બે હજાર ચોવીસ સમક્ષ/સામીપ્યે – દક્ષા વ્યાસ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 13: Line 13:
વિશ્વસાહિત્યની અમર કૃતિ ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ પરના લેખમાં પ્રથમ લેખકના જીવનની વાત થઈ છે. જીવલેણ સાહસો અને અકસ્માતોથી ભરેલી જિંદગીનાં સંઘર્ષોને પ્રતીકાત્મક રીતે નવલકથામાં વર્ણવતા આ લેખકનું જીવન અને કવન લેખમાં પણ એકમેકમાં સરસ ગૂંથાયું છે. જિજ્ઞાસુ વાચક પૂરી તન્મયતાથી આખો લેખ એકી બેઠકે વાંચી જઈ શકે.
વિશ્વસાહિત્યની અમર કૃતિ ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ પરના લેખમાં પ્રથમ લેખકના જીવનની વાત થઈ છે. જીવલેણ સાહસો અને અકસ્માતોથી ભરેલી જિંદગીનાં સંઘર્ષોને પ્રતીકાત્મક રીતે નવલકથામાં વર્ણવતા આ લેખકનું જીવન અને કવન લેખમાં પણ એકમેકમાં સરસ ગૂંથાયું છે. જિજ્ઞાસુ વાચક પૂરી તન્મયતાથી આખો લેખ એકી બેઠકે વાંચી જઈ શકે.
દક્ષા વ્યાસનો વિદ્યાવ્યાસંગ અને તેના પરિપાકરૂપે આત્મસાત્‌ થયેલી જે તે કૃતિ કે કૃતિકારનું દર્શન એ ‘સામીપ્યે’નો વિશેષ છે. ‘આધુનિકોના આચાર્ય સુરેશ જોષી’માં બાળપણ, મોસાળમાં ઉછેરથી શરૂઆત કરી તેમની ઉફરી વિચારધારા, તેમના નિબંધો, લઘુનવલ અને કવિતા વિશે સર્વસમાવેશી ચર્ચા થઈ છે. ‘નવી ચોપડીની સુગંધ મને બહુ ગમતી’ એમ કહેનાર, આઠ વર્ષની વયે ‘બાલજગત’માં કવિતા છપાવનાર સુરેશ જોષી નવસારીમાં અંગ્રેજી વાચન અને રવીન્દ્રનાથ પ્રત્યે આકર્ષાયા. દક્ષા વ્યાસ લખે છે, ‘ખાદીનું પાટલૂન, અર્ધી બાંયનું ખમીસ કે બુશશર્ટ, મધ્યમ ઊંચાઈ, વિશાળ ભાલપ્રદેશ અને વસ્તુની આરપાર જોતી પાણીદાર આંખોવાળા સુરેશભાઈ પહેલેથી જ અસંમતિના માણસ હતા. પૂરા સ્પષ્ટવક્તા. સિદ્ધાંતને – પોતાની પ્રતીતિઓને વળગી રહેનારા.’ (પૃ. ૬૭)
દક્ષા વ્યાસનો વિદ્યાવ્યાસંગ અને તેના પરિપાકરૂપે આત્મસાત્‌ થયેલી જે તે કૃતિ કે કૃતિકારનું દર્શન એ ‘સામીપ્યે’નો વિશેષ છે. ‘આધુનિકોના આચાર્ય સુરેશ જોષી’માં બાળપણ, મોસાળમાં ઉછેરથી શરૂઆત કરી તેમની ઉફરી વિચારધારા, તેમના નિબંધો, લઘુનવલ અને કવિતા વિશે સર્વસમાવેશી ચર્ચા થઈ છે. ‘નવી ચોપડીની સુગંધ મને બહુ ગમતી’ એમ કહેનાર, આઠ વર્ષની વયે ‘બાલજગત’માં કવિતા છપાવનાર સુરેશ જોષી નવસારીમાં અંગ્રેજી વાચન અને રવીન્દ્રનાથ પ્રત્યે આકર્ષાયા. દક્ષા વ્યાસ લખે છે, ‘ખાદીનું પાટલૂન, અર્ધી બાંયનું ખમીસ કે બુશશર્ટ, મધ્યમ ઊંચાઈ, વિશાળ ભાલપ્રદેશ અને વસ્તુની આરપાર જોતી પાણીદાર આંખોવાળા સુરેશભાઈ પહેલેથી જ અસંમતિના માણસ હતા. પૂરા સ્પષ્ટવક્તા. સિદ્ધાંતને – પોતાની પ્રતીતિઓને વળગી રહેનારા.’ (પૃ. ૬૭)
