અવતરણ: Difference between revisions

4,581 bytes added ,  07:20, 21 September 2022
no edit summary
No edit summary
No edit summary
Line 171: Line 171:
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}
<br>
<br>
{{Center block|width=23em|title=<big>'''૮.<br>યંત્રવિજ્ઞાનની પરંપરા'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૮.<br>યંત્રવિજ્ઞાનની પરંપરા'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 176: Line 178:
{{સ-મ||નિરંજન ભગત}}
{{સ-મ||નિરંજન ભગત}}
{{સ-મ||'''[‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (1975)]'''}}
{{સ-મ||'''[‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (1975)]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૯.<br>વિવેચકનો કાવ્યવિવેક'''</big>|
{{Poem2Open}}
અલબત્ત, દરેક વિવેચકની કવિતાવિવેકની વ્યવહારુ પ્રવૃત્તિની પાછળ એને અભિપ્રેત કાવ્યસિદ્ધાન્ત ડોકિયું કરવાનો જ. વારંવાર એને કોઈ ને કોઈ કાવ્યસિદ્ધાંતો સાથે મેળ કે વિરોધ દાખવવાના પ્રસંગો પણ આવવાના. ક્યાંક સીધી સિદ્ધાન્તચર્ચામાં ઊતરવાનો પણ પ્રસંગ આવે એ અસંભવિત નથી. વિવેચક હંમેશાં કાવ્ય ‘વિશે’ નહિ પણ કાવ્ય ‘સાથે’ મથામણ કરી રહ્યો હોય છે, એટલે કાવ્ય સાથેની પ્રત્યક્ષ મથામણમાં જેટલાં કાવ્યવિચારમંથનો મદદરૂપ થાય એવાં હશે તે બધાંનો એ જરૂર આદર કરવાનો. પણ સતત એણે કાવ્ય સાથે હાથ મિલાવેલા હશે અને એની ઉષ્મા અનુભવતાં અનુભવતાં જ – બલકે એ ઉષ્માધબકનો આનંદ બીજાઓને ઓળખાવવા-પહોંચાડવામાં ઉપકારક થાય એ પૂરતી – પરોક્ષ ચર્ચાને એ આવકારશે. કાવ્ય સાથેના પ્રત્યક્ષ સંબંધ સાથે સંકળાયેલા અનેક નાનામોટા પ્રશ્નોને તાત્ત્વિક દૃષ્ટિએ એણે ચર્ચવાના રહેવાના. પણ કાવ્યથી દૂર ચાતરી પરોક્ષ ચર્ચામાં જ વિવેચક ગૂંચાઈ જાય તો એણે સમજવું જોઈએ કે વિવેચનની નહિ પણ તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ એ કરી રહ્યો છે. આ ભેદ ખ્યાલમાં રહેવો જોઈએ.
{{સ-મ||ઉમાશંકર જોશી}}
{{સ-મ||'''[ઠક્કર વસનજી વ્યાખ્યાનો, 1959: ‘કવિતાવિવેક’(1997)માંથી]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૧૦.<br>હકીકતની શુદ્ધિ'''</big>|
{{Poem2Open}}
હકીકતની શુદ્ધિ માટે આપણે પૂરતો આગ્રહ કેળવી શક્યા નથી. આ વાતનું સમર્થન હું એક બીજી રીતે પણ કરવા ઇચ્છું છું. કોઈ પણ કામ સંપૂર્ણ શુદ્ધ રીતે કરવું ઘણું મુશ્કેલ હોય છે. નાનીમોટી થોડી ભૂલો રહી પણ જાય. પણ એ ભૂલોની જાણ થયા પછી એ સુધારવા માટે જે કંઈ ઉપાયો હાથમાં હોય તે ઉપાયો કરવાની તત્પરતા આપણે બતાવીએ છીએ ખરા? ભૂલો વધારે હોય તો થયેલા કામને રદ કરવાની આપણામાં હિંમત હોય છે ખરી? ગાંધીજીએ ગોખલેના લેખોના નબળા અનુવાદની છપાયેલી નકલો પસ્તીમાં પણ ન કાઢતાં બળાવી દીધેલી. અને આ એ ગાંધીજી હતા જે વપરાયેલાં કવરોને પણ ફાડીને ઉપયોગમાં લેતા હતા. પ્રજાને સાચું જ્ઞાન, સાચી માહિતી ન આપી શકીએ પણ ખોટું જ્ઞાન, ખોટી માહિતી તો કેમ અપાય?
{{સ-મ||જયંત કોઠારી}}
{{સ-મ||'''[‘સાહિત્યિક તથ્યોની માવજત’ (1989)માંથી]'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}
18,450

edits