિભાવ કેવો હોવો જોઈએ, એ વિશે એ વિચાર્યા કરે છે. કોઈના આદેશાનુસાર વર્તવાનું હોય છે ત્યારે એ ખંચકાતો નથી. એને ન્યાયપંચમાં બેસવાનું કહેણ આવ્યું છે, જો એ ન જાય તો ત્રણસો રૂબલનો દણ્ડ થાય તે એ જાણે છે. એટલી જ કીમતનો ઘોડો એ લઈ શક્યો નહોતો, આથી ત્રણસો રૂબલની કીમત શું તે એ બરાબર જાણે છે. આપણે નેખ્લ્યુદોવને સૌ પ્રથમ આ વિશિષ્ટ પરિસ્થિતિમાં જોઈએ છીએ. આ પરિસ્થિતિમાં નિયમો છે, ન્યાય ચૂકવવાનો છે. આપણું વર્તન આ બધાંથી શાસિત થતું હોય છે તેનું પૂરું ભાન એને છે. બાહ્ય સત્તાનો એને આદેશ થયો છે અને તે મુજબ એણે બીજાનો ન્યાય ચૂકવવા બેસવાનું છે. ધારાધોરણો લાગુ પાડીને વર્તવાની બધી જ પરિસ્થિતિઓ મૂળમાં આ જ પ્રકારની હોય છે. નિયમોને વશ વર્તવાના અને નિયમોને ઘડવાના સન્દર્ભો અનેકવિધ હોય છે. આ કૃતિમાં નેખ્લ્યુદોવને આપણે આ બધાંમાંથી પસાર થતો જોઈએ છીએ. અન્તે એ પોતે પોતાના પર લાદેલાં નૈતિક ધોરણોને વશ વર્તતો દેખાય છે. | ‘નવો અવતાર’ના પ્રારમ્ભમાં એક પ્રકારની બેકરારીનું વાતાવરણ છે. નેખ્લ્યુદોવને સહીસલામતી લાગતી નથી. આ સંજોગોમાં એણે કેવી રીતે વર્તવું જોઈએ, બીજાઓ પ્રત્યેનો એનો પ્રતિભાવ કેવો હોવો જોઈએ, એ વિશે એ વિચાર્યા કરે છે. કોઈના આદેશાનુસાર વર્તવાનું હોય છે ત્યારે એ ખંચકાતો નથી. એને ન્યાયપંચમાં બેસવાનું કહેણ આવ્યું છે, જો એ ન જાય તો ત્રણસો રૂબલનો દણ્ડ થાય તે એ જાણે છે. એટલી જ કીમતનો ઘોડો એ લઈ શક્યો નહોતો, આથી ત્રણસો રૂબલની કીમત શું તે એ બરાબર જાણે છે. આપણે નેખ્લ્યુદોવને સૌ પ્રથમ આ વિશિષ્ટ પરિસ્થિતિમાં જોઈએ છીએ. આ પરિસ્થિતિમાં નિયમો છે, ન્યાય ચૂકવવાનો છે. આપણું વર્તન આ બધાંથી શાસિત થતું હોય છે તેનું પૂરું ભાન એને છે. બાહ્ય સત્તાનો એને આદેશ થયો છે અને તે મુજબ એણે બીજાનો ન્યાય ચૂકવવા બેસવાનું છે. ધારાધોરણો લાગુ પાડીને વર્તવાની બધી જ પરિસ્થિતિઓ મૂળમાં આ જ પ્રકારની હોય છે. નિયમોને વશ વર્તવાના અને નિયમોને ઘડવાના સન્દર્ભો અનેકવિધ હોય છે. આ કૃતિમાં નેખ્લ્યુદોવને આપણે આ બધાંમાંથી પસાર થતો જોઈએ છીએ. અન્તે એ પોતે પોતાના પર લાદેલાં નૈતિક ધોરણોને વશ વર્તતો દેખાય છે. | ||
Line 94: | Line 93: | ||