સુરેશ જોષીના સમયનાં પરિબળોનો ખ્યાલ આપીને લેખિકા તેમની  કલાનિર્મિતિ માટેની વિભાવના વિશે લખે છે. તેમણે ‘ઉપજાતિ’ સંગ્રહ રદ કરેલો તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ‘ચિંતયામિ મનસા’ વિવેચનલેખોના પુસ્તક માટે મળેલા ઍવૉર્ડનો અસ્વીકાર કરેલો. સર્જક અને વિવેચક સુરેશ જોષીને સમજવા માટે સાહિત્યેતર વાચકને પણ ઉપયોગી બને તેવો આ લેખ છે. બરાબર એવું જ કામ ‘નિબંધકાર નર્મદ’માં થયું છે. તેમને ‘પ્રથમ સમૃદ્ધ નિબંધકાર’ કહીને લેખિકા તેમના નિબંધોનો આસ્વાદ કરાવે છે. તેઓ લખે છે, ‘૧૮ વર્ષનો યુવાન નર્મદ બસો શ્રોતાઓ સમક્ષ ગુજરાતી સાહિત્યનો પ્રથમ પદ્ધતિસરનો નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’ રજૂ કરે છે એ અત્યંત રોમાંચક ઘટના છે.’ (પૃ. ૭૬) નર્મદના નિબંધોની ચર્ચા કરતાં લેખિકા લખે છે,
સુરેશ જોષીના સમયનાં પરિબળોનો ખ્યાલ આપીને લેખિકા તેમની  કલાનિર્મિતિ માટેની વિભાવના વિશે લખે છે. તેમણે ‘ઉપજાતિ’ સંગ્રહ રદ કરેલો તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ‘ચિંતયામિ મનસા’ વિવેચનલેખોના પુસ્તક માટે મળેલા ઍવૉર્ડનો અસ્વીકાર કરેલો. સર્જક અને વિવેચક સુરેશ જોષીને સમજવા માટે સાહિત્યેતર વાચકને પણ ઉપયોગી બને તેવો આ લેખ છે. બરાબર એવું જ કામ ‘નિબંધકાર નર્મદ’માં થયું છે. તેમને ‘પ્રથમ સમૃદ્ધ નિબંધકાર’ કહીને લેખિકા તેમના નિબંધોનો આસ્વાદ કરાવે છે. તેઓ લખે છે, ‘૧૮ વર્ષનો યુવાન નર્મદ બસો શ્રોતાઓ સમક્ષ ગુજરાતી સાહિત્યનો પ્રથમ પદ્ધતિસરનો નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’ રજૂ કરે છે એ અત્યંત રોમાંચક ઘટના છે.’ (પૃ. ૭૬) નર્મદના નિબંધોની ચર્ચા કરતાં લેખિકા લખે છે,
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem><nowiki>* નર્મદના કેળવણી વિશેના વિચારો પણ આજેય એટલા જ પ્રસ્તુત છે. એ સાચી રીતે કહે છે કે ‘સુધારાનો મૂળ પાયો વિદ્યા છે.’ (પૃ. ૭૮)
<poem>::<nowiki>*</nowiki> નર્મદના કેળવણી વિશેના વિચારો પણ આજેય એટલા જ પ્રસ્તુત છે. એ સાચી રીતે કહે છે કે ‘સુધારાનો મૂળ પાયો વિદ્યા છે.’ (પૃ. ૭૮)
* નર્મદની દૃષ્ટિ વિશાળ છે અને એનું હૈયું દેશદાઝથી છલકે છે. એ વ્યક્તિના સુખ સાથે સમષ્ટિના સુખને સાંકળે છે. (પૃ. ૭૮)
::<nowiki>*</nowiki> નર્મદની દૃષ્ટિ વિશાળ છે અને એનું હૈયું દેશદાઝથી છલકે છે. એ વ્યક્તિના સુખ સાથે સમષ્ટિના સુખને સાંકળે છે. (પૃ. ૭૮)
