13,103
edits
No edit summary |
No edit summary |
||
Line 113: | Line 113: | ||
એક વિદ્વાન કહે છે કે કવિતા એ એવો હુન્નર છે કે, જે પોતાની મધુરી પ્રેરણાથી અણઘડ, નિર્દય અને પથ્થર જેવી છાતીનાં માણસમાં પણ ધર્મ નીતિનું રસજ્ઞાન કરાવે છે. મીલટન પણ કહે છે કે, આહાહા! ઈશ્વરી અને મનુષ્યકૃત વસ્તુઓમાં આપણે કવિતાના કેવો ધર્મી, યશસ્વી અને ઉત્સાહી ઉપયોગ કરી શકીએ છૈયે. કવિતાનો કેટલાએક જણ નઠારો ઉપયોગ કરે, તેમાં કવિતાના શો દોષ? કવિનો રસ કવિને જ માલમ છે એમ નથી. મોટા મોટા રાજદરબારે બેસનારા અમીર વજીરોને અને શૂરા લડનારાઓને પણ કવિતાએ પોતાને વશ કર્યા છે શિકંદર બાદશાહને વિષે એમ કહેવાય છે કે તે હોમર નામના ઉત્તમ કવિની ચોપડી રૂપાની પેટીમાં લઈ લઈને સઘળે ફરતો હતો, અને રાતે તેને પોતાના ઓસીકા તળે મુકતો હતો. આપણા રજપુત ભાટોમાં ચંદકવિની બરાબરી કોણ કરી શકનાર છે? કેટલાક હારેલા રાજાઓ વીરરસનાં કવિતો સાંભળી ઘોડા ઉપર ચડીને ફતેહ કરી આવેલા છે. જગતનો ફેરફાર સઘળો કવિતા ઉપર આધાર રાખે છે. જે વેળા બ્રહ્મભજન કવિતામાં રાગરૂપે થાય છે, તે વખત રુવે રુવે આનંદ આનદ વ્યાપી રેહે છે. ત્રિવિક્રમાનંદ કરીને બ્રહ્મમાર્ગી એક બાવો થઈ ગયો છે, તેનાં બનાવેલાં પદે અને તે પદના ગાનાર સુરતના વીજીઆનંદ નામના ગળીઆરાએ (ત્રિવિક્રમાનંદના ચેલાએ) સુરતના ઘણા ખરા લોકને બ્રહ્મની લેહ લગાડી હતી. વલ્લભમાર્ગની બઢતી થઈ તેનું કારણ એ કે તેમાં સરસ કવિતા છે. સાહિત્યશાસ્ત્રનો ભંડાર એ પંથમાં છે. પણ બાળકને હાથ તરવાર આવ્યા જેવું થયું છે. સુરદાસાદિ અષ્ટસખા, બિહારીલાલ, એ સઘળા કોણ હતા? કવિઓ. કવિના કીધેલા જસ રાજ્ય કચેરીમાં છે, રણક્ષેત્રમાં છે, શ્રીમંતમાં છે, ગરીબમાં છે, ઘરબહાર છે ને ઘરમાંહે છે. કવિતા ઠામઠામ વ્યાપી રહી છે. કવિતાથી દીલાસા મળે છે ને કવિતાથી નઠારા મારગ છોડાય છે તથા સતસંગ થાય છે. કવિતા જેવો મિત્ર કોણ છે? એનાથી જેવો ઘા રુઝાય છે તેવો કોઈ ઓસડથી રુઝાતો નથી. કહોતો હસાવે, કહોતો રોવાડે, કહોતો ગુસ્સો આણે, કોહોતો બ્હીવડાવે. સઘળા ગુણસંપન્ન કવિતા જેવી વસ્તુ મળવી મુશ્કેલ, અહિં નાના પ્રકારનાં નિર્મળાં સુખ ભોગવાવી પરલોકને વિષે સમજ આપનાર પણ તેજ છે. કવિતા વિષે જેટલું બોલીયે તેટલું થોડું છે, વિત્યાતના સઘળું ખોટું. જેને વિત્યું હોય તેને ખખર પડે કે આટલું ને આવું સુખ થાય છે. કવિતાનું સુખ અલૌકિક છે. સંસારની ઉષ્ણતામાં કવિતાચંદ્ર મનને શાંત કરે છે. કવિતાની મઝા ને લ્હેજત જુદી જ છે. કવિતા જગતનો પ્રાણ છે. | એક વિદ્વાન કહે છે કે કવિતા એ એવો હુન્નર છે કે, જે પોતાની મધુરી પ્રેરણાથી અણઘડ, નિર્દય અને પથ્થર જેવી છાતીનાં માણસમાં પણ ધર્મ નીતિનું રસજ્ઞાન કરાવે છે. મીલટન પણ કહે