મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા પદ ૧

From Ekatra Wiki
Revision as of 06:54, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૧

અખાજી

જીવની આદિ વિચારો રે પંડિતો,
આદિ જોતાં તે અનાદિ દીસે;
દેહ તણી છાયા સમાયે તે દેહ વિષે
જ્યારે મધ્ય આવે સૂર શીષે.
હો જીવની –૧
તનમનને ઓળખ્યા વિના ઓતળે,
જ્યમ સૂત્રધાર નિજ નાવ નિર્મે;
તે જ સૂત્રધાર તે નાવે બેઠે થકે
પછે પરવશ પડ્યો પંથ કરમે.
હો જીવની –૨
તન મન નૌકા જીવ ગણે માહરું,
પણ ભવસાગર મધે કાળ ખેડે;
કર્મના વાયુને વશ લાગ્યો ડોલવા,
ત્યારે હાથથી વાત વટકી જ નેડે.
હો જીવની – ૩
ભર્મે ભર્મ ભટકે ઘણા ભવ વિષે,
ગુરુ ગોવિંદના શર્ણ પાખે;
માયા રૂપિણી મા જ વા’લી અખા,
તે જાણીને જનુની ભેદ રાખે,
હો જીવની – ૪