ઉમાશંકરનો વાગ્વૈભવ-૨/૧.એકાંકીઓ

From Ekatra Wiki
Revision as of 16:18, 28 September 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૧.એકાંકીઓ

ઉમાશંકરનો વાગ્વૈભવ-૨

૧૯૩૨માં વીસાપુર જેલમાં તેમણે મોટી સંખ્યામાં નાટકો વાંચ્યાં; એટલું જ નહિ, લખ્યાંયે ખરાં. એમનાં બાવીસ ગ્રંથસ્થ એકાંકીઓમાંથી સાત એકાંકીઓ ૧૯૩૨માં લખાયેલ છે.[1] આ વર્ષમાં તેમની આજ દિન સુધીની કારકિર્દીનાં કેટલાંક ઉત્તમ-વિશિષ્ટ એકાંકીઓ તેઓ આપે છે. ‘સાપના ભારા’ કે ‘બારણે ટકોરા’ જેવાં એકાંકી નાટકોની સિદ્ધિ–પ્રસિદ્ધિ સ્પષ્ટ છે.

‘સાપના ભારા’નાં એકાંકીઓમાં વધુમાં વધુ મુક્ત રીતે ઉમાશંકરમાંનો કલાસર્જક પ્રગટ થઈ શક્યો છે. એમાં જે વિષયો એકાંકીઓ માટે ઉપાડ્યા છે તેની સાથે આ નાટ્યસર્જકનો લોહીનો સંબંધ હતો. ભાષા – તે બાજુની બોલી – એ, જે અનુભવજગત એમણે પસંદ કર્યું તેને માટેનું વધુમાં વધુ કામયાબ માધ્યમ હતું. ઉમાશંકર તેથી એમાં વધુમાં વધુ સઘનતાથી – તીવ્રતાથી એક સાચા કલાસર્જક તરીકે પ્રગટ થઈ શક્યા છે. ઉમાશંકરે આ નાટ્યલેખન વખતની (એટલે કે ૧૯૩૨-૩૩ના અરસાની) પોતાની મનોદશાનો નિર્દેશ કરતાં લખ્યું છે :

         ‘ગમે તેમ પણ એ વરસો એવાં હતાં કે જ્યાં નજર પડે ત્યાં મને એકાંકી દેખાતું; કોઈ પણ માર્મિક ઘટના એકાંકીના ઢાળામાં સહજપણે ઢળાઈ જતી ભાસતી.”[2]

(શહીદ, ૧૯૫૧, પૃ. ૬)

  1. S આ એકાંકીઓ આ પ્રમાણે છે :
    એકાંકીનું નામ          લખ્યા તારીખ                   સંગ્રહનું નામ
    ‘શહીદનું સ્વપ્ન’          29મી મે, 1 જૂન, 1932          શહીદ         
    ‘સાપના ભારા’          12 જૂન, 1932                   સાપના ભારા         
    ‘બારણે ટકોરા’          19 જૂન, 1932                   સાપના ભારા         
    ‘ઊડણ ચરકલડી’          27 જુલાઈ, 1932                   સાપના ભારા
    ‘ખેતરને ખોળે’          2, ઑગસ્ટ, 1932                   સાપના ભારા
    ‘શલ્યા’          7 ઑગસ્ટ, 1932                   સાપના ભારા
    ‘વિદાય’          ઑગસ્ટ, 1932                   શહીદ
  2. X અન્યત્ર ‘કવિનો શબ્દ’માં ‘પ્રશ્નોત્તરી’ (પૃ. 234)માં પણ આ જ વાત તેઓ કહે છે : “ ’32-’33નો સમય મારા માટે એવો હતો કે હું નજર નાખું અને મને નાટક દેખાય.”