છે કે, આહાહા! ઈશ્વરી અને મનુષ્યકૃત વસ્તુઓમાં આપણે કવિતાના કેવો ધર્મી, યશસ્વી અને ઉત્સાહી ઉપયોગ કરી શકીએ છૈયે. કવિતાનો કેટલાએક જણ નઠારો ઉપયોગ કરે, તેમાં કવિતાના શો દોષ? કવિનો રસ કવિને જ માલમ છે એમ નથી. મોટા મોટા રાજદરબારે બેસનારા અમીર વજીરોને અને શૂરા લડનારાઓને પણ કવિતાએ પોતાને વશ કર્યા છે શિકંદર બાદશાહને વિષે એમ કહેવાય છે કે તે હોમર નામના ઉત્તમ કવિની ચોપડી રૂપાની પેટીમાં લઈ લઈને સઘળે ફરતો હતો, અને રાતે તેને પોતાના ઓસીકા તળે મુકતો હતો. આપણા રજપુત ભાટોમાં ચંદકવિની બરાબરી કોણ કરી શકનાર છે? કેટલાક હારેલા રાજાઓ વીરરસનાં કવિતો સાંભળી ઘોડા ઉપર ચડીને ફતેહ કરી આવેલા છે. જગતનો ફેરફાર સઘળો કવિતા ઉપર આધાર રાખે છે. જે વેળા બ્રહ્મભજન કવિતામાં રાગરૂપે થાય છે, તે વખત રુવે રુવે આનંદ આનદ વ્યાપી રેહે છે. ત્રિવિક્રમાનંદ કરીને બ્રહ્મમાર્ગી એક બાવો થઈ ગયો છે, તેનાં બનાવેલાં પદે અને તે પદના ગાનાર સુરતના વીજીઆનંદ નામના ગળીઆરાએ (ત્રિવિક્રમાનંદના ચેલાએ) સુરતના ઘણા ખરા લોકને બ્રહ્મની લેહ લગાડી હતી. વલ્લભમાર્ગની બઢતી થઈ તેનું કારણ એ કે તેમાં સરસ કવિતા છે. સાહિત્યશાસ્ત્રનો ભંડાર એ પંથમાં છે. પણ બાળકને હાથ તરવાર આવ્યા જેવું થયું છે. સુરદાસાદિ અષ્ટસખા, બિહારીલાલ, એ સઘળા કોણ હતા? કવિઓ. કવિના કીધેલા જસ રાજ્ય કચેરીમાં છે, રણક્ષેત્રમાં છે, શ્રીમંતમાં છે, ગરીબમાં છે, ઘરબહાર છે ને ઘરમાંહે છે. કવિતા ઠામઠામ વ્યાપી રહી છે. કવિતાથી દીલાસા મળે છે ને કવિતાથી નઠારા મારગ છોડાય છે તથા સતસંગ થાય છે. કવિતા જેવો મિત્ર કોણ છે? એનાથી જેવો ઘા રુઝાય છે તેવો કોઈ ઓસડથી રુઝાતો નથી. કહોતો હસાવે, કહોતો રોવાડે, કહોતો ગુસ્સો આણે, કોહોતો બ્હીવડાવે. સઘળા ગુણસંપન્ન કવિતા જેવી વસ્તુ મળવી મુશ્કેલ, અહિં નાના પ્રકારનાં નિર્મળાં સુખ ભોગવાવી પરલોકને વિષે સમજ આપનાર પણ તેજ છે. કવિતા વિષે જેટલું બોલીયે તેટલું થોડું છે, વિત્યાતના સઘળું ખોટું. જેને વિત્યું હોય તેને ખખર પડે કે આટલું ને આવું સુખ થાય છે. કવિતાનું સુખ અલૌકિક છે. સંસારની ઉષ્ણતામાં કવિતાચંદ્ર મનને શાંત કરે છે. કવિતાની મઝા ને લ્હેજત જુદી જ છે. કવિતા જગતનો પ્રાણ છે. | ||
સર્વ લોકોએ કવિતાની અવગણના ન કરી, તેની મધુરી પ્રસાદી લેવાસારુ તેની ખરા ભાવે ભક્તિ કરવી. | સર્વ લોકોએ કવિતાની અવગણના ન કરી, તેની મધુરી પ્રસાદી લેવાસારુ તેની ખરા ભાવે ભક્તિ કરવી. | ||
{{Poem2Close}} | |||
<b>સંદર્ભસૂચિ</b> | |||
{{reflist}} | |||
{{Right|1858}}<br> | {{Right|1858}}<br> | ||
{{Right|[‘નર્મગદ્ય’, 1865]}}<br> | {{Right|[‘નર્મગદ્ય’, 1865]}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |