ગુલામમોહમ્મદ શેખ એક દીર્ઘ મુલાકાત/મુલાકાત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 247: Line 247:
'''યજ્ઞેશ :''' '''''ના, હું એને પોઝિટિવ રીતે જોઉં છું.'''''
'''યજ્ઞેશ :''' '''''ના, હું એને પોઝિટિવ રીતે જોઉં છું.'''''
'''શેખ :''' તમે એને પોઝિટિવ વિકલ્પ ગણો છો. (તે આવકાર્ય છે). મધુબનીની સ્ત્રીઓ કારમી ગરીબીમાં (સબડતી હતી), કેવી દુર્દશા ! આપણે ત્યાં ગરીબોને તો દુકાળ ભોગવવાનું અને પૂરમાં તણાવાનું ! એક તરફ રેલ ને બીજે પાણીનાં (ફાંફાં)! દુકાળ ટાણે ભાસ્કર કુલકર્ણી જેવો કળાકાર ત્યાં ગયો તે પુપુલ જયકરને કારણે. મધુબની વિસ્તારની કારમી ગરીબી જોઈ એને થયું કે આમની પાસે ચિત્રો કરાવીએ તો એ સ્ત્રીઓને બે પૈસા મળે, એ બાઈઓ કોઈ ઊંચા ગજાની કળાકાર નહોતી, (એમને તો પૈસાની તાણ હતી). એણે સ્ત્રીઓને ચીતરવા કાગળ વગેરે આપ્યું ને કહે કે તમે ચીતરો તે દિલ્હીમાં વેચાય તો રળતર થાય. (આમાંથી મધુબનીમાં સ્ત્રીકળાકારોનો રાફડો નીકળ્યો !) કેટકેટલી બાઈઓએ ચિત્રો કર્યાં ! એ (બીના ઘટી એમાંથી) ગંગાદેવી જેવાં અદ્ભુત કળાકારો નીકળ્યાં ! ભાસ્કર તો ત્યાં જ રહી ગયો, ત્યાંના લોક જેવો થઈને રહેતાં ત્યાંનાં પાણી (કે કશાક)ને કારણે એને રોગ થયો ને ત્યાં જ મરી ગયો. હવે અહીં લોકકળાનું બજારીકરણ થયું કહેવાય, પણ એમાં ખોટું શું થયું? આપણે ત્યાં તો મધુબનીમાં થયું એવું દરેક પ્રદેશમાં બને. અને ગંગાદેવીએ તો (માત્ર પારંપરિક વિષયોનાં જ નહિ, નવા વિષયો પણ ચીતર્યા) અમેરિકા ગયા પછી ત્યાંના રોલરકોસ્ટરનુંય ચિત્ર કર્યું ! એમાંય ખોટું શું થયું? જીવનમાં જે જે અનુભવ્યું તે બધું ચિત્રમાં ઉતાર્યું – ને એ નવા વિષયોનાં પણ કેવાં અદ્ભુત ચિત્રો કર્યાં ! આવા અનુભવો. ભાવનગરની ખરક બાઈઓને થાય તો એ પણ એવું કેમ ન કરે ? (આપણે ત્યાં તો એટલું ભરેલું છે કે) એકલા ભાસ્કર કુલકર્ણીથી કેટલું થવાનું ! આપણે ત્યાં તો એવા હજાર જોઈએ !
'''શેખ :''' તમે એને પોઝિટિવ વિકલ્પ ગણો છો. (તે આવકાર્ય છે). મધુબનીની સ્ત્રીઓ કારમી ગરીબીમાં (સબડતી હતી), કેવી દુર્દશા ! આપણે ત્યાં ગરીબોને તો દુકાળ ભોગવવાનું અને પૂરમાં તણાવાનું ! એક તરફ રેલ ને બીજે પાણીનાં (ફાંફાં)! દુકાળ ટાણે ભાસ્કર કુલકર્ણી જેવો કળાકાર ત્યાં ગયો તે પુપુલ જયકરને કારણે. મધુબની વિસ્તારની કારમી ગરીબી જોઈ એને થયું કે આમની પાસે ચિત્રો કરાવીએ તો એ સ્ત્રીઓને બે પૈસા મળે, એ બાઈઓ કોઈ ઊંચા ગજાની કળાકાર નહોતી, (એમને તો પૈસાની તાણ હતી). એણે સ્ત્રીઓને ચીતરવા કાગળ વગેરે આપ્યું ને કહે કે તમે ચીતરો તે દિલ્હીમાં વેચાય તો રળતર થાય. (આમાંથી મધુબનીમાં સ્ત્રીકળાકારોનો રાફડો નીકળ્યો !) કેટકેટલી બાઈઓએ ચિત્રો કર્યાં ! એ (બીના ઘટી એમાંથી) ગંગાદેવી જેવાં અદ્ભુત કળાકારો નીકળ્યાં ! ભાસ્કર તો ત્યાં જ રહી ગયો, ત્યાંના લોક જેવો થઈને રહેતાં ત્યાંનાં પાણી (કે કશાક)ને કારણે એને રોગ થયો ને ત્યાં જ મરી ગયો. હવે અહીં લોકકળાનું બજારીકરણ થયું કહેવાય, પણ એમાં ખોટું શું થયું? આપણે ત્યાં તો મધુબનીમાં થયું એવું દરેક પ્રદેશમાં બને. અને ગંગાદેવીએ તો (માત્ર પારંપરિક વિષયોનાં જ નહિ, નવા વિષયો પણ ચીતર્યા) અમેરિકા ગયા પછી ત્યાંના રોલરકોસ્ટરનુંય ચિત્ર કર્યું ! એમાંય ખોટું શું થયું? જીવનમાં જે જે અનુભવ્યું તે બધું ચિત્રમાં ઉતાર્યું – ને એ નવા વિષયોનાં પણ કેવાં અદ્ભુત ચિત્રો કર્યાં ! આવા અનુભવો. ભાવનગરની ખરક બાઈઓને થાય તો એ પણ એવું કેમ ન કરે ? (આપણે ત્યાં તો એટલું ભરેલું છે કે) એકલા ભાસ્કર કુલકર્ણીથી કેટલું થવાનું ! આપણે ત્યાં તો એવા હજાર જોઈએ !
[[File:GMDM-Pg43.png|center|300px|thumb|frameless|{{center|<small>પુપુલ જયકાર સાથે ગુલામમોહમ્મદ શેખ, પોમ્પીન્દૂ સેન્ટર, પારીસ, ૧૯૮૫</small>}}]]


'''યજ્ઞેશ :''' '''''એટલું બધું છે !'''''
'''યજ્ઞેશ :''' '''''એટલું બધું છે !'''''
'''શેખ :'''  હા, એટલું ભરેલું છે. (એવી સર્જનશક્તિનો) આપણા દેશમાં અદ્ભુત એવો ખજાનો છે.
'''શેખ :'''  હા, એટલું ભરેલું છે. (એવી સર્જનશક્તિનો) આપણા દેશમાં અદ્ભુત એવો ખજાનો છે.
આપણા શિક્ષણમાં એમાં કેટલાક ઉત્તમ અંશો છે ખરા પણ - આ સંસ્કારને આપણે વણી નથી શક્યા. ભણતરને માત્ર ‘લિટરસી’ના અર્થમાં સમજ્યા છીએ.
આપણા શિક્ષણમાં એમાં કેટલાક ઉત્તમ અંશો છે ખરા પણ - આ સંસ્કારને આપણે વણી નથી શક્યા. ભણતરને માત્ર ‘લિટરસી’ના અર્થમાં સમજ્યા છીએ.
 
[[File:GMDM-Pg44.png|left|150px|thumb|frameless|<small>રેખાંકન કરતા મધુબની કળાકાર, ગંગાદેવી, ૧૯૮૪</small>]]
'''યજ્ઞેશ :''' ''''' અક્ષરજ્ઞાનના સંદર્ભમાં.'''''
'''યજ્ઞેશ :''' ''''' અક્ષરજ્ઞાનના સંદર્ભમાં.'''''
'''શેખ :''' એટલે એક ‘લીટરસી’ અક્ષરજ્ઞાન પામ્યા, બીજું પેલું (દૃષ્ટિનું), ચિત્રનું ‘અક્ષરજ્ઞાન’ કહેવાય તેમાં આપણે અભણ રહ્યા. સંગીતમાં કાને બહેરા થયાં. એક બાજુનું વિકસ્યું. બીજી બાજુનું ગયું, ભુલાયું એ બંને સાથે કેમ ન થાય? થઈ શકે, થવું જોઈએ. ઓસ્ટ્રેલિયાનો દાખલો છે તેમાંથી પાઠ ભણી શકાય એવો છે. બોધપાઠ તો ઘણા છે પણ દુર્ભાગ્યે એ આપણા લગી પહોંચતા નથી. (હાસ્ય).
'''શેખ :''' એટલે એક ‘લીટરસી’ અક્ષરજ્ઞાન પામ્યા, બીજું પેલું (દૃષ્ટિનું), ચિત્રનું ‘અક્ષરજ્ઞાન’ કહેવાય તેમાં આપણે અભણ રહ્યા. સંગીતમાં કાને બહેરા થયાં. એક બાજુનું વિકસ્યું. બીજી બાજુનું ગયું, ભુલાયું એ બંને સાથે કેમ ન થાય? થઈ શકે, થવું જોઈએ. ઓસ્ટ્રેલિયાનો દાખલો છે તેમાંથી પાઠ ભણી શકાય એવો છે. બોધપાઠ તો ઘણા છે પણ દુર્ભાગ્યે એ આપણા લગી પહોંચતા નથી. (હાસ્ય).