નેખ્લ્યુદોવ બીજા એક કેદીની વાત કરે છે જે ખૂબ માંદો છે. જો એને હોસ્પિટલમાં નહીં ખસેડવામાં આવે તો એ મરી જશે એવું લાગે છે. એની કાળજી લેવા માટે એની સાથે એક સ્ત્રી કેદીને રાખવા વિનંતિ કરે છે. એ સ્ત્રી આ કેદીની સગી નથી, પણ જો જરૂરી હોય તો એની સાથે રહેવા માટે એને પરણવા તૈયાર છે. અધિકારી સિગારેટનો ધુમાડો કાઢતાં કાઢતાં આ સાંભળ્યા કરે છે. પછીથી ટેબલ પર પડેલી એક ચોપડી ઉપાડીને લગ્ન અંગેનો કાયદો વાંચે છે. એ સ્ત્રીને સખત મજૂરી સાથેની આકરી સજા થઈ છે. એને લગ્નનો લાભ મળે નહીં. કેદી નહીં એવો કોઈ એણે પરણે તોય એની શિક્ષા પૂરી ભોગવવાની જ રહે. અહીં પ્રશ્ન આ છે: સ્ત્રી કે પુરુષ એ બેમાંથી કોની સજા વધારે છે? આ બધી પંચાત કર્યા પછી એ વિષે ઘટતું કરવાનું કહીને વાત પૂરી કરે છે. મરવા પડેલા કેદીને મળવાની રજા નેખ્લ્યુદોવને મળતી નથી. | નેખ્લ્યુદોવ બીજા એક કેદીની વાત કરે છે જે ખૂબ માંદો છે. જો એને હોસ્પિટલમાં નહીં ખસેડવામાં આવે તો એ મરી જશે એવું લાગે છે. એની કાળજી લેવા માટે એની સાથે એક સ્ત્રી કેદીને રાખવા વિનંતિ કરે છે. એ સ્ત્રી આ કેદીની સગી નથી, પણ જો જરૂરી હોય તો એની સાથે રહેવા માટે એને પરણવા તૈયાર છે. અધિકારી સિગારેટનો ધુમાડો કાઢતાં કાઢતાં આ સાંભળ્યા કરે છે. પછીથી ટેબલ પર પડેલી એક ચોપડી ઉપાડીને લગ્ન અંગેનો કાયદો વાંચે છે. એ સ્ત્રીને સખત મજૂરી સાથેની આકરી સજા થઈ છે. એને લગ્નનો લાભ મળે નહીં. કેદી નહીં એવો કોઈ એણે પરણે તોય એની શિક્ષા પૂરી ભોગવવાની જ રહે. અહીં પ્રશ્ન આ છે: સ્ત્રી કે પુરુષ એ બેમાંથી કોની સજા વધારે છે? આ બધી પંચાત કર્યા પછી એ વિષે ઘટતું કરવાનું કહીને વાત પૂરી કરે છે. મરવા પડેલા કેદીને મળવાની રજા નેખ્લ્યુદોવને મળતી નથી. | ||
{{Center|'''3'''}} | |||
3 | |||
ધારાધોરણોને આધારે થતા કાર્યનું બીજું પાસું પણ ટોલ્સ્ટોય બતાવે છે: જેને ધારાધોરણો લાગુ પાડે છે તેણે એમ માનવાનું રહે છે કે પોતે સાંસ્કૃતિક મૂલ્યોના પક્ષે છે; આ સાંસ્કૃતિક મૂલ્યો માનવ્યના સંવર્ધક છે; આપણા સાંસ્કૃતિક વિશ્વને આ ધારાધોરણો જ સુદૃઢ બનાવે છે. જો એ ધારાધોરણો કોઈના કલ્યાણ માટે ન બનાવ્યાં હોય તો કોઈ એનો બચાવ શી રીતે કરી શકે? આમ છતાં આવાં ધારાધોરણો આ કલ્યાણ આડે જ મર્યાદારૂપ બની રહે છે, એટલું જ નહીં, યાતનાનું કારણ પણ બની રહે છે. જે સમાજને લક્ષમાં રાખીને આ ધારાધોરણો રચાતાં હોય છે તે સમાજ કયો? સમાજનો એવો એક વર્ગ છે જ્યાં આ ધારાધોરણો નાકામયાબ નીવડે છે; પણ એમનું ઉપરાણું લઈને જ આ ધારાધોરણોને વાજબી ઠરાવવામાં આવે છે! | ધારાધોરણોને આધારે થતા કાર્યનું બીજું પાસું પણ ટોલ્સ્ટોય બતાવે છે: જેને ધારાધોરણો લાગુ પાડે છે તેણે એમ માનવાનું રહે છે કે પોતે સાંસ્કૃતિક મૂલ્યોના પક્ષે છે; આ સાંસ્કૃતિક મૂલ્યો માનવ્યના સંવર્ધક છે; આપણા સાંસ્કૃતિક વિશ્વને આ ધારાધોરણો જ સુદૃઢ બનાવે છે. જો એ ધારાધોરણો કોઈના કલ્યાણ માટે ન બનાવ્યાં હોય તો કોઈ એનો બચાવ શી રીતે કરી શકે? આમ છતાં આવાં ધારાધોરણો આ કલ્યાણ આડે જ મર્યાદારૂપ બની રહે છે, એટલું જ નહીં, યાતનાનું કારણ પણ બની રહે છે. જે સમાજને લક્ષમાં રાખીને આ ધારાધોરણો રચાતાં હોય છે તે સમાજ કયો? સમાજનો એવો એક વર્ગ છે જ્યાં આ ધારાધોરણો નાકામયાબ નીવડે છે; પણ એમનું ઉપરાણું લઈને જ આ ધારાધોરણોને વાજબી ઠરાવવામાં આવે છે! | ||
Line 144: | Line 141: | ||
પણ ટોલ્સ્ટોય એમ માને છે કે યોગ્ય રીતે રચાયેલી કળાકૃતિ સમાન લાગણીથી સુગ્રથિત એવા સમાજને મૂર્ત કરી શકે. આવી કૃતિનો વાચક વર્ગ તે એને મન સમાન ધામિર્ક અનુભૂતિથી નિયન્ત્રિત વર્ગ જેવો છે; એઓ કેન્દ્રમાં રહેલી વસ્તુને વશ વર્તે છે. એમને એક બન્ધને બાંધનારો પ્રભાવ એમાંથી જ ઉત્ક્રાન્ત થાય છે. કોઈ એમ પણ ન કહી શકે કે કળા આપણા વિસંવાદો અને આક્રમકતાની હદે જતા બુદ્ધિભેદો પર સમ્મોહનની એક જાળ પાથરી દે છે? | પણ ટોલ્સ્ટોય એમ માને છે કે યોગ્ય રીતે રચાયેલી કળાકૃતિ સમાન લાગણીથી સુગ્રથિત એવા સમાજને મૂર્ત કરી શકે. આવી કૃતિનો વાચક વર્ગ તે એને મન સમાન ધામિર્ક અનુભૂતિથી નિયન્ત્રિત વર્ગ જેવો છે; એઓ કેન્દ્રમાં રહેલી વસ્તુને વશ વર્તે છે. એમને એક બન્ધને બાંધનારો પ્રભાવ એમાંથી જ ઉત્ક્રાન્ત થાય છે. કોઈ એમ પણ ન કહી શકે કે કળા આપણા વિસંવાદો અને આક્રમકતાની હદે જતા બુદ્ધિભેદો પર સમ્મોહનની એક જાળ પાથરી દે છે? | ||
{{Center|'''4'''}} | |||
4 | |||
આમ, ટોલ્સ્ટોયના નૈતિક આશયોનો દાર્શનિક આશયો જોડે મેળ ખાતો નથી. આ બે આશયોથી પ્રેરાઈને નવલકથા લખવામાં જ પાયાનો વિરોધાભાસ રહેલો છે: લાગણી પર આધાર રાખીને નવલકથામાં માનવવ્યવહાર પ્રધાનતયા કશીક લાગણીથી દોરવાતો હોય છે; તો બીજી બાજુથી ફિલસૂફીની દૃષ્ટિએ જોઈએ તો બુદ્ધિનિર્ભર અને ઉપયોગિતાવાદી એવી નૈતિક આચારસંહિતાએ માનવીની બુદ્ધિ પર ભાર મૂકવાનો રહે. આ બન્નેમાંથી ટોલ્સ્ટોયને માર્ગદર્શક કશું પ્રાપ્ત થતું નથી. આથી ટોલ્સ્ટોયને એની કૃતિને માનવસ્વભાવ અને વ્યક્તિના વ્યવહાર વિશેના અધૂરા અને અપૂરતા પાયા પર ખડી કરવી પડી છે. આથી આ કૃતિ એક શોધયાત્રા બની રહે છે, પણ એ શોધ નિષ્ફળ જાય છે. આ વિરોધાભાસોમાંથી ઊભી થતી સમસ્યાઓનો ઉકેલ ટોલ્સ્ટોયને જડતો નથી. ટોલ્સ્ટોય બેમાંથી એકેય પક્ષને પસંદ કરે એમ નથી, આથી એનો ઉકેલ અસન્તોષકારક એવા ધર્મપરક રસસિદ્ધાન્તમાં એ શોધે છે. | આમ, ટોલ્સ્ટોયના નૈતિક આશયોનો દાર્શનિક આશયો જોડે મેળ ખાતો નથી. આ બે આશયોથી પ્રેરાઈને નવલકથા લખવામાં જ પાયાનો વિરોધાભાસ રહેલો છે: લાગણી પર આધાર રાખીને નવલકથામાં માનવવ્યવહાર પ્રધાનતયા કશીક લાગણીથી દોરવાતો હોય છે; તો બીજી બાજુથી ફિલસૂફીની દૃષ્ટિએ જોઈએ તો બુદ્ધિનિર્ભર અને ઉપયોગિતાવાદી એવી નૈતિક આચારસંહિતાએ માનવીની બુદ્ધિ પર ભાર મૂકવાનો રહે. આ બન્નેમાંથી ટોલ્સ્ટોયને માર્ગદર્શક કશું પ્રાપ્ત થતું નથી. આથી ટોલ્સ્ટોયને એની કૃતિને માનવસ્વભાવ અને વ્યક્તિના વ્યવહાર વિશેના અધૂરા અને અપૂરતા પાયા પર ખડી કરવી પડી છે. આથી આ કૃતિ એક શોધયાત્રા બની રહે છે, પણ એ શોધ નિષ્ફળ જાય છે. આ વિરોધાભાસોમાંથી ઊભી થતી સમસ્યાઓનો ઉકેલ ટોલ્સ્ટોયને જડતો નથી. ટોલ્સ્ટોય બેમાંથી એકેય પક્ષને પસંદ કરે એમ નથી, આથી એનો ઉકેલ અસન્તોષકારક એવા ધર્મપરક રસસિદ્ધાન્તમાં એ શોધે છે. | ||
Line 183: | Line 178: | ||
નૈતિક સમસ્યાને રસકીય ભૂમિકાએ રજૂ કરવી તે એ સમસ્યાને સમજવામાં મહત્ત્વનું અર્પણ બની રહી શકે તે ટોલ્સ્ટોય જોઈ શકતા નથી. આધુનિકતાને એના રસકીય અંશો પૂરતી એણે વખોડી કાઢી ને છતાં એણે એવી નવલકથા લખી જે રસકીય મૂલ્યોની દૃષ્ટિએ સારી ગણી શકાય. નૈતિક સમસ્યા તો એનાથી ઉકેલી શકાઈ નથી. દાર્શનિક પાસું જોઈએ તો નવલકથા નિષ્ફળ નીવડી છે; એ નિષ્ફળતાનું કારણ નૈતિક સમસ્યાને એણે કળાનો વિષય બનાવી તે છે. આ જ કદાચ ટોલ્સ્ટોયે ટાળવા ઇચ્છ્યું હતું – એ ટાળવામાં એ નિષ્ફળ ગયો, તે જ કારણે આ કૃતિ નવલકથા તરીકે સફળ થઈ. | નૈતિક સમસ્યાને રસકીય ભૂમિકાએ રજૂ કરવી તે એ સમસ્યાને સમજવામાં મહત્ત્વનું અર્પણ બની રહી શકે તે ટોલ્સ્ટોય જોઈ શકતા નથી. આધુનિકતાને એના રસકીય અંશો પૂરતી એણે વખોડી કાઢી ને છતાં એણે એવી નવલકથા લખી જે રસકીય મૂલ્યોની દૃષ્ટિએ સારી ગણી શકાય. નૈતિક સમસ્યા તો એનાથી ઉકેલી શકાઈ નથી. દાર્શનિક પાસું જોઈએ તો નવલકથા નિષ્ફળ નીવડી છે; એ નિષ્ફળતાનું કારણ નૈતિક સમસ્યાને એણે કળાનો વિષય બનાવી તે છે. આ જ કદાચ ટોલ્સ્ટોયે ટાળવા ઇચ્છ્યું હતું – એ ટાળવામાં એ નિષ્ફળ ગયો, તે જ કારણે આ કૃતિ નવલકથા તરીકે સફળ થઈ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[અષ્ટમોઅધ્યાય/ઇ. એમ. ફોર્સ્ટર: અખિલાઈની આરત|ઇ. એમ. ફોર્સ્ટર: અખિલાઈની આરત]] | |||
|next = [[અષ્ટમોઅધ્યાય/આઇઝાક બાશેવિસ સિંગર|આઇઝાક બાશેવિસ સિંગર]] | |||
}} |
edits