* નર્મદ બહુશ્રુત છે. એણે ઘણું વાંચ્યું-વિચાર્યું છે. એના હૈયામાં જાણે સમૂળી ક્રાંતિ ઉછાળા મારે છે.</nowiki> (પૃ. ૮૧</poem>)
::<nowiki>*</nowiki> નર્મદ બહુશ્રુત છે. એણે ઘણું વાંચ્યું-વિચાર્યું છે. એના હૈયામાં જાણે સમૂળી ક્રાંતિ ઉછાળા મારે છે. (પૃ. ૮૧)</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ગદ્યકાર જયંત પાઠક’માં સ્મૃતિકથા ‘વનાંચલ’ તથા ‘તરુરાગ અને નદીસૂક્ત’ તથા ‘કીલીમાન્જારો’ના નિબંધોની આસ્વાદપૂર્ણ સમીક્ષા છે. લેખિકા પોતાનું નિરીક્ષણ મૂકતાં લખે છે, ‘આ ગદ્યનું આગવું વ્યક્તિત્વ ઘડવામાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે ટૂંકાં વાક્યો, ક્રિયાપદોનો અલ્પ ઉપયોગ.’ (પૃ. ૮૬) કવિ જયંત પાઠકના નિબંધોમાં પ્રકૃતિ સાથેના લીલામય સંબંધની કવિતા છે. કવિ-વિવેચક દક્ષા વ્યાસની કલમે કવિ-નિબંધકાર જયંત પાઠકની ગદ્યકલા વિશે વાંચવાની તક અહીં    મળે છે.
‘ગદ્યકાર જયંત પાઠક’માં સ્મૃતિકથા ‘વનાંચલ’ તથા ‘તરુરાગ અને નદીસૂક્ત’ તથા ‘કીલીમાન્જારો’ના નિબંધોની આસ્વાદપૂર્ણ સમીક્ષા છે. લેખિકા પોતાનું નિરીક્ષણ મૂકતાં લખે છે, ‘આ ગદ્યનું આગવું વ્યક્તિત્વ ઘડવામાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે ટૂંકાં વાક્યો, ક્રિયાપદોનો અલ્પ ઉપયોગ.’ (પૃ. ૮૬) કવિ જયંત પાઠકના નિબંધોમાં પ્રકૃતિ સાથેના લીલામય સંબંધની કવિતા છે. કવિ-વિવેચક દક્ષા વ્યાસની કલમે કવિ-નિબંધકાર જયંત પાઠકની ગદ્યકલા વિશે વાંચવાની તક અહીં    મળે છે.
ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓથી જાણીતા, મેધાવી ક. મા. મુનશીની કલમે ‘શિશુ અને સખી’ જેવી લાક્ષણિક લેખનશૈલી ધરાવતી કૃતિનું સર્જન થવું તેની પાછળ સર્જકચિત્તને સમજવાનો પ્રયાસ સૌપ્રથમ તો લેખિકાએ કર્યો છે. તેઓ લખે છે, ‘.. ઘણીવાર એવું લાગે છે કે સર્જક એકનું એક સંવેદન કૃતિએકૃતિએ વાગોળ્યા કરે છે. ખરેખર તો પૂર્ણતા એક આદર્શ છે. તેથી સતત ખોજ એ જ એની નિયતિ બને છે. સર્જક એક રીતે પોતાની કૃતિઓ દ્વારા આત્મસાક્ષાત્કાર જ કરતો હોય છે.’ (પૃ. ૯૩) એક તબક્કે લેખિકાને એમ પણ થાય છે કે મુનશીની જીવનકથાની જાણ ન હોત તો કેવું સારું થાત! ઊંડું સંવેદનતંત્ર અને વિશાળ વાચન ધરાવનાર આસ્વાદક જ લખે કે ‘કેટલીકવાર વસ્તુની જાણકારી રસવિઘ્ન ઊભું કરતી નથી, જેમ કે પ્રેમાનંદનાં આખ્યાનો. પણ કેટલીકવાર કૃતિના અણિશુદ્ધ આસ્વાદમાં સ્થૂળ વિગતની જાણકારી રસવિઘ્ન ઊભું કરે.’ (પૃ. ૯૫) કૃતિના દરેક સર્ગની ચર્ચા કરીને અંતે મુનશીના ઓજસ ગુણથી દીપ્ત ગદ્યના કાવ્યાત્મક આવિષ્કારને તેઓ પ્રશંસે છે.  
ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓથી જાણીતા, મેધાવી ક. મા. મુનશીની કલમે ‘શિશુ અને સખી’ જેવી લાક્ષણિક લેખનશૈલી ધરાવતી કૃતિનું સર્જન થવું તેની પાછળ સર્જકચિત્તને સમજવાનો પ્રયાસ સૌપ્રથમ તો લેખિકાએ કર્યો છે. તેઓ લખે છે, ‘.. ઘણીવાર એવું લાગે છે કે સર્જક એકનું એક સંવેદન કૃતિએકૃતિએ વાગોળ્યા કરે છે. ખરેખર તો પૂર્ણતા એક આદર્શ છે. તેથી સતત ખોજ એ જ એની નિયતિ બને છે. સર્જક એક રીતે પોતાની કૃતિઓ દ્વારા આત્મસાક્ષાત્કાર જ કરતો હોય છે.’ (પૃ. ૯૩) એક તબક્કે લેખિકાને એમ પણ થાય છે કે મુનશીની જીવનકથાની જાણ ન હોત તો કેવું સારું થાત! ઊંડું સંવેદનતંત્ર અને વિશાળ વાચન ધરાવનાર આસ્વાદક જ લખે કે ‘કેટલીકવાર વસ્તુની જાણકારી રસવિઘ્ન ઊભું કરતી નથી, જેમ કે પ્રેમાનંદનાં આખ્યાનો. પણ કેટલીકવાર કૃતિના અણિશુદ્ધ આસ્વાદમાં સ્થૂળ વિગતની જાણકારી રસવિઘ્ન ઊભું કરે.’ (પૃ. ૯૫) કૃતિના દરેક સર્ગની ચર્ચા કરીને અંતે મુનશીના ઓજસ ગુણથી દીપ્ત ગદ્યના કાવ્યાત્મક આવિષ્કારને તેઓ પ્રશંસે છે.  
આપણા પ્રથમ પંક્તિના હાસ્યનિબંધકાર બકુલ ત્રિપાઠીની કૃતિ ‘મિત્રોનાં ચિત્રો’ની રસપ્રદ ચર્ચા અહીં છે. હાસ્યનિબંધોની સમીક્ષા પણ અત્યંત રસપૂર્ણ છે. નીવડેલાં સર્જકો ઈલા આરબ મહેતાની નવલકથા ‘પાંચ પગલાં પૃથ્વી પર’, મોહન પરમારની નવલકથા ‘સંકટ’ તથા  નવીનભાઈ કા. મોદીના વાર્તાસંગ્રહ ‘દેહાંતર’, કેશુભાઈ દેસાઈની નવલકથા ‘શક્ય’ની સાથે સાગરકથાઓ દ્વારા જાણીતા બનેલા હસમુખ અબોટીની રોમાંચક નવલકથા ‘સાગરનો સાદ’, પહેલી નવલકથા આપનાર તનસુખભાઈ શાહની ‘મૌનનો દરિયો, અમે તો..’ની સમતોલ સમીક્ષા પણ અહીં છે. પંજાબનાં સુપ્રસિદ્ધ લેખિકા અજિત કૌરની આત્મકથા ‘ખાનાબદોશ’નો ચિતાર વાંચીને ભાવક દ્રવી ઊઠે!
આપણા પ્રથમ પંક્તિના હાસ્યનિબંધકાર બકુલ ત્રિપાઠીની કૃતિ ‘મિત્રોનાં ચિત્રો’ની રસપ્રદ ચર્ચા અહીં છે. હાસ્યનિબંધોની સમીક્ષા પણ અત્યંત રસપૂર્ણ છે. નીવડેલાં સર્જકો ઈલા આરબ મહેતાની નવલકથા ‘પાંચ પગલાં પૃથ્વી પર’, મોહન પરમારની નવલકથા ‘સંકટ’ તથા  નવીનભાઈ કા. મોદીના વાર્તાસંગ્રહ ‘દેહાંતર’, કેશુભાઈ દેસાઈની નવલકથા ‘શક્ય’ની સાથે સાગરકથાઓ દ્વારા જાણીતા બનેલા હસમુખ અબોટીની રોમાંચક નવલકથા ‘સાગરનો સાદ’, પહેલી નવલકથા આપનાર તનસુખભાઈ શાહની ‘મૌનનો દરિયો, અમે તો..’ની સમતોલ સમીક્ષા પણ અહીં છે. પંજાબનાં સુપ્રસિદ્ધ લેખિકા અજિત કૌરની આત્મકથા ‘ખાનાબદોશ’નો ચિતાર વાંચીને ભાવક દ્રવી ઊઠે!
