આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A/Affective fallacy

From Ekatra Foundation
Revision as of 13:17, 20 November 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
Affective fallacy

Affective fallacy પ્રતિભાવદોષ

ડબલ્યૂ. કે. વિમસેટે અને બીર્ડ્‌ઝલીએ ભાવક પર થતી કવિતાની પ્રતિક્રિયા, ખાસ તો સંવેદાત્મક પ્રતિક્રિયાને આધારે કાવ્યની મૂલવણી કરવાના આ દોષને પ્રતિભાવાત્મક દોષ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે. આ દોષને કારણે કૃતિના કૃતિત્વનો છેદ ઊડી જાય છે, અને વિવેચન વસ્તુલક્ષી બનતું અટકી મુખ્યત્વે સંસ્કારવાદિતા અને સાપેક્ષવાદિતામાં જઈને અટકે છે. આ રીતે ભાવકની પ્રતિક્રિયાના સંદર્ભમાં કૃતિની મૂલવણીનો વિવેચનદોષ, સર્જકના આશયના સંદર્ભમાં કૃતિની મૂલવણીના વિવેચનદોષ(જુઓ, Intentional fallacy)ના સામા છેડાનો છે.