કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૬. કેવળ ફરવાને

Revision as of 13:15, 6 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૬. કેવળ ફરવાને

ઉશનસ્

કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે,
એક્કે કામ નથી કરવાનું મારે આ જનમારે,

મારે કોને નથી મળવાનું, કોએ પત્ર ન ભેળ્યો,
હું તો આ ધરતી પર આવ્યો કેવળ જોવા મેળો,
ફરતો હું હાટે ને ઘાટે, વ્હોરવું ના કંઈ મારે,
કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે.

પ્રવાહ આ શો જાય વહ્યો, નદ ઊછળંતો બે કૂલ!
કોઈ નથી મોટું, રે મોટું એક જ છે આ પૂર!
બેસું ઘડી ગંગાજમુનાને સંગમકેરે આરે;
કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે.

૨૧-૪-૪૭

(સમસ્ત કવિતા, પૃ. ૬૪)