સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ભેંસોનાં દૂધ!: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ભેંસોનાં દૂધ!|}} {{Poem2Open}} ડુંગરા અને વનરાઈ વચ્ચે જ્યાં જુગોજુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરનાં તો સોણાંય મીઠાં લાગે. ઘણી ગીર કપાઈ ગઈ છે, કપાતી જાય છે; તો પણ જે ભાગ હ...")
 
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
ડુંગરા અને વનરાઈ વચ્ચે જ્યાં જુગોજુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરનાં તો સોણાંય મીઠાં લાગે. ઘણી ગીર કપાઈ ગઈ છે, કપાતી જાય છે; તો પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડપ ખરે જ અદ્ભુત છે.
<big>ડું</big>ગરા અને વનરાઈ વચ્ચે જ્યાં જુગોજુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરનાં તો સોણાંય મીઠાં લાગે. ઘણી ગીર કપાઈ ગઈ છે, કપાતી જાય છે; તો પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડપ ખરે જ અદ્ભુત છે.
ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂંઠાં થઈ ગયાં હોય, ખડ સુકાઈને ઊડી ગયાં હોય, અને ઝરણાં સૂકાં પડ્યાં હોય ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી. પણ એક-બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાઈ લીલવણી ઓઢણે ઝકૂંબતી હોય, લીલાછમ ખડ છાતીપૂર ઊભાં હોય, દરેક નદીઝરણું આનંદમાં ખળખળાટ કરી રહ્યું હોય, તે સમયની ગીર જોઈ હોય તેનાથી એ જીવતાં સુધી ભુલાય તેમ નથી.
ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂંઠાં થઈ ગયાં હોય, ખડ સુકાઈને ઊડી ગયાં હોય, અને ઝરણાં સૂકાં પડ્યાં હોય ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી. પણ એક-બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાઈ લીલવણી ઓઢણે ઝકૂંબતી હોય, લીલાછમ ખડ છાતીપૂર ઊભાં હોય, દરેક નદીઝરણું આનંદમાં ખળખળાટ કરી રહ્યું હોય, તે સમયની ગીર જોઈ હોય તેનાથી એ જીવતાં સુધી ભુલાય તેમ નથી.
એક સારો વરસાદ થયાના ખબર મળતાં તો દૂર દૂરથી રબારી, ચારણ, આહીર, કાઠી અને દરેક મોટા માલધારી પોતાનાં ઢોર લઈ ગીરમાં ચારવા જાય છે. ઠેકઠેકાણે ઝૂંપડાં અને ઢોરની ઝોકો બંધાય છે. પરોઢિયે પરોઢિયે વલોણાંના ઘમઘમાટ, ઘંટીના નાદ સાથે ગવાતાં પ્રભાતિયાં, રાત્રે ક્યાંક ભજનની ધૂન, તો ક્યાંક દુહા, ક્યાંક વાર્તા, તો ક્યાંક રબારી-ચારણના પાવાના મધુર નાદ, ક્યારેક ડુંગરા ગજવી મૂકતી સિંહની હૂક, તો ક્યારેક પશુ (એ નામના હરણ)ની છીંકારીઓ, ક્યારેક સાબરનાં ભાડુક, મસ્ત ખૂંટડાની ત્રાડ, મોરલાના ટૌકા : આ બધું જેણે અનુભવ્યું હોય તેને જ તેની ખરી ખૂબી સમજાય.
એક સારો વરસાદ થયાના ખબર મળતાં તો દૂર દૂરથી રબારી, ચારણ, આહીર, કાઠી અને દરેક મોટા માલધારી પોતાનાં ઢોર લઈ ગીરમાં ચારવા જાય છે. ઠેકઠેકાણે ઝૂંપડાં અને ઢોરની ઝોકો બંધાય છે. પરોઢિયે પરોઢિયે વલોણાંના ઘમઘમાટ, ઘંટીના નાદ સાથે ગવાતાં પ્રભાતિયાં, રાત્રે ક્યાંક ભજનની ધૂન, તો ક્યાંક દુહા, ક્યાંક વાર્તા, તો ક્યાંક રબારી-ચારણના પાવાના મધુર નાદ, ક્યારેક ડુંગરા ગજવી મૂકતી સિંહની હૂક, તો ક્યારેક પશુ (એ નામના હરણ)ની છીંકારીઓ, ક્યારેક સાબરનાં ભાડુક, મસ્ત ખૂંટડાની ત્રાડ, મોરલાના ટૌકા : આ બધું જેણે અનુભવ્યું હોય તેને જ તેની ખરી ખૂબી સમજાય.
