ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/નવલકથા: Difference between revisions

+૧
(+૧)
 
(+૧)
 
Line 40: Line 40:
વિષયને માટે નવાં નવાં જીવનક્ષેત્રો તરફ નવીન લેખકોનું ધ્યાન ખેંચાતું ગયું છે. પણ આલેખ્ય વિષયનો ચોકસાઈવાળો, ઊંડો અને સર્વાંગી અભ્યાસ બધા નવલલેખકોનો હોય એમ જણાતું નથી. વાસ્તવલક્ષી નવલોમાં વસ્તુની રજૂઆતમાં જે ચીવટ, હેતુ ને આમૂલ પકડ ફ્રેન્ચ કે રશિયન નવલો બતાવે છે, પાત્રમાનસપરિવર્તન કે પ્રસંગઘટનાની યોજનામાં જે સ્વાભાવિકતા ને સચોટતા અંગ્રેજી કે અમેરિકન નવલેમાં જોવા મળે છે તે ગુજરાતીમાં જૂજ જ જોવા મળે છે. વિષયની બાબતમાં પણ હજી ઘણા બધા અક્ષુણ્ણ પ્રદેશો પડેલા છે. અસાધ્ય રોગોથી ખવાતા જતા રોગીઓનો જીવનપ્રદેશ, પૂરતું જીવનપોષણ નહિ મેળવી શકવાને લીધે અકાળે કરમાતા કે વિકૃત વૃત્તિઓવાળા બની બેસતાં બાળકોનો પ્રદેશ, નારીનાં સ્વમાન, તેજ ને પરસ્પર આંતરિક વિરોધી લાગણીઓથી ઘડાતા સ્વતંત્ર વ્યક્તિત્વનો પ્રદેશ, ગૂઢ રહસ્યવાદી ફિલસૂફીનાં પડ (Mystic) ઉકેલતો અધ્યાત્મ જીવનનો પ્રદેશ, કવિઓ-કલાકારોનાં ઊંડાં મંથનો સંવેદનો અને જીવનવ્યાપારોને આલેખતો પ્રદેશ, જન્મથી મૂંગાં આંધળાં પાગલ ગુનેગાર અને અનીતિના ધંધા ચલાવનારાંની વાસ્તવિક મનોવ્યથાઓ, માનસપ્રવૃત્તિઓ અને જીવનસંઘર્ષનો પ્રદેશ, અને આવા તો અનેક વિષેયો સર્જકની કલ્પનાપાંખે બેસીને અવતરણ પામવાના હજી બાકી છે. ભાતભાતના લોકના જીવનમાં રહેલું વૈવિધ્ય ને વિશિષ્ટત્વ અને તેને અથડાતાં હવાપાણી અને ખડકખેતરોનું અવલોકન-મનન સતત કરતા રહી તે ઉપર સર્જકશક્તિ અને કલ્પનાપાંખના બળ વડે મનોહર શિલ્પરચના આપણા લેખકોએ કરતા રહેવી જોઈએ. મૌલિક સર્જકતા જ્યાં સુધી એવું ઉત્તમ બળ પ્રાપ્ત ન કરે ત્યાંસુધી જગતની મહાન શિષ્ટ નવલકથાઓના અનુવાદો આપણી ભાષામાં થયા કરે એ ઇચ્છવા જેવું છે.
વિષયને માટે નવાં નવાં જીવનક્ષેત્રો તરફ નવીન લેખકોનું ધ્યાન ખેંચાતું ગયું છે. પણ આલેખ્ય વિષયનો ચોકસાઈવાળો, ઊંડો અને સર્વાંગી અભ્યાસ બધા નવલલેખકોનો હોય એમ જણાતું નથી. વાસ્તવલક્ષી નવલોમાં વસ્તુની રજૂઆતમાં જે ચીવટ, હેતુ ને આમૂલ પકડ ફ્રેન્ચ કે રશિયન નવલો બતાવે છે, પાત્રમાનસપરિવર્તન કે પ્રસંગઘટનાની યોજનામાં જે સ્વાભાવિકતા ને સચોટતા અંગ્રેજી કે અમેરિકન નવલેમાં જોવા મળે છે તે ગુજરાતીમાં જૂજ જ જોવા મળે છે. વિષયની બાબતમાં પણ હજી ઘણા બધા અક્ષુણ્ણ પ્રદેશો પડેલા છે. અસાધ્ય રોગોથી ખવાતા જતા રોગીઓનો જીવનપ્રદેશ, પૂરતું જીવનપોષણ નહિ મેળવી શકવાને લીધે અકાળે કરમાતા કે વિકૃત વૃત્તિઓવાળા બની બેસતાં બાળકોનો પ્રદેશ, નારીનાં સ્વમાન, તેજ ને પરસ્પર આંતરિક વિરોધી લાગણીઓથી ઘડાતા સ્વતંત્ર વ્યક્તિત્વનો પ્રદેશ, ગૂઢ રહસ્યવાદી ફિલસૂફીનાં પડ (Mystic) ઉકેલતો અધ્યાત્મ જીવનનો પ્રદેશ, કવિઓ-કલાકારોનાં ઊંડાં મંથનો સંવેદનો અને જીવનવ્યાપારોને આલેખતો પ્રદેશ, જન્મથી મૂંગાં આંધળાં પાગલ ગુનેગાર અને અનીતિના ધંધા ચલાવનારાંની વાસ્તવિક મનોવ્યથાઓ, માનસપ્રવૃત્તિઓ અને જીવનસંઘર્ષનો પ્રદેશ, અને આવા તો અનેક વિષેયો સર્જકની કલ્પનાપાંખે બેસીને અવતરણ પામવાના હજી બાકી છે. ભાતભાતના લોકના જીવનમાં રહેલું વૈવિધ્ય ને વિશિષ્ટત્વ અને તેને અથડાતાં હવાપાણી અને ખડકખેતરોનું અવલોકન-મનન સતત કરતા રહી તે ઉપર સર્જકશક્તિ અને કલ્પનાપાંખના બળ વડે મનોહર શિલ્પરચના આપણા લેખકોએ કરતા રહેવી જોઈએ. મૌલિક સર્જકતા જ્યાં સુધી એવું ઉત્તમ બળ પ્રાપ્ત ન કરે ત્યાંસુધી જગતની મહાન શિષ્ટ નવલકથાઓના અનુવાદો આપણી ભાષામાં થયા કરે એ ઇચ્છવા જેવું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2