 
[[File:GMDM-Pg45.png|right|150px|thumb|frameless|<small>રેખાંકન, ગંગાદેવી (સંગ્રહ : ગુલામમોહમ્મદ)</small>]]
[[File:GMDM-Pg46.png|right|150px|thumb|frameless|<small>ભાસ્કર કૂલકર્ણી (છબી સૌજન્ય : મનુ પારેખ)</small>]]
'''યજ્ઞેશ :''' '''''પાછળ નજર કરી હવે તમારી કળાને તમે જુઓ. (વિવેચકો તો કશુંક ને કશુંક કાઢવાના જ) ત્યારે તેમાં તમને અલગ અલગ તબક્કાઓ દેખાય છે? તેનો વિકાસ કે ઉત્ક્રાંતિ થઈ હોય તેવું લાગે છે?'''''
'''યજ્ઞેશ :''' '''''પાછળ નજર કરી હવે તમારી કળાને તમે જુઓ. (વિવેચકો તો કશુંક ને કશુંક કાઢવાના જ) ત્યારે તેમાં તમને અલગ અલગ તબક્કાઓ દેખાય છે? તેનો વિકાસ કે ઉત્ક્રાંતિ થઈ હોય તેવું લાગે છે?'''''
'''શેખ :''' મારા પોતાનાં ચિત્રોના વિકાસ કે ઉત્ક્રાન્તિ વિષે મારે શું કહેવાનું હોય? એને ફેરફાર કહેવાનું (વધારે વાજબી છે). એ હું અંદરથી જોઉં, તમે બહારથી જોઈ શકો. ફેરફાર તો જીવનમાં તેમ ચિત્રમાં થવાના જ અને જે વિચારીએ, જે કરીએ તે એમાં દેખાવાના. એટલે એવું તો ઘણું થયું, ચાળીસેક વરસ ચિત્રો કર્યાં હોય તો બધું સરખું તો ન જ હોયને! આપણે ત્યાં (કેટલીક વાર) એવી અપેક્ષા રખાય છે કે ચિત્રકાર એક જ જાતનું કામ કરે, એની એક જ શૈલી હોય - પણ મને લાગે છે કે એ વધારે પડતી (અને જરા ભૂલ ભરેલી) અપેક્ષા છે. આપણને બધું કરવાની છૂટ હોવી જોઈએ. પિકાસોની જ વાત કરો ને – એ જોતાં લાગે કે એણે કેટલી રીતે ચિત્રો કર્યાં ! એવું પણ બને કે તમે આ જ આ કરતા હો, પણ કાલે બીજું કરવા માગતા હો, તમારી સામે (નકારના) હોરા બેઠાં હોય ને તમને એવું કરવાની ના પાડે – અને તમે (કરવા ધારેલું) કરી ન શકો તો એ પરિસ્થિતિ ઉપકારક ન કહેવાય. એવું થાય તો કોઈકે આક્રોશપૂર્વક એવું કરી દેખાડવું પડે જેમ પિકાસોએ દેખાડ્યું ! મારા જીવનમાંય એવા તબક્કાઓ આવ્યા છે.
'''શેખ :''' મારા પોતાનાં ચિત્રોના વિકાસ કે ઉત્ક્રાન્તિ વિષે મારે શું કહેવાનું હોય? એને ફેરફાર કહેવાનું (વધારે વાજબી છે). એ હું અંદરથી જોઉં, તમે બહારથી જોઈ શકો. ફેરફાર તો જીવનમાં તેમ ચિત્રમાં થવાના જ અને જે વિચારીએ, જે કરીએ તે એમાં દેખાવાના. એટલે એવું તો ઘણું થયું, ચાળીસેક વરસ ચિત્રો કર્યાં હોય તો બધું સરખું તો ન જ હોયને! આપણે ત્યાં (કેટલીક વાર) એવી અપેક્ષા રખાય છે કે ચિત્રકાર એક જ જાતનું કામ કરે, એની એક જ શૈલી હોય - પણ મને લાગે છે કે એ વધારે પડતી (અને જરા ભૂલ ભરેલી) અપેક્ષા છે. આપણને બધું કરવાની છૂટ હોવી જોઈએ. પિકાસોની જ વાત કરો ને – એ જોતાં લાગે કે એણે કેટલી રીતે ચિત્રો કર્યાં ! એવું પણ બને કે તમે આ જ આ કરતા હો, પણ કાલે બીજું કરવા માગતા હો, તમારી સામે (નકારના) હોરા બેઠાં હોય ને તમને એવું કરવાની ના પાડે – અને તમે (કરવા ધારેલું) કરી ન શકો તો એ પરિસ્થિતિ ઉપકારક ન કહેવાય. એવું થાય તો કોઈકે આક્રોશપૂર્વક એવું કરી દેખાડવું પડે જેમ પિકાસોએ દેખાડ્યું ! મારા જીવનમાંય એવા તબક્કાઓ આવ્યા છે.