બરાબર મધ્યગીરમાં ડુંગરે વીંટ્યું એક તીર્થધામ છે; ત્યાં રુક્મિણીનો ડુંગર છે, તાતા પાણીનો કુંડ છે, ભગવાનની શ્યામ મૂર્તિવાળું મંદિર છે. એનું નામ તુળસીશ્યામ છે. કેટલાંક વરસો પહેલાં તુળસીશ્યામની આસપાસ કેટલાક ચારણોના નેસ પડ્યા હતા. દેશમાં દુકાળને લઈ ઉનાળામાં પણ કેટલાંક ઝૂંપડાં બાંધી ત્યાં જ પડ્યાં હતાં. તેવામાં ઢોરમાં એકદમ શીળીનો રોગ ફાટી નીકળ્યો. ઘણા માલધારી માલવિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા. બહુ જ થોડાં ચારણકુટુંબ ત્યાં રહ્યાં.
બરાબર મધ્યગીરમાં ડુંગરે વીંટ્યું એક તીર્થધામ છે; ત્યાં રુક્મિણીનો ડુંગર છે, તાતા પાણીનો કુંડ છે, ભગવાનની શ્યામ મૂર્તિવાળું મંદિર છે. એનું નામ તુળસીશ્યામ છે. કેટલાંક વરસો પહેલાં તુળસીશ્યામની આસપાસ કેટલાક ચારણોના નેસ પડ્યા હતા. દેશમાં દુકાળને લઈ ઉનાળામાં પણ કેટલાંક ઝૂંપડાં બાંધી ત્યાં જ પડ્યાં હતાં. તેવામાં ઢોરમાં એકદમ શીળીનો રોગ ફાટી નીકળ્યો. ઘણા માલધારી માલવિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા. બહુ જ થોડાં ચારણકુટુંબ ત્યાં રહ્યાં.
એક ચારણને માત્ર બે નાનાં ખડાયાં રહ્યાં, બાકીનાં ઢોર તો મરી ગયાં; પણ ચારણિયાણી પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી. આ પ્રમાણે એ ચારણને ચાર નાનાં ખડાયાં થયાં. તેના ઉપર જ તેનો નિભાવ હતો. ‘આગળ જતાં સારી ભેંસો થશે, એનાં દૂધ-ઘીમાંથી ગુજરાન ચાલશે’ એ આશાથી બહુ ચાકરી રાખવા માંડી. ચારેય ખડાયાં મોટાં થયાં; અસલ ગીરની વખણાય છે તેવી ચારેય ભેંસો થઈ. મોટાં માથાં : કોડિયામાં દીવા કરી મૂકી શકાય તેવાં વળેલાં બબ્બે ત્રણ-ત્રણ આંટા લઈ ગયેલાં શીંગ; દેવળના થંભ જેવા પગ; ટૂંકી ગુંડી; ફાંટમાં આવે એવાં આઉ; પથારી કરી સૂઈ રહેવાય તેવાં વાંસાનાં પાટિયાં : આમ બધી રીતે વખણાય તેવી ચારેય ભેંસોને જોઈ ચારણ વર-વહુ આનંદ કરે છે.
એક ચારણને માત્ર બે નાનાં ખડાયાં રહ્યાં, બાકીનાં ઢોર તો મરી ગયાં; પણ ચારણિયાણી પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી. આ પ્રમાણે એ ચારણને ચાર નાનાં ખડાયાં થયાં. તેના ઉપર જ તેનો નિભાવ હતો. ‘આગળ જતાં સારી ભેંસો થશે, એનાં દૂધ-ઘીમાંથી ગુજરાન ચાલશે’ એ આશાથી બહુ ચાકરી રાખવા માંડી. ચારેય ખડાયાં મોટાં થયાં; અસલ ગીરની વખણાય છે તેવી ચારેય ભેંસો થઈ. મોટાં માથાં : કોડિયામાં દીવા કરી મૂકી શકાય તેવાં વળેલાં બબ્બે ત્રણ-ત્રણ આંટા લઈ ગયેલાં શીંગ; દેવળના થંભ જેવા પગ; ટૂંકી ગુંડી; ફાંટમાં આવે એવાં આઉ; પથારી કરી સૂઈ રહેવાય તેવાં વાંસાનાં પાટિયાં : આમ બધી રીતે વખણાય તેવી ચારેય ભેંસોને જોઈ ચારણ વર-વહુ આનંદ કરે છે.
