સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહાવીર/એક ક્ષણ પણ —

From Ekatra Foundation
Revision as of 11:47, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ડાભની અણી પર ઝાકળનું ટીપું પડવાની તૈયારીમાં હોય એમ લટકતુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ડાભની અણી પર ઝાકળનું ટીપું પડવાની તૈયારીમાં હોય એમ લટકતું રહે છે, એ જ પ્રમાણે મનુષ્યનું જીવન પણ ગમે ત્યારે ખરી પડનારું છે. માટે હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. ધર્મનું શ્રવણ દુર્લભપણે મળે છે. ધર્મનું શ્રવણ ધારો કે સાંપડ્યું છતાં તેમાં શ્રદ્ધા બેસવી મુશ્કેલ છે. ઉત્તમ ધર્મમાં વિશ્વાસ બેઠો હોય છતાં તે પ્રમાણે શરીરથી, વાણીથી, મનથી આચરણ કરવું ભારે કઠણ છે. માટે હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. [‘ઝરૂખે દીવા’ પુસ્તક]