મોરનાં ઈંડાં/‘મોરનાં ઈંડાં’ નાટ્યકૃતિ

From Ekatra Wiki
Revision as of 06:35, 20 August 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search

મોરનાં ઈંડાં

ઇતિહાસના ઉગમમાં જરાપીંગળ ચીનમાં થઈ ગયેલા પેલા કોન-ફુ-ત્સું (કન્ફ્યુશિઅસ) અને આર્યાવર્તી વિશ્વમેધા ગૌતમબુદ્ધ અને અત્યારના બર્ટ્રાન્ડરસલ : અને વચ્ચે જે બહુ જૂજ સત્યવક્તાઓએ પૃથ્વી પર પગલાં પાડ્યાં છે :

બીજા કોઈને નહિ! નહિ જ! (1934)

Template:Poem2Opem અર્પણ


વરસોની વાટ ફળી : મેડિયે પધારી મનડાની મૂરિત અવાક. બંધ કર્યાં બારણાં ને અંધ કર્યું કોડિયું ઓઝલવા વસ્લ કેરી રાત. સોનેરી ઢાંકણાએ કાવ્યમુખ આવર્યું. કંપતું એ ઉન્હે આશ્વાસ. ઊંચકી શકું ન એ બુરખો લજામણો; જોર નહિ રાણીની પાસ. આત્મજ્ઞાન જેવડી ભાર હતો લાજમાં, મુર્ઝાઈ આંગળિયો વીશ. એકમેક તોય તોય દર્શનનો લાભ ના, પડતી જ્યાં વસ્લ કેરી ચીસ— ત્રીજાનો હાથ આવ્યો ઉઘાડવા બુરખો : ને વધતું : એકાન્ત; ત્રીજો હતો છતાંય બેના બે મેડિયે પૂગ્યા આત્મીયતાને પ્રાંત. મારી હથેળી, રેખ મારી આ ઊમટે, મારી લીલા ને નામોશી; દર્શનવા જે બધુંય મારા છે હાથમાં જોતા’તા — ઉમાશંકર જોશી, નીરક્ષીર

14-2-’57