દિવસે ચરીને સાંજરે રૂંઝ્યું રડ્યે જ્યારે ભેંસો ઘેર આવે, ત્યારે ચારણિયાણી ઝોકના ઝાંપા પાસે ઊભી જ હોય અને જોતાંવેંત જ ‘મોળી ધાખી ઈદી! બાપ! ગોદડ ઈદી! ખમાં મોળી શેલર! આઈનાં રખોપાં, મોળી મા!’ કરી કરી ભેંસોને આવકારે, પોતાના પછેડા વતી એનાં અંગ લૂછે; પછી ખાણ ખવરાવવું હોય તે ખવરાવે.
દિવસે ચરીને સાંજરે રૂંઝ્યું રડ્યે જ્યારે ભેંસો ઘેર આવે, ત્યારે ચારણિયાણી ઝોકના ઝાંપા પાસે ઊભી જ હોય અને જોતાંવેંત જ ‘મોળી ધાખી ઈદી! બાપ! ગોદડ ઈદી! ખમાં મોળી શેલર! આઈનાં રખોપાં, મોળી મા!’ <ref>મારી ધાખી (નામની ભેંસ) આવી! બાપ ગોદડ (નામની ભેંસ) આવી! ખમ્મા તને, મારી શેલર (નામની ભેંસ)! માતાજી તારાં રખવાળાં કરે, મારી મા!</ref> કરી કરી ભેંસોને આવકારે, પોતાના પછેડા વતી એનાં અંગ લૂછે; પછી ખાણ ખવરાવવું હોય તે ખવરાવે.
ચારેય ભેંસોને વિયાવાને હજુ ત્રણેક માસ બાકી છે. ‘ચારેય વિયાશે; અધમણ અધમણ દૂધ કરશે; રોજ સાત-આઠ શેર ઘીની છાશ થશે; ગુજરાન બહુ સારું ચાલશે’ એ વિચારો ને વાતો બન્ને ચારણ જણ કર્યા કરે છે અને આશામાં દોહ્યલા દિવસો વીતાવે છે.
ચારેય ભેંસોને વિયાવાને હજુ ત્રણેક માસ બાકી છે. ‘ચારેય વિયાશે; અધમણ અધમણ દૂધ કરશે; રોજ સાત-આઠ શેર ઘીની છાશ થશે; ગુજરાન બહુ સારું ચાલશે’ એ વિચારો ને વાતો બન્ને ચારણ જણ કર્યા કરે છે અને આશામાં દોહ્યલા દિવસો વીતાવે છે.
ભાદરવો આવ્યો; ભરપૂર વરસ્યો, હેલી મચાવી. આઠેક દિવસની હેલી થઈ. વરસાદ અનરાધાર પડે છે તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે ભેંસોને છોડી મૂકે છે. એટલે બેંસો પોતપોતાના ચરવાના નેખમે(ઠેકાણે) ચાલી જાય છે. અને સાંજરે ધરાઈને પાછી પોતાની જાતે નેસે ચાલી આવે છે. ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે.
ભાદરવો આવ્યો; ભરપૂર વરસ્યો, હેલી મચાવી. આઠેક દિવસની હેલી થઈ. વરસાદ અનરાધાર પડે છે તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે ભેંસોને છોડી મૂકે છે. એટલે બેંસો પોતપોતાના ચરવાના નેખમે(ઠેકાણે) ચાલી જાય છે. અને સાંજરે ધરાઈને પાછી પોતાની જાતે નેસે ચાલી આવે છે. ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે.
Line 34: Line 34:
કોઈએ હાથ કાપ્યો; કોઈએ પગમાં છરો માર્યો : એમ છયે ચારણોએ ત્રાગાં કર્યાં. ડેલી ઉપર પોતાનું લોહી છાંટીને ચાલતાં થયા. તે દિવસે તો રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહિ. સૌને પછી તો બહુ વિચાર થવા લાગ્યો. પણ પછી પસ્તાવો શા કામનો?
કોઈએ હાથ કાપ્યો; કોઈએ પગમાં છરો માર્યો : એમ છયે ચારણોએ ત્રાગાં કર્યાં. ડેલી ઉપર પોતાનું લોહી છાંટીને ચાલતાં થયા. તે દિવસે તો રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહિ. સૌને પછી તો બહુ વિચાર થવા લાગ્યો. પણ પછી પસ્તાવો શા કામનો?