જયંત પંડ્યા અને નરોત્તમ પલાણ આપણા વિદ્વાન લેખકો છે. જયંત પંડ્યાનું ‘ગાંધી : મહાપદના યાત્રી’ જાણીતું બનેલું પુસ્તક છે. લેખિકા યોગ્ય રીતે કહે છે કે ગાંધીને મહાત્મા બનાવનાર પરિબળોની ખોજ આ પુસ્તકના કેન્દ્રમાં છે. નરોત્તમ પલાણના ‘વ્યષ્ટિ-સમષ્ટિ’ને      ‘એક બહુઆયામી ચરિત્ર-ઇતિહાસ ગ્રંથ’ તરીકે મુલવાયો છે.
જયંત પંડ્યા અને નરોત્તમ પલાણ આપણા વિદ્વાન લેખકો છે. જયંત પંડ્યાનું ‘ગાંધી : મહાપદના યાત્રી’ જાણીતું બનેલું પુસ્તક છે. લેખિકા યોગ્ય રીતે કહે છે કે ગાંધીને મહાત્મા બનાવનાર પરિબળોની ખોજ આ પુસ્તકના કેન્દ્રમાં છે. નરોત્તમ પલાણના ‘વ્યષ્ટિ-સમષ્ટિ’ને      ‘એક બહુઆયામી ચરિત્ર-ઇતિહાસ ગ્રંથ’ તરીકે મુલવાયો છે.
ભાતીગળ સ્વરૂપોનાં પુસ્તકોનો આસ્વાદ કરાવતા આ પુસ્તકનો અંતિમ લેખ શાંતિભાઈ આચાર્યના પુસ્તક ‘અમે બોલીઓ છીએ’ પર લખાયેલા લેખથી થાય છે. વિવિધ વિસ્તારની બોલીઓની વાર્તા અનુવાદ સાથે અહીં મુકાઈ છે. દક્ષા વ્યાસે આ તમામ વાર્તાઓને ઝીણી નજરે તપાસી છે.  
ભાતીગળ સ્વરૂપોનાં પુસ્તકોનો આસ્વાદ કરાવતા આ પુસ્તકનો અંતિમ લેખ શાંતિભાઈ આચાર્યના પુસ્તક ‘અમે બોલીઓ છીએ’ પર લખાયેલા લેખથી થાય છે. વિવિધ વિસ્તારની બોલીઓની વાર્તા અનુવાદ સાથે અહીં મુકાઈ છે. દક્ષા વ્યાસે આ તમામ વાર્તાઓને ઝીણી નજરે તપાસી છે.  
અભ્યાસવૃત્તિ, અખૂટ સાહિત્યરસ તથા લેખક અને વાચક વચ્ચે સેતુરૂપ બનવાની જિકર ‘સામીપ્યે’ શીર્ષકની સાર્થકતા નિર્દેશે છે.
અભ્યાસવૃત્તિ, અખૂટ સાહિત્યરસ તથા લેખક અને વાચક વચ્ચે સેતુરૂપ બનવાની જિકર ‘સામીપ્યે’ શીર્ષકની સાર્થકતા નિર્દેશે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|{શબ્દલોક પ્રકાશન, અમદાવાદ}}}
{{right|{શબ્દલોક પ્રકાશન, અમદાવાદ} }}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સામીપ્યે – દક્ષા વ્યાસ
|previous = ગુરુદત્તઃ ત્રિઅંકી શોકાંતિકા– અરુણ ખોપકર, અનુ.અશ્વિની બાપટ
|next = નાચિકેત સૂત્ર – હરીશ મીનાશ્રુ, અં. અનુ. રાજેન્દ્રસિંહ જાડેજા
|next = નાચિકેત સૂત્ર – હરીશ મીનાશ્રુ, અં. અનુ. રાજેન્દ્રસિંહ જાડેજા
}}
}}