સવાર થયું. વાત ચર્ચાઈ. કેટલાક રૂપિયા ઊડ્યા. તેટલેથી બસ ન રહ્યું. દરબાર ત્રાંસળીમાં દૂધ લઈને જમવા બેઠા કે ત્રાંસળી આખી જીવડાંથી ભરેલી દેખાણી. એ દૂધ નાખી દઈ ફરી વાર લીધું તોપણ એમ જ થયું. ત્રાંસળીમાં જીવડાં જ દેખાય. એક જ દેગડીમાંથી બધાને દૂધ પીરસાય. છતાં દરબારને ત્રાંસળીમાં જીવડાં દેખાય. ચોખાનું પણ તેમ જ થયું. દૂધ, ચોખા અને ઘી — ત્રણેય વસ્તુ તે જ દિવસથી બંધ થઈ. આંખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતાં જ દુર્ગંધ આવે. એમ કેટલાંક વર્ષો સુધી ચાલ્યું, ધીમે ધીમે વધ્યું. છેવટે એકીસાથે આઠ દિવસ સુધી કાંઈ પણ ખવાયું નહિ.
સવાર થયું. વાત ચર્ચાઈ. કેટલાક રૂપિયા ઊડ્યા. તેટલેથી બસ ન રહ્યું. દરબાર ત્રાંસળીમાં દૂધ લઈને જમવા બેઠા કે ત્રાંસળી આખી જીવડાંથી ભરેલી દેખાણી. એ દૂધ નાખી દઈ ફરી વાર લીધું તોપણ એમ જ થયું. ત્રાંસળીમાં જીવડાં જ દેખાય. એક જ દેગડીમાંથી બધાને દૂધ પીરસાય. છતાં દરબારને ત્રાંસળીમાં જીવડાં દેખાય. ચોખાનું પણ તેમ જ થયું. દૂધ, ચોખા અને ઘી — ત્રણેય વસ્તુ તે જ દિવસથી બંધ થઈ. આંખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતાં જ દુર્ગંધ આવે. એમ કેટલાંક વર્ષો સુધી ચાલ્યું, ધીમે ધીમે વધ્યું. છેવટે એકીસાથે આઠ દિવસ સુધી કાંઈ પણ ખવાયું નહિ.
આઠમે દિવસે ચલાળાના પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના ભગતના  ગધૈ જાતના ચેલા શ્રી ગીગા ભગત ફરતા ફરતા, દરબાર જેતપુરથી બીજે ગામ રહેવા ગયા હતા ત્યાં જઈ ચડ્યા. દરબારે આપા ગીગા ભગતની બહુ જ સારી સેવા કરી. પછી કરેલાં પાપની બધી હકીકત કહી. દૂધ, ચોખા ને ઘી પોતે ખાઈ શકતા નહોતા, તેમ જ આઠ દિવસની લાંઘણો થઈ હતી એ બધું કહ્યું : બહુ જ કરગરીને કહ્યું. કંઈક દયા કરવા આપા ગીગાને પગમાં પડી વીનવ્યા.
આઠમે દિવસે ચલાળાના પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના ભગતના  <ref> દાના ભગતના ચરિત્ર માટે જુઓ લેખકનું પુસ્તક ‘સોરઠી સંતો’. </ref> ગધૈ જાતના ચેલા શ્રી ગીગા ભગત ફરતા ફરતા, દરબાર જેતપુરથી બીજે ગામ રહેવા ગયા હતા ત્યાં જઈ ચડ્યા. દરબારે આપા ગીગા ભગતની બહુ જ સારી સેવા કરી. પછી કરેલાં પાપની બધી હકીકત કહી. દૂધ, ચોખા ને ઘી પોતે ખાઈ શકતા નહોતા, તેમ જ આઠ દિવસની લાંઘણો થઈ હતી એ બધું કહ્યું : બહુ જ કરગરીને કહ્યું. કંઈક દયા કરવા આપા ગીગાને પગમાં પડી વીનવ્યા.
આપા ગીગાને દયા આવી. તે દિવસ દરબારને પોતાની સાથે જમવાનું કહ્યું. આપા ગીગા જાતે ગધૈ હતા. છતાં, દરબારે તેમની સાથે બેસી તેમનું એઠું અન્ન લીધું તે જ દિવસથી જીવડાં દેખાતાં બંધ થયાં. બાર-તેર વરસ સુધી એ પ્રમાણે ચાલ્યું. આઠ-દસ દિવસે માણસ મોકલી આપા ગીગા ભગતની જગ્યાએથી ધૂપ મગાવી લેવાનું નીમ રાખ્યું. તેવામાં આપો ગીગો દેવ થયા. દરબારને પણ કંઈક વાત વિસારે પડી. પસ્તાવો પણ કંઈક ઓછો થયો; એટલે વળી દૂધ અને ચોખા ઉપર અરુચિ થવા લાગી. જીવડાં તો ન દેખાય પણ એ વસ્તુ સાંભરી આવે કે તરત એટલો અણગમો થઈ આવે કે થાળી પાછી મોકલે. પછી આપા ગીગાની ધજા દરબારગઢમાં એક ઓરડામાં રાખી, ધૂપ વગેરે બરાબર નિયમિત જગ્યાએથી મગાવી કરવા માંડ્યો. એટલે એ વસ્તુઓ થોડી થોડી ખવાવી શરૂ થઈ; પણ ચાર-પાંચ દિવસે વળી અરુચિ થઈ આવે.
આપા ગીગાને દયા આવી. તે દિવસ દરબારને પોતાની સાથે જમવાનું કહ્યું. આપા ગીગા જાતે ગધૈ હતા. છતાં, દરબારે તેમની સાથે બેસી તેમનું એઠું અન્ન લીધું તે જ દિવસથી જીવડાં દેખાતાં બંધ થયાં. બાર-તેર વરસ સુધી એ પ્રમાણે ચાલ્યું. આઠ-દસ દિવસે માણસ મોકલી આપા ગીગા ભગતની જગ્યાએથી ધૂપ મગાવી લેવાનું નીમ રાખ્યું. તેવામાં આપો ગીગો દેવ થયા. દરબારને પણ કંઈક વાત વિસારે પડી. પસ્તાવો પણ કંઈક ઓછો થયો; એટલે વળી દૂધ અને ચોખા ઉપર અરુચિ થવા લાગી. જીવડાં તો ન દેખાય પણ એ વસ્તુ સાંભરી આવે કે તરત એટલો અણગમો થઈ આવે કે થાળી પાછી મોકલે. પછી આપા ગીગાની ધજા દરબારગઢમાં એક ઓરડામાં રાખી, ધૂપ વગેરે બરાબર નિયમિત જગ્યાએથી મગાવી કરવા માંડ્યો. એટલે એ વસ્તુઓ થોડી થોડી ખવાવી શરૂ થઈ; પણ ચાર-પાંચ દિવસે વળી અરુચિ થઈ આવે.
ત્રણ ટંક બધાને જમાડતાં, બહુ સારી રીતે નોકરચાકરની બરદાસ રાખતા, કોઈ પણ ડેલીએ આવે તેને ગમે તેટલા દિવસ રોકાય તોયે, પોતાની સાથે જ પંગત કરી ખૂબ છૂટથી દૂધ-ઘી જમાડતા. પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટથી એ વસ્તુઓ જમી શક્યા નહિ. થોડું થોડું જમી શકતા. તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણી વાર સુધી એક નજરે જોઈ રહે. આંખમાં ક્યારેક ક્યારેક ઝળઝળિયાં આવી જાય અને ‘ગીગેવ! ગીગેવ!’ કરી, આપા ગીગાનું સ્મરણ કરી ધીમે ધીમે થોડુંઘણું જમે.
ત્રણ ટંક બધાને જમાડતાં, બહુ સારી રીતે નોકરચાકરની બરદાસ રાખતા, કોઈ પણ ડેલીએ આવે તેને ગમે તેટલા દિવસ રોકાય તોયે, પોતાની સાથે જ પંગત કરી ખૂબ છૂટથી દૂધ-ઘી જમાડતા. પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટથી એ વસ્તુઓ જમી શક્યા નહિ. થોડું થોડું જમી શકતા. તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણી વાર સુધી એક નજરે જોઈ રહે. આંખમાં ક્યારેક ક્યારેક ઝળઝળિયાં આવી જાય અને ‘ગીગેવ! ગીગેવ!’ કરી, આપા ગીગાનું સ્મરણ કરી ધીમે ધીમે થોડુંઘણું જમે.
Line 40: Line 40:
લોકો કહે છે કે ‘એને ધા લાગી ગઈ!’
લોકો કહે છે કે ‘એને ધા લાગી ગઈ!’
{{Poem2Close}}
{{Poem2Close}}
-------------------------------------------------------------------------------------------------------------
